Breaking News

‘તું કેમ ફોન પર વાતો કરે છે’ કહીને વિધવા મહિલાને 4 લોકોએ ગડદાપાટુંનો માર માર્યો, અચાનક જ સાસુ આવી જતા પછી તો…!

મહિલાઓ સાથે બનતી ઘટનાઓને કારણે અનેક વખત ખૂબ જ મોટા પ્રકારની મુશ્કેલીમાં લોકો મુકાઈ જતા હોય છે. આ પ્રકારની ઘટનાઓમાં કેટલીક વખત નક્કી કરવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે કે, ઘટના દરમિયાન ગુનો કોના દ્વારા કરવામાં આવ્યો છે, અથવા તો કઈ વ્યક્તિનો વાંક રહેલો છે..

જ્યારે મહિલાઓ સાથે પણ બનાવની ઘટના અથવા તો બળજબરી થવાની ઘટના સામે આવે છે. ત્યારે પોલીસ તંત્ર પણ સફાળું બેઠું થઈ જતું હોય છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયમાં બનેલ ઘટનાના ધારણ રૂપે જો વાત કરવામાં આવે તો શહેરી વિસ્તારમાં તો નાગરિકોની જાગૃતતાને કારણે તાત્કાલિક ધોરણે ફરિયાદ દ્વારા તેનું નિવારણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો જ હોય છે..

પરંતુ જ્યારે આવા પ્રકારની ઘટના કોઈ નાના અંતરિયાળ ગામોમાં બનવા પામતી હોય છે. ત્યારે તેનો નિવારણ અથવા યોગ્ય ન્યાય અને આરોપીને સજા આપવામાં ખૂબ જ સમય પણ વ્યતિક થઈ જતો હોય છે. હાલમાં એવી જ એક ઘટના સામે આવી છે. જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો આ ઘટના વિસનગર તાલુકાના હસનપુર ગામમાં બનવા પામી છે..

હસનપુર ગામમાં એક વિધવા મહિલા વસવાટ કરતી હતી. જે પોતાનું જીવન નાની મોટી રોજી રોટી દ્વારા પસાર કરી રહી હતી એવામાં મહિલાને ગામના આનંદજી રાજુજી ઠાકોર, રાજુજી બલાજી ઠાકોર, સોનલબેન ગાભાજી ઠાકોર તેમજ કમીબેન સુરેશજી ઠાકોર કહેવા લાગ્યા હતા કે, તમે વિક્રમજી બાલાજી સાથે કેમ ફોન ઉપર વાત કરતા રહો છો…?

‘તમે વારંવાર કેમ વિક્રમજી સાથે વાત કરો છો’ એમ કહીને અપશબ્દો પણ બોલ્યા અને આટલે જ વાતને અટકી આ મહિલાને ગડદા પાટાનો માર પણ મારવામાં આવ્યો છેલ્લે તો જમણા હાથે ધક્કો મારી દીધો હતો. જેથી મહિલા ખૂબ જ જોરમાં બૂમાબૂમ કરવા લાગી હતી. એવામાં સાસુ ત્યાં પહોંચી જતા જ તેને છોડાવી લીધી હતી અને પછી તો કહ્યું હતું કે..

જો તો વિક્રમજી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખીશ તો તને જાનથી પણ મારી નાખીશું એમ કહીને જાનથી મારવી નાખવાની ખૂબ જ મોટી ધમકી પણ આપી હતી. મારે એટલો ગંભીર રીતે મારવામાં આવ્યો હતો કે, મહિલાને ખૂબ જ ભારે પ્રમાણમાં ઈજા પહોંચતા જ 108 બોલાવી સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી..

ત્યાંથી વધુ સારવાર કરવા માટે મહેસાણા સિવિલમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરથી વિચારી શકાય કે લોકો દ્વારા તેને કેવો મારવામાં આવ્યો હશે. એ તો મહિલાના બૂમાબૂમ થવાથી સાસુના આવી જવાને કારણે તે છૂટી ગઈ હતી. બાકી તો પરિણામ ખૂબ ગંભીર પણ આવી શકે આમ મહિલાને એક જ સાથે ચાર લોકોએ ગડદા પાટોનો માર મારી મારીને જાનથી મારી નાખવા સુધીની ધમકી આપી દીધી હતી..

આ ધમકીને કારણે જ મહિલાએ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારનો વધુ વિચાર કરી આ વિના આનંદજી રાજુજી ઠાકોર, રાજુજી બલાજી ઠાકોર, સોનલબેન ગાભાજી ઠાકોર તેમજ કમીબેન સુરેશજી ઠાકોર સામે વિસનગર ખાતે આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે. આ ઉપરાંત પોલીસે પણ મામલાની ગંભીરતાને સમજીને આ ચારેય લોકો સામે પોલીસે ફરિયાદ નોંધીને આગળની કામગીરી શરુ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *