Breaking News

યુવકે પોલીસ સ્ટેશનના પહેલા માળેથી છલાંગ લગાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, ઘટના પાછળનું કારણ છે ચોંકાવનારૂ..!

જ્યારે વ્યક્તિને બધી બાજુથી ભેસ આવી પડે ત્યારે શું કરવું તેનું નક્કી હોતું નથી. ત્યારે માત્ર તે બચવાના ઉપાયો જ શોધી રહ્યો હોય આવા કેટ કેટલા બનાવ બની ચૂક્યા છે. અને વધુ એક બનાવ હાલ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા માંથી સામે આવી ગયો છે. ધાંગધ્રા તાલુકાના સજનપુર ગામમાં યુવતીના પ્રેમ પ્રકરણનો મામલો ચાલી રહ્યો હતો..

જેમાં મામલો વધી જતા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક આ ગામે પહોંચી અને પ્રેમ પ્રકરણના આ મામલામાં રણજીતભાઈ બલદેવભાઈ નાડવીયા નામના એક યુવાનને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. અને તેની પૂછપરછ નો સિલસિલો શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે આ યુવકને પોલીસ સ્ટેશનના ઉપરના રૂમમાં પૂછપરછ માટે લઈ જવામાં આવતો હતો..

ત્યારે તે યુવક ખૂબ જ ગભરાયેલો હતો અને તે સતત કંઈકને કંઈક વિચારવા લાગ્યો હતો. તે તાત્કાલિક ઉપરના માળેથી દોડીને નીચે ધૂમકો લગાવી દીધો હતો. અને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેનો જીવ બચી ગયો હતો. અને તે ઇજાગ્રસ્ત થયો હતો. એટલા માટે તેને 108 ની મદદથી સરકારી દવાખાનામાં સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ યુવકે વિચાર્યું હશે કે, પ્રેમ પ્રકરણના આ કિસ્સામાં હવે તેનાથી કશું થશે નહીં..?

અને પોલીસ તેની પૂછપરછ કર્યા બાદ તેને સજા પણ કરશે. આ ઉપરાંત હવે તેનો પ્રેમ ક્યારેય પણ શક્ય બનશે નહીં. આવા ઘણા બધા વિચારોની સાથે તે આત્મહત્યા કરવા માટે પોલીસ સ્ટેશનની છત પરથી કૂદી પડ્યો હતો. પરંતુ સદનસીબે તેને માત્ર ઈજા જ પહોંચી હતી અને તેનો જીવ બચી ગયો છે.

જ્યારે આ બનાવની જાણ અન્ય ગામોમાં થઈ કે પોલીસ સ્ટેશનના ઝાડ પરથી કૂદકો મારીને એક યુવકે આપઘાત કરવાની કોશિશ કરી છે. પરંતુ તેનો જીવ બચી ગયો છે. ત્યારે લોકોમાં ભારે ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમજ સજનપુર ગામમાં પણ મારે અરેરાટી મચી ગઈ છે. કારણ કે યુવાને એ જ ગામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો..

અને આ પ્રેમ પ્રકરણ નો મામલો ખૂબ જ આગળ વધી ચૂક્યો હતો. ક્યારેય પણ કોઈ વ્યક્તિએ આવતા જેવું પગલું ભરવું જોઈએ નહીં પોતાની સાથે થયેલી તમામ બાબતોની જાણ પોતાના માતા પિતા અથવા કોઈ નજીકના સ્નેહીજનો અથવા મિત્રોને કરવી જોઈએ અને મુશ્કેલીનો તોડ શોધવો પડે પરંતુ મનોમન મૂંઝાઈ જઈને આપઘાતનું પગલુ ભરી લેવું એ ખૂબ જ ખોટું કામ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *