Breaking News

વરસાદી સીઝનમાં ખેડૂત ખાસ ચેતજો, નહીતો જીવ જતા 2 સેકન્ડની પણ વાર નહી લાગે, રુંવાડા બેઠા કરતો બનાવ આવ્યો સામે..!

ખેતી એક એવો વ્યવસાય છે કે જેમાં ડગલેને પગલે જીવને ખૂબ જ જોખમ રહેલું હોય છે. કારણ કે ખેતી કરનાર દરેક વ્યક્તિઓને કોઈપણ સમયે ખેતરે જવું પડતું હોય છે. કેટલીક વખત રાતના સમયે ખેતરે જવાથી વન્ય પ્રાણીઓ તેમજ ઝેરી જીવ જંતુઓના ડંખનો ડર રહે છે. આ સાથે સાથે વરસાદી સિઝનમાં નદી નાળા પાર કરીને ખેતરે જવામાં જીવને જોખમ રહેલું હોય છે..

આ ઉપરાંત ભારે વરસાદમાં વીજળી ત્રાટકવાની કારણે તેમજ કોઈ ચીજ વસ્તુઓના કરંટ લાગવાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હકીકતમાં આપણા દેશના ખેડૂતોને સલામ છે કે, તેઓ ઘણી બધી મુશ્કેલીઓ સહન કરીને સમગ્ર દેશને અન્ન પૂરું પાડે છે.

જુદા જુદા જીલ્લાઓમાંથી મેઘરાજાના આગમનની સાથે વીજળી પડવાના તેમજ ખેતરમાં પાણી ભરાઈ જવાના અને વરસાદી પાણીના ભરાવાથી જળાશયો તેમજ નદી-નાળામાં ડૂબી જવાના બનાવો સામે આવી ચુક્યા છે. જામનગરના જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં નિમેષ ગગજીભાઈ ગોલતર નામના યુવક રહે છે..

તેઓ પોતાના પરિવારજનો સાથે રહે છે. અને ગામના આવેલા પોતાના ખેતરમાં ખેતી કામ કરીને પરિવારનું જીવન ગુજારે છે. તેઓની ઉંમર 40 વર્ષની છે. તેઓ ખેતીના કામ હોવાને કારણે ક્યારેક રાત્રે પણ ખેતરે કામ માટે જતા હતા. તો ક્યારેક વહેલી સવારે પણ જવું પડતું હતું. તેઓ એક દિવસ સવારે પોતાના ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા માટે જતા હતા..

એ દિવસે અને રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. એટલે કે ખેતરમાં ગોઠણ સમાણા પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત એ દિવસે ઝરમર ઝરમર વરસાદ વરસવાનું ચાલુ જ હતું. તેઓ જ્યારે મોટર ચાલુ કરવા ગયા અને મોટરના સ્ટાટરને અડક્યા અને તેની સાથે જ એકાએક વીજ કરંટ લાગ્યો હતો..

આ વીજ કરંટ લાગતાની સાથે જ તેઓ ઘટના સ્થળે જ ચોંટી ગયા હતા. અને બે સેકન્ડની અંદર ઘટના સ્થળે તેમનું મૃત્યુ થયું હતું. તેઓએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે આટલા મોટા હેવી શોક લાગવાને કારણે તેમનું મૃત્યુ થઈ જશે. જ્યારે આ બનાવની જાણ તેમના ગામમાં રહેતા રાજેશભાઈ બાબુભાઈ ડોડીયાને થઈ ત્યારે તેઓએ આ બાબતની જાણ તમામ ગામના લોકોને તેમજ પરિવારજનો અને જામજોધપુર પોલીસ મથાકે પણ કરી હતી..

પોલીસ તંત્રની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવાન ખેડૂત નિમેષ ગગજીભાઈ ગોલતરને મૃદય અને કબજો લઈ તેના પોસ્ટ મોટા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી. હકીકતમાં ખેડૂતોને માથે ડગલેને પગલે જીવનું જોખમ રહેલું છે. આ પહેલા પણ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલા ડુંગરા ગામમાંથી એક ખેડૂતને કરંટ લાગવાને કારણે મૃત્યુ પામવાનો બનાવ સામે આવ્યો હતો..

જેમાં વિપુલભાઈ અને રીકીનભાઈ નામના બંને ખેડૂત મિત્રો બોરવેલમાં પાણીની મોટર ઉતારી રહ્યા હતા. પરંતુ વીજ વાયર અચાનક જ પાણીના સંપર્કમાં આવ્યા હતા અને તેને અટકેલા વિપુલ ભાઈને ખૂબ જ જોરદાર શોક લાગ્યો હતો. જેના કારણે બે મિનિટની અંદર જ તેમનું મૃત્યુ પામ્યું હતું. આ સાથે સાથે રીકીન ભાઈનું પણ મૃત્યુ થયું હતું.

હકીકતમાં ખેડૂતોને ડગલેને પગલે ખૂબ જ સાવચેતી રાખવી પડતી હોય છે. વરસાદી સિઝનમાં કોઈપણ ઈલેક્ટ્રીક વસ્તુને અડકતા પહેલા તેની સો વખત ખાતરી કરી લેવી જોઇએ કે તેને અડકવાથી કરંટ તો નહિ લાગે ને..? કામ કરવામાં ભલે થોડી ઘણી વાર લાગે પરંતુ જીવને જોખમ ન રહે એ પ્રકારે ખેતરમાં કામ કરવું જોઈએ. જેથી કરીને આ પ્રકારના બનાવો સામે ન આવે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *