આજના સમયમાં લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. લોકો પોતાને મહાન ગણાવીને બીજા લોકો પાસે પૈસા પડાવી રહ્યા છે અને લોકોને પોતાના વિશ્વાસમાં લઈને તેમની દરેક સમસ્યા અને મુશ્કેલીઓ દૂર થશે તેમ જણાવીને છેતરપિંડીની ઘટનાઓ કરી રહ્યા છે. આવી જે છેતરપિંડીની ઘટના હાલમાં સામે આવી હતી.
આ ઘટના અલવર જિલ્લાના રહેવાસી પરિવાર સાથે બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમનો દીકરો રહે છે. પતિનું નામ અમરસિંહ છે અને તેની ઉંમર 36 વર્ષની છે. અમર સિહની પત્નીનું નામ સુનિતા છે. સુનીતાની ઉંમર 32 વર્ષની છે. તે બંનેને સંતાનમાં એક દીકરો છે. પરિવારમાં તેઓ ખૂબ જ રાજી ખુશીથી રહે છે.
પરંતુ સુનીતા બીમાર રહેતી જેના કારણે અમરસિંહ સુનિતાની બીમારીને લઈને ઘણા સમયથી ચિંતામાં હતો. અમરસિંહને બે યુવકો સાથે થોડા સમય પહેલા પરિચય થયો હતો. આ બંને યુવકો ત્રણ દિવસ પહેલાં અમરસિંહના ઘરે આવ્યા અને બંને યુવકોમાંથી એક યુવક તાંત્રીક હતો. તે પોતે દરેક બીમારી અને સમસ્યાને દૂર કરે છે.
તેમ કહીને તેણે બંને પતિ-પત્નીને પોતાની વાતમાં ભળવી નાખ્યા હતા. તાંત્રીકે પતિ-પત્નીને અજમેરની એક જગ્યાએ બોલાવ્યા અને આ જગ્યાએ દોઢ લાખ રૂપિયા લઈને આવવા કહ્યું હતું. જેના કારણે એક દિવસ અમરસિંહ અને તેમની પત્ની સુનીતા અને તેમનો દીકરો અજમેર ગયા હતા ત્યાં તેઓ એક હોટલમાં રોકાયા હતા.
એક રાત હોટલમાં રોકાઈને તેઓ તાંત્રિકના કહેવા પ્રમાણે તેના સ્થળ પર ગયા હતા. સ્થળ પર જઈને અઢી દિવસ તેઓ તાંત્રિકને ત્યાં રોકાયા હતા. ત્યાર બાદ તાંત્રિક ની સલાહ મુજબ તેઓને પોતાની રૂમમાં આવવા કહ્યું હતું અને પતિ-પત્ની પાસેથી પૈસા ભરેલું બેગ લઈ લેવામાં આવ્યું હતું. બેગમાં 1,50,000 રોકડા હતા.
ત્યારબાદ તાંત્રીક આ બેગ લઈને તેમની બીજી કોઈ રૂમમાં અંદર ગયા અને કહ્યું કે, હું આ બેગની પૂજા કરી આવીશ, જેના કારણે તમે બધા જ બહાર રહેજો. ત્યારબાદ થોડા સમય પછી તાંત્રિક પાછા આવ્યા અને તેમણે બેગને ખોલવાની ના પાડી હતી. બેગને આપીને 24 કલાક પછી ખોલજો એમ કહ્યું હતું.
જેથી અમર સિંહની પત્ની સુનીતાની બીમારી ઠીક થઈ જાય અને બધું જ બરાબર થઈ જશે તેમ કહીને પતિ પત્નીને ત્યાંથી જવા કહ્યું ત્યારબાદ બંને તાંત્રિકો ત્યાંથી ભાગી ગયા હતા. પતિ-પત્નીને તાંત્રિકો પર શંકા જતા તેઓએ બેગ ચેક કર્યું હતું. ત્યારે બેગમાંથી લીલા કલરના કપડામાં વિટેલી નોટોને ચેક કરવા માટે તેમણે લીલું કપડું ખોલ્યું ત્યારે જોવા મળ્યું કે, કપડાની અંદર પેપરના કાગળો જ હતા.
રૂપિયાની નોટો ગાયબ થઈ ગઈ હતી. જેને કારણે પતિ-પત્ની ચિંતામાં આવી ગયા અમરસિંહએ પોતાની પત્નીનું સોનું વેચી દીધું હતું અને વ્યાજે પૈસા લઈને તેઓ અજમેર ગયા હતા પોતાની પત્નીની બીમારી બરાબર થઈ જશે તેમ વિચારીને તેણે તાંત્રિક ના કહેવા પ્રમાણે તેઓ રોકડ પૈસા લઈ ગયા હતા.
ત્યારબાદ અમરસિંહે તરત જ દરગાહ પોલીસ સ્ટેશનમાં જઈને આ બંને તાંત્રિકની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કડક કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું હતું. ત્યારે બંને તાંત્રિકોની પોલીસ તપાસ કરી રહી હતી. અમરસિંહ અને તેમની પત્નીને તાંત્રિકોએ લૂંટી લીધા હતા અને તેમની સાથે મોટી છેતરપિંડી કરી હતી.
આવા ઢોંગી તાંત્રિકને કારણે અમરસિંહે પોતાના વ્યાજે લીધેલા પૈસાને પણ ગુમાવી દીધા હતા અને તેમની પત્નીનું સોનું પણ ગુમાવી દીધું હતું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. જેના કારણે દરેક લોકોએ ચોકીને રહેવું જોઈએ. નકલી તાંત્રીકની વાતોમાં ભોળવાયને લોકો છેતરાઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]