કેટલાક લોકોને રોજિંદી જિંદગીમાં ખૂબ જ દુઃખ રહેલા હોય છે. આ દુઃખનો અંત ન આવતા અને જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ તેઓ આ દુઃખના ફસાતા જાય છે. તેમાંથી બહાર નીકળવાનો કોઈ પણ રસ્તો ન મળતા અને તેઓ આપઘાતનું પગલું પણ ભરી લે છે. ગઈકાલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા 31 વર્ષના એક યુવકે આપઘાત કરી લીધો છે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા સાથી એપારમેન્ટની અંદર અંકિત ભટ્ટ પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમની ઉંમર ૩૧ વર્ષની હતી. અને તેઓ બ્રોકરીગના વેપાર સાથે જોડાયેલા હતા. તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચિંતામાં રહેતા. આ ઉપરાંત હંમેશા કોઈને કોઈ ટેન્શનને લઈને હંમેશા ખોવાયેલા રહેતા હતા..
જેને લઈને તેમને માનસિક તણાવ પણ આવી ગયો હતો. એક દિવસ તેઓ ગાંધી બ્રિજ ઉપરથી સાબરમતી નદીની અંદર કૂદી ગયા હતા. આ આપાઘાતનું મોટુ પગલું ભરે એ પહેલા તેઓએ તેમના પિતાને મેસેજ કર્યો હતો અને ત્યારબાદ તેઓએ નદીમાં પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી દીધું છે..
જ્યારે બ્રિજ પરથી પસાર થતા અન્ય લોકોએ પાણીની અંદર આ મૃતદેહને તરતા જોયો ત્યારે તેઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને તેમજ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આ યુવકની લાશને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી…
અંકિત ભટ્ટ નામના વ્યક્તિએ આ વ્યક્તિએ આપઘાત કરતા પહેલા પોતાના પિતાને અંતિમ મેસેજ કરી દીધો હતો. જેમાં લખ્યું હતું કે તમે મને ગાંધી બ્રિજ નીચેથી લઈ જજો બસ માત્ર આટલા જ શબ્દો સાંભળતા પિતા સહિત અન્ય પરિવારજનો પણ ખૂબ જ દુઃખની લાગણીમાં ચાલ્યા ગયા હતા..
કારણ કે તેમના પરિવારના વહાલ સોયા સભ્યનું મૃત્યુ થયું છે. માત્ર બે દિવસમાં તેનો જન્મદિવસ હતો અને જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર પરિવાર પ્લાન પણ બનાવી રહ્યો હતો. પરંતુ અચાનક અંકિતભાઈના મૃત્યુના સમાચાર સાંભળતા પરિવાર ઉપર આફતના આભ ફાટી નીકળ્યા છે…
કહેવાય રહ્યું છે કે, તેઓને બ્રોકરીંગની કંપનીમાં દેવું થઈ ગયું હતું. જેનો માનસિક ત્રાસ તેમને ખૂબ જ સતાવી રહ્યો હતો. આ દુઃખને સહન કરી ન શકતા અંતે તેઓએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકવી દીધું છે. આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. ખરેખર આ બનાવ ખુબ જ કરુણ સાબિત થયો છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]