કોઈને કોઈ કારણસર જે તે વ્યક્તિ દુખી રહે છે. જીવનમાં દુખ અને સુખ તો આવતા રેહવાના છે. દુઃખના ગમમાં ડૂબેલું રેહવાને બદલે શાંતિથી મોજ કરીને જિંદગી જીવવી જોઈએ. પરતું કેટલાક લોકો દુખી જિંદગીથી કંટાળીને આપઘાત કરી લેતા હોઈ છે. જે ખુબ જ ખોટું પગલું છે. હાલ કુશીનગર જિલ્લામાં એક હ્રદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે.
જીલ્લાના સોહરાના ગામમાં બપોરના સમયે 27 વર્ષનો પપ્પુ ઘરની બહાર નીકળીને રેલવે લાઇન પાસે દોડવા લાગ્યો હતો. પાછળ પાછળ તેની વડીલ માતા પણ દોડવા લાગી હતી. કદાચ આ માતાને અંદાજો આવી ગયો હશે કે તેનો દીકરો કૈક ખોટું કરવા જઈ રહ્યો છે. તેને જોઈ તેની માતા પણ પાછળ-પાછળ દોડતી ત્યાં પહોંચી ગઈ.
આ દ્રશ્ય જોતા જ લોકોએ પોતાના વાહનો થોભાવી દીધા અને જોવા લાગ્યા કે આખરે આ શું થઈ રહ્યું છે. આ યુવકની વડીલ માતા બોલતી હતી કે ઉભો રેહજે… તું ક્યા જા છો.. તું ઉભો રેહજો… માતાની બુમો સંભળાતી રહી અને અચાનક જ ટ્રેન ત્યાંથી પસાર થઈ એ વેળાએ પપ્પુએ ટ્રેન નીચે કુદીને આપઘાત કરી લીધો હતો..
માતાની નજર સામે તેના લાડકા દીકરાનું કરુણ મોત થયું હતું. આ બનાવ એટલો ગંભીર હતો કે જોનારા લોકો પણ આંખો મીંચી ગયા હતા. આ ઉપરાંત તેની માતા તો આ દ્રશ્ય જોતા જ ભાંગી પડી હતી. ટ્રેનની વધારે પડતી ગતીને કારણે યુવક બે ટુકડામાં વહેંચાઇ ગયો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, યુવક છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક રીતે અસ્વસ્થ હતો. પપ્પુની પત્ની બે બાળકો સાથે પિયરમાં રહે છે. જ્યારે પપ્પુના પિતા નંદલાલનું અવસાન થઈ ચૂક્યું છે. તો તેનો નાનો ભાઈ કમાવા માટે ઘરથી બહાર રહે છે. ઘરમાં વૃદ્ધ માતા અને નાના ભાઈની પત્ની સાથે પપ્પુ રેહતો હતો.
યુવકના મોત બાદ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. માહિતી બાદ ઘટનાસ્થળે પહોંચેલા પાદરાના જીઆરપી ચોકીના ઈન્ચાર્જ અવધેશ કુમાર તિવારી અને તેમના સહયોગીઓએ મૃતદેહનો કબજો લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોકીના ઈન્ચાર્જે જણાવ્યું કે પરિવારના સભ્યોએ જણાવ્યું કે યુવક છેલ્લા બે-ત્રણ દિવસથી માનસિક રીતે પરેશાન હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]