Breaking News

‘તું ભિખારીની ઓલાદ છે અને તને છોકરા જણતા આવડતું નથી’ કહીને માથાભારે સાસુએ વહુને કાઢી મૂકી, અને વહુએ અંતે ભર્યું આ પગલું..!

ઘણી વખત એવા સમાચાર પણ સામે આવે છે કે, જેમાં સાસરીયા વાળાના ત્રાસને કારણે કેટકેટલી પરણીતાઓ ખૂબ જ પીડાય છે. આ પીડા તેમનાથી સહન ન થતા અંતે તેઓ આપઘાત પણ કરી લેતા હોય છે. અત્યારે ખેડા નડિયાદના ઠાસરા તાલુકાના કોટલી ડોરા પાસે આવેલા બોડી ગામમાં મહિલા સાથે ખૂબ જ મોટો અણબનાવ બન્યો છે..

તેના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલાં વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્નના દોઢ વર્ષ સુધી તો લગ્નજીવન ખૂબ જ સારું ચાલ્યું પરંતુ ધીમે ધીમે સાસરિયાંઓનો અસલી રંગ સામે આવવા લાગ્યો હતો. ઘરના કામકાજને લઈને અવારનવાર તેની સાસુ તેને મહેણા ટોણા મારતી અને કહેતી કે તું તારા પિયર માંથી અમારા ઘરને શોભે તેવું કોઈ પણ વસ્તુ લાવી નથી..

આ ઉપરાંત તુ ભિખારીની ઓલાદ છે, તેમજ તું દીકરાને પણ જણતી નથી, અને તું વાંજીયણ પણ છે. આ સાથે સાથે ન જ બોલવાના શબ્દો પણ અવારનવાર બોલતી હતી. આ સાથે સાથે પિયરમાં જો કોઈ સારો કે નરસો પ્રસંગ આવે છતાં પણ પરણીતાને તેના પિયરે જવા દેતા હતા નહીં અને પિયરના વ્યક્તિ સાથે વાતચીત પણ કરવા દેતા હતા નહીં.

આ પરણીતાને પોતાના સાસરે ખુબ જ બંધણીમાં રાખવામાં આવી હતી. સહેજ પણ છૂટી દોરી ન મળતા પરણીતા ખૂબ જ કંટાળી ગઈ હતી. કારણ કે ડગલેને પગલે મહેણા ટોણા સાંભળવા કોઈ પણ વ્યક્તિ માટે સહેલું કામ નથી. તેનો પતિ પણ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. તે અવારનવાર તેની પત્ની ઉપર શંકા રાખતો અને દારૂ પીને ઢોર મારતો..

આ ઉપરાંત એક દિવસ તો તેણે બોલાચાલી કરીને પહેરેલા કપડે જ ઘરમાંથી કાઢી મૂકી હતી. અને જણાવ્યું કે અમારે તબેલો બનાવવો છે. એટલા માટે પૈસાની જરૂર છે, તું તારા પિયર માંથી પૈસા લઈને આવજે, જો તું પીયરમાંથી પૈસા લઈને નહીં આવે તો તને ઘરમાં ગરવા નહીં દઉં આ ઉપરાંત જાન થી મારી નાખવાની પણ ધમકીઓ આપી દીધી હતી..

લગ્નજીવન બગાડવા લાગ્યું અને પરણીતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. તે છેલ્લા એક વર્ષથી પોતાના પિતા સાથે જ રહે છે. સમાજના આગેવાનોએ પણ આ લીગના જીવનને ફરી વખત જોડવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સાસરીયા વાળા લોકો વટે ચડ્યા હતા અને પરણીતાનો કોઈ પણ મુદ્દો માનવા માટે તૈયાર હતા નહીં..

પરણીતાએ અંતે ડાકોર પોલીસ મથકે હાજર થઈ પોતાના પતિ તેમજ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવીને તેમને સીધાદોર કરવાની કામગીરી શરૂ કરી છે. જો પતિ પત્ની કે સાસુ સસરા સાથે ખૂબ જ સારું વર્તન રાખવામાં આવે તો ક્યારેય વાંધો આવતો નથી. પરંતુ દિન પ્રતિ દિન એકબીજાની ખોટકા ખાપણ કાઢી મહેણા ટોણા મારવા અને આ મેણા ટોણા ને સહન કરવાની તાકાત હર કોઈ વ્યક્તિમાં હોતી નથી. જેને કારણે પરિવારમાં હંમેશા ડખાવો વધવા લાગે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *