હાલના સમયમાં એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને કારણે કહી શકાય કે આજની યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાઇ રહી છે. એક જ પરિવારમાં રહેતા લોકો એકબીજા સાથે દુશ્મનાવટ કરીને પોતાના જ અંગત વ્યક્તિઓ સાથે જીવલેણ ઘટનાઓ કરી રહ્યા છે. આવી એક ઘટના કર્ણાટકમાં બની હતી.
કર્ણાટકમાં બાગલકોટ જિલ્લામાં આવેલા પરિવારમાં માતા-પિતા અને તેમના બે દીકરા રહેતા હતા. જેમાં માતા અને મોટો દીકરો ઘણા સમયથી જુદા રહેતા હતા. પરિવારમાં પિતા અને તેમનો નાનો દીકરો જ સાથે રહેતા હતા. પિતાનું નામ પરશુરામ ગુલાલી હતું અને તેમની ઉંમર 53 વર્ષની હતી. તે પોતાના નાના દીકરા વિઠ્ઠલ કલાલી સાથે રહેતા હતા.
મોટો દીકરો અને પરશુરામની પત્ની જુદા રહેતા હતા. પરશુરામ અવારનવાર નશો કરતા જેના કારણે તેઓ પોતાના પરિવાર સાથે દૂર વ્યવહાર કરતા હતા. તેનાથી કંટાળીને તેમની પત્ની મોટા દીકરાને લઈને જુદી રહેવા લાગી હતી અને નાનો દીકરો વિઠ્ઠલ પોતાના પિતાની સાર સંભાળ માટે પિતા સાથે રહ્યો પરંતુ પરશુરામ સુધરતા ન હતા.
અને દરરોજ નશો કરીને તેમના નાના દીકરા સાથે દૂર વ્યવહાર કરતા અને ઘણીવાર નશામાં તેમના દીકરાને તે માર પણ મારતા હતા. જેના કારણે નાનો દીકરો કંટાળી ગયો હતો. એક દિવસ પરશુરામએ રાતના સમયે ખૂબ જ નશો કર્યો અને તે ગુસ્સામાં આવી ગયો હતો. તેના નાના દીકરા પર ગુસ્સામાં તેણે ઘણા અપશબ્દ કહ્યા હતા.
નાનો દીકરો વિઠ્ઠલ પણ તેના પિતા પર ગુસ્સે થયો અને તે પોતાના ગુસ્સાને કાબુમાં લઈ શક્યો નહીં, તેણે પોતાના પિતા પર લોખંડના સળિયા વડે હુમલો કરી નાખ્યો હતો. ત્યારબાદ હુમલો કરતા પિતા જમીન પર ઢળી પડ્યા હતા. જમીન પર ઢળી પડતા દીકરાને જોયું તો તેમના પિતાનું મૃત્યુ થઈ ગયું હતું. જેના કારણે તે ખૂબ જ ડરી ગયો હતો.
તેણે પોતાના પિતાને ખેતરમાં લઈ જવાનું વિચાર્યું હતું. વિઠ્ઠલ કલાલીનું ખેતર મુથોલ શહેરની બહાર મંતુર બાયપાસ રોડ પર આવેલું હતું. તે રાતના સમયમાં પોતાના પિતાને મૃત હાલતમાં ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં લઈ જઈને તેને વિચાર્યું કે પોતાના પિતાને તે ખેતરમાં આવેલા બોરવેલમાં ફેંકી દેશે. અને ગામના લોકોને આ ઘટનાની જાણ થશે.
તે માટે તેણે પહેલા પોતાના જ પિતા ના મૃતદેહના કટકા કરી નાખ્યા ત્યારબાદ એ કોથળામાં ભરીને પિતાના મૃતદેહના ટુકડા બોરવેલમાં ફેંકી દીધા હતા. બોરવેલની પહોળાઈ લગભગ 8 ઇંચ જેટલી છે અને બોરવેલ ઘણો બધો ઊંડો હતો. જેના કારણે મૃતદેહ મળવો અશક્ય હતો. શરીરના 12 થી 15 ટુકડા કરી નાખ્યા હતા.
અને ત્યારબાદ કુવામાં ફેંકી દીધા હતા. તેના પર માટી ઢાંકી દીધી પરંતુ સત્ય ક્યારેય છૂપતું નથી, જેના કારણે એક દિવસ ખેતરમાં કામ કરવા આવેલા ખેત મજૂરો બોરવેલ પાસે બેઠા હતા. તે સમયે બોરવેલમાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવી રહી હતી. જેના કારણે મજૂરોએ બોરવેલમાં તપાસ કરતાં સમયે જોયું તો બોરવેલ માંથી એક કોથળો મળી આવ્યો હતો.
આ કોથળાને બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને ખોલતા જોયું તો ઘણા બધા શરીરના કટકા જોવા મળ્યા હતા. જેના કારણે પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે તમામ તપાસની હાથ ધરી અને યુવકની યુવકના મૃતદેહ ની ઓળખ કર્યા બાદ તેમના નાના દીકરા વિઠ્ઠલ અને દરેક પરિવારના લોકોને પૂછપરછ કરવામાં આવી હતી.
ત્યારબાદ તમામ કાવતરું બહાર આવ્યું હતું. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી. એક દીકરાએ જ ગુસ્સામાં પોતાના પિતા સાથે આવી ઘટના કરી નાખી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. બાળકો પોતાના માતા-પિતાને સાચવાને બદલે તેની સાથે આવી ઘટનાઓ કરી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]