અત્યારે અમુક પરિવારમાં ચાલતા પારિવારિક ઝઘડાઓ થતા જોવા મળે છે. પરિવારમાં પતિ-પત્ની નાની નાની વાતમાં ઝઘડો કરીને તેઓ પોતાના બાળકોની મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આવી જ એક કરુણ ઘટના હાલમાં એવી બની હતી કે જે જાણીને બીજા લોકોના હૃદય ધ્રુજી ગયા હતા.
આ ઘટના ખાગરીયાના અલોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કામથાણ ગામમાં રહેતા પરિવારમાં બની હતી. પરિવારમાં પતિ-પત્ની અને તેમના બાળકો રહેતા હતા. કામથાણ ગામમાં બાબાજી શાહના પુત્રનો પરિવાર રહેતો હતો. તેમના દીકરાનું નામ ચંદન શાહ હતું. ચંદનની ઉંમર 35 વર્ષની હતી અને તેમની પત્ની સાથે તે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો.
ચંદનને 4 બાળકો હતા જેમાંથી સૌથી મોટા દિકરાની ઉંમર 10 વર્ષની હતી. ચંદન તેમના જ ગામમાં છૂટક મજૂરી કરીને તેમના પરિવારનો ગુજરાન ચલાવતો હતો પરંતુ ચંદનને તેના જ ગામની એક મહિલા સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ ચંદનની પત્નીને થતા તેની પત્ની અને ચંદન વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
પત્ની ગામની યુવતીને છોડી દેવા માટે કહેતી હતી પરંતુ ચંદન માની રહ્યો ન હતો. જેના કારણે ચંદનની પત્ની ચાર મહિના પહેલા ચંદન અને તેના બાળકોને મૂકીને પોતાના પિયર રહેવા જતી રહી હતી. ત્યારબાદ ચંદન માનસિક ત્રાસમાં રહેતો હતો. અને ચારે બાળકો ની જવાબદારી ચંદન પર આવી ગઈ હતી.
જેના કારણે બાળકોને શાળાએ મોકલવા અને તેમના ખાવા પીવાની દરેક જવાબદારી ચંદન ઉપાડી રહ્યો હતો. ચંદને એક દિવસ તેમની પત્નીને પણ ફોન કરીને માફી માગી હતી પરંતુ તેમની પત્ની ચંદન પાસે આવવા રાજી ન હતી, જેના કારણે તે ખૂબ જ ત્રાસમાં માનસિક ત્રાસમાં આવી ગયો હતો. એક દિવસ ચંદન તેમના ચારે બાળકોને લઈને રૂમમાં સુવા ગયો હતો.
તેમના ચારેય બાળકો સુઈ ગયા બાદ તે તેણે એવી ઘટના કરી નાખી કે સૌથી મોટો દીકરો રાતે પાણી પીવા માટે ઉભો થયો હતો. ત્યારે તેમણે જોયું તો તે જોઈને બુમાબૂમ કરવા લાગ્યો હતો. જેના કારણે પાડોશીના લોકો ચંદનના ઘરે પહોંચ્યા હતા. ચંદન ના ઘરે પહોંચીને પાડોશીના લોકોએ જોયું તો ચંદને લટકીને આપઘાત કરી લીધો હતો.
જેના કારણે ચંદનના ચારે બાળકો ગુમસૂમ થઈ ગયા હતા. ચારે બાળકોએ તેમના માતા પિતાને ગુમાવ્યા હતા, જેના કારણે પાડોશીના લોકોએ બાળકોને સંભાળ્યા હતા. ત્યારબાદ અલોલી પોલીસને આ ઘટનાની જાણ કરી અને પોલીસ ઘટનાએ પહોંચી હતી. પાડોશીના લોકોએ ચંદનની પત્નીને ચંદનને આપઘાત કર્યાની વાત જણાવી હતી.
જેના કારણે પત્ની પણ તેના ઘરે પહોંચી હતી અને ચારે બાળકોને તેણે સંભાળ્યા હતા. ત્યારબાદ બાળકો ખૂબ જ શોકમાં આવી ગયા હતા અને ચંદનને આપઘાત કર્યો હોવાને કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. ગામમાં પણ શોખનો માહોલ છવાઈ ગયો હતો. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેના કારણે પરિવારના લોકો ત્રાસીને અથવા તો બીજા લોકો સાથે સંબંધ હોવાને કારણે તેમના પરિવારને ખોઈ રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]