દરેક માતા-પિતાને તેમના દીકરાને દીકરીઓને ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડગલેને પગલે તેમને સાવચેત કરવા પડે છે. અને જરૂર પડે તેમને ઠપકો પણ આપવો પડતો હોય છે. પરંતુ અત્યારે કેટલાક દીકરા અને દીકરીઓ તેના માતા પિતાનું કહ્યું માનતા નથી અને પછી પાછળથી પછતાવાનો વારો આવે છે..
અમીરગઢ પાસે આવેલા ભીંજીપુરની નજીકથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં રહેતા અનુપમભાઈનો દીકરો એવા રવાડે ચડી ગયો હતો કે, તેને પરત વાળવો પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. તેનો દીકરો ધોરણ 12નો અભ્યાસ કરે છે. તે જ્યારે ટ્યુશનને જતો હતો ત્યારે તેના ઘરેથી કુરકુરીયા ખરીદવા માટેના બહાને તેની માતા પાસેથી પૈસા લઈને જતો હતો..
તે રોજબરોજ ઘરેથી પૈસાની માંગણી કરતો હતો અને જુદી-જુદી ચીજ વસ્તુઓ લેવાના બહાને ઘરેથી પૈસા લઈ લેતો હતો અને ત્યારબાદ તે ટ્યુશનને બદલે તેના મિત્રો સાથે રખડપટ્ટી કરવા ચાલ્યો જતો હતો. એકનો એક જુવાન દીકરો પ્રતિક ટ્યુશને જવાને બદલે એવી સંગતમાં ફસાઈ ગયો હતો કે, તે નશાકારક ચીજોના રવાડે ચડી ગયો હતો..
તે ઘરેથી પૈસા માંગીને લાવતો અને એ પૈસાથી એક અજાણી જગ્યાએ જઈ તેના મિત્રો સાથે નશો કરતો હતો. જ્યાંરે તેના પિતાને શંકા ગઈ ત્યારે એક વખત હતો. તેના માતા પિતા બંને તેના દીકરાનો પીછો કર્યો હતો કે, તેનો દીકરો ક્યાં જાય છે અને શું કરી રહ્યો છે, તેનો દીકરો બપોરના સમયે ટ્યુશનએ જવા માટે નીકળ્યો હતો..
અને ઘરેથી કુરકુરીયા ખાવા માટે પૈસા જોઈએ છે. તેમ કહીને તેના મા બાપ પાસેથી પૈસા પણ લીધા હતા. પરંતુ તેમનો દીકરો ટયુશને જવાને બદલે એક સોસાયટીના પાછળના ભાગે આવેલી અવાવરુ જગ્યા ઉપર તેનો મિત્રો સાથે ગયો હતો અને ત્યાં બેસીને તે નશો કરતો દેખાયો હતો. પોતાના દીકરાને હાલતમાં જોઈને અનુપમભાઈએ અને તેમની પત્ની બંનેના હોશ છૂટી ગયા હતા..
અને આંખના ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. તેઓ વિચારવા મજબૂર બન્યા કે, તેઓ તેમના દીકરાને ખૂબ જ સારું અને હોશિયાર માની રહ્યા હતા. પરંતુ તેમનો દીકરો ખરાબ સંગતને કારણે એવી પ્રવૃત્તિની અંદર ચાલ્યો ગયો છે કે, તેમાંથી બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે..
તેમણે તરત જ ત્યાં હાજર થઈને તેમના દીકરાને પકડીને ઘરે લઈ આવ્યા હતા અને સમજાવ્યો હતો કે આ બધી ખરાબ સંગત મૂકી દેવી જોઈએ અને ભણવામાં ધ્યાન આપવું જોઈએ. પરંતુ તેમનો દીકરો માનવા માટે તૈયાર હતો નહીં અને તે તેના મિત્રો સાથે છે રહેવા ઇચ્છતો હતો.
આ ચોંકાવતી ઘટના સામે આવ્યા બાદ સૌથી વાલીઓ કહેવા લાગ્યા છે કે, દરેક વાલીએ પોતપોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. આવનારો સમય આ બાળકો માટે કેવો સાબિત થાય તે કોઈ વ્યક્તિ કહી શકતો નથી. એટલા માટે માં-બાપે આપેલા સંસ્કારો ઉપર જ દીકરા કે દીકરીઓ ચાલે અને પોતાનું તેમજ માં-બાપનું નામ રોશન કરે એ ખુબ જ જરૂરી બની ગયું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]