Breaking News

વાવાઝોડાએ રંગ બદલ્યો, આવતા 5 દિવસ પસાર કરવા બની જશે ભારે, જાણી લ્યો હવામાનની આગાહીઓ..!

હાલ અરબ સાગરની અંદર એક ભયંકર ચક્રવાત સર્જાઈ રહ્યું છે અને તે ધીમે ધીમે ગુજરાત તરફની દિશામાં હવે આગળ વધવા લાગતા દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની આંશિક અસરો પણ દેખાવાની શરૂ થઈ ગઈ છે. આ વાવાઝોડું હજુ પોરબંદર જિલ્લા થી 830 કિલોમીટર દૂર છે..

અને તારીખ 11 તેમજ 12 તારીખના રોજ ટકરાય તેવી શક્યતાઓ પણ રહેલી છે, વાવાઝોડાને પગલે રાજ્યના મોટાભાગના બંદર ઉપર સિગ્નલો પણ લગાવી દેવામાં આવ્યા છે. આ સાથે સાથે તાલુકા તેમજ જિલ્લાના ઘણા બધા અધિકારીઓને પોતાનો કાર્યભાર ન છોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે..

આ વાવાઝોડું પાકિસ્તાન તરફની દિશામાં ફંટાઈ ચૂક્યું હતું, પરંતુ આજે સવારે હવામાન વિભાગ તરફથી આવતી નવી અપડેટની અંદર આ વાવાઝોડું ફરી પાછું ગુજરાત તરફની દિશા ધારણ કરીને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે આ વાવાઝોડું 830 કિલોમીટર દૂર છે. અરબી સાગરની અંદર ઉત્પન્ન થયેલું બીપોરજોય નામનુ વાવાઝોડું માંડવી બંદરથી જખો બંદર સુધી ફંટાઈ જાય તેવી આગાહીઓ આપવામાં આવી છે..

આ આગાહીને પગલે તંત્ર સતત થયું છે અને દરેક બીચને 12 તારીખ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે, આ વાવાઝોડાને પગલે જામનગર, માંગરોળ, પોરબંદર, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી તેમજ ઉના અને દ્વારકાના દરિયાની અંદર કરંટ દેખાઈ રહ્યો છે, વલસાડમાં આવેલા તિથલ બીચને સદંતર બંધ કરીને અંદાજે ત્રણ કિલોમીટર સુધી પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે..

આ વાવાઝોડાને પગલે આવનારા પાંચ દિવસમાં ભેજવાળું વાતાવરણ સર્જાઈ શકે છે, જેના પગલે તારીખ 10, 11 અને 12 ના રોજ 80 થી 100 કિલોમીટર સુધીનો પવન ફૂંકાશે. આ ઉપરાંત બીપોરજોય વાવાઝોડું તીવ્ર થયું તો પવનની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકની પણ થઈ શકે છે..

આ સાથે સાથે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે, હવામાન વિભાગના ડિરેક્ટર મનોરામાં મોહન્તીએ જણાવ્યું છે કે, આ વાવાઝોડું જખો તરફ ફંટાવાને કારણે કચ્છ તેમજ ગુજરાતના દરિયાકિનારોના વિસ્તારમાં વાવાઝોડાનું ચિંતાનું પ્રમાણ વધી ગયું છે..

આ વાવાઝોડું ધીમે ધીમે નજીક આવ્યું છે, અને તેને પોતાની દિશા ફેરવી નાખવાને કારણે વાવાઝોડું તીવ્ર બની ગયું છે. અત્યારે પોરબંદરમાં બે નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે તાપમાનમાં પણ ઘટાડો થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે..

વાવાઝોડાને પગલે આવનારા કેટલાક દિવસો પસાર કરવા ખૂબ જ ભારે પડી જશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, આ વાવાઝોડાને પગલે આવનાર 5 દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ પૂરે પૂરી શક્યતાઓ રહેલી છે. કેન્દ્રમાંથી મળેલી હવામાનની સુચનાને પગલે વાવાઝોડા સામે રક્ષણ મેળવવા માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *