Breaking News

વિધવા માતાના એકના એક દીકરાએ લટકીને આપઘાત કરી લેતા ત્રણ બહેનો સહીત માતા નોધારા થયા.. કરુણ બનાવ..!

રાજ્યમાંથી આપઘાતના બનાવો છાશવારે સામે આવે છે. રોજ રોજ કોઈકને કોઈ પરિવારના સભ્યોને આર્થિક સંકડામણ પ્રેમ સંબંધ સતત ચિંતિત રહેવાને કારણે તેમજ પારિવારિક ઝઘડાઓને લઈને આપઘાત જેવું પગલું ભરી લઈ જીવન ટૂંકવી દેતા હોય છે. જો કોઈ વ્યક્તિ તેની સાથે થયેલા બનાવવાની જાણ કોઈ નજીકના વ્યક્તિને કરે અને સારી સમજણ લેવાની કોશિશ કરે તો આપઘાતના બનાવવા ઘટી શકે તેમ છે..

પરંતુ જે યુવક યુવતીઓ હતાશ હોય તેમ જ જીવનમાં ખૂબ મોટું દુઃખ આવી પડ્યું હોય તેવો પોતાના દુઃખની વાત અન્ય કોઈ વ્યક્તિને કહેવાને બદલે અંતે આપઘાતનું પગલું ભરીને જીવન ટૂંકવી દેતા હોય છે. ગઈકાલે રાજકોટ શહેરના ગોકુલધામ પાસેથી ખૂબ જ હચમચાવી દે તેઓ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે..

જ્યાં જલજીત સોસાયટી નંબર ચારમાં સચિન ભાઈ હસમુખભાઈ કોટેચા નામના વ્યક્તિ પોતાની વિધવા માતા સાથે રહે છે. સચિન ભાઈ ની ઉંમર 31 વર્ષની હતી. થોડા સમય પહેલા તેમના પિતાનું અવસાન થઈ જતા તેમની વિધવા માતા તેમજ તેની ત્રણ બહેનોના ભરણપોષણની જવાબદારી સચિન ભાઈ ઉપર આવી પડી હતી..

તેવો સ્ક્રેપિંગનું કામ કરતા હતા અને પરિવારનું જીવન ગુજારતા હતા. પરંતુ તેઓ કોઈને કોઈ વાતને લઈને સતત ચિંતિત રહેતા હતા હજુ સચિન ભાઈના લગ્ન થયા હતા નહીં. પિતાનું અવસાન થયા બાદ વિધવા માટેનો તેમજ પરિવારના સભ્યોનો એક આધાર સ્તંભ સચિનભાઈ પોતે હતા એક દિવસ સવારના સમય સચિનભાઈ મોડે સુધી જાગ્યા હતા નહીં..

એટલા માટે તેમની માતા નિર્મળાબેન ઉપરના માળે જઈને સચીન ભાઈ ને જગાડવા ગયા હતા. ત્યાં ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યો પરંતુ તેમણે ખોલ્યો નહીં એટલા માટે નિર્મળા બેને પાડોશીઓને તાત્કાલિક બોલ્યા અને દરવાજો દોડાવી નાખ્યું હતો. દરવાજો દોડતા જ તેઓએ જોયું તે જોઈને તેમના હોવા છૂટી ગયા હતા..

કારણ કે તેમનો વહાલ સોયો અને પરિવારનો આધાર સ્તંભ એવો દીકરો સચિન લટકેલી હાલતમાં મળ્યો હતો પોતાના દીકરાને આવી રીતે લટકતા જોઈ માતાએ હોશ ગુમાવી દીધા હતા. જ્યારે તેની ત્રણેય બહેનો પણ જોરદાર આંસુએ રડવા લાગી હતી. સચિન ભાઈ આપઘાત કરી લેતા આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી ગયો હતો..

જ્યારે આ બાબતને લઈને નજીકના પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તેઓએ શા માટે આપઘાત કર્યો છે. તેમજ પરિવારજનોને આ બાબતની જાણ હતી કે નહીં…? વગેરે જેવા પ્રશ્નોને લઈને તપાસ હાથ ધરી છે. અને પૂછપરછ ચલાવી રહી છે.

સચિન ભાઈ તેમના પરિવારજનોનું ભરણ પોષણ કરતા હતા. પરંતુ એકના એક વહાલ સોયા દીકરાનું મૃત્યુ થયા બાદ તેમની વિધવા માતા અને તેમના ત્રણ બહેનનું ધ્યાન કોણ રાખશે તેમજ દરેક બાબતો અને મુસીબતોમાં આગળ આવીને કોણ રહેશે. આ તમામ બાબતો વિચારીને પરિવારજનો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *