Breaking News

‘તું અપંગ અને વાંઝણી છે’ તેમ કહીને સાસરીયાવાળા સતત ત્રાસ પહોચાડતા, રોજની માથાકૂટથી કંટાળીને પરણીતાએ ભરી લીધુ મોટું પગલું..!

રોજ રોજ કેટલી બધી પરણીતાઓ પોતાના સાસરિયાના લોકોનો ત્રાસ સહન કરી રહ્યો છે. જ્યારે ઘણા બધા સાસરિયાવાળા પણ તેમના ઘરે આવેલી નવી પુત્ર વધુનો ત્રાસ સહન કરતા હોય છે. જુઓ બંને બાજુથી સરખો પ્રતિભાવ મળે તો ક્યારેય ઘરેલું મામલામાં ઝઘડા થતા નથી અને પરિવાર એકદમ સુખ શાંતિથી રહે છે..

તેમજ આવા પરિવારની પ્રગતિ પણ ખૂબ વધારે થાય છે. પરંતુ જે ઘરમાં રોજ રોજ ઝઘડો ચાલતા હોય એને એકબીજાના મન જુદી રીતે ઘર ચલાવવાની વિચારધારા રાખતા હોય તેવા લોકો સવારના વારો ઝઘડાઓનો ભોગ બનતા હોય છે. ગઈકાલે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વસંતીબેન નામની એક મહિલા રહે છે..

તેના 2017માં છુટાછેડા થઈ ગયા હતા અને ત્યારબાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ નામના યુવક સાથે તેમના લગ્ન થયા હતા. વિપુલભાઈ સાથે લગ્ન કરીને તેઓએ નવું લગ્નજીવન શરૂ કર્યું હતું. પરંતુ લગ્ન થતાંની સાથે તેમના સાસરિયાવાળા તેમને મહેનતણા મારતા અને કહેતા કે તું અપંગ છે. તેમજ વાંજણી છે..

છતાં પણ અમે તને રાખીએ છીએ એમ કહીને વસંતીબેનને મેણા મારીને સૌ કોઈ લોકો હેરાન ગતિ પહોંચાડતા હતા. વસંતી બહેનને પોતાની બહેન પાસેથી પૈસા ઉધાર લીધા હતા. તેમજ આ પૈસાથી તેઓએ સાબરમતી વિસ્તારમાં નવું ઘર લીધું હતું. જ્યાં તેમાં બાળક અને પતિ સાથે રહેવા માટે ચાલ્યા ગયા હતા.

પરંતુ તેનો પતિ અવારનવાર લઈને મારતો અને ઝઘડો કરીને ત્રાસ પહોંચાડતો હતો. આ ઉપરાંત ઉછીના લીધેલા પૈસાની માંગણી કરનાર લોકો પણ વારંવાર તેને ત્રાંસ પહોંચાડવા આવી જતા હતા. આ તમામ બાબતોથી કંટાળી જઈને વસંતીબેન એક દિવસ સુસાઈડ નોટ લખી હતી અને ત્યાર બાદ ઘરમાં આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો..

તેઓએ સુસાઈડ નોટમાં જે શબ્દો લખ્યા હતા તે સાંભળીને સૌ કોઈ લોકોની આંખ પહોળી થઈ ગઈ હતી. કારણ કે તેઓએ સુસાઈડ નોટમાં લખ્યું કે મારા મૃત્યુના પાછળ મારો પતિ તેમજ પૈસાની ઉઘરાણી કરવા આવેલ લોકો જવાબદાર છે. આ ઉપરાંત તેઓએ લખ્યું હતું. કે મારી લાજ મારા સાસરીયાઓને ક્યારેય પણ સોંપતા નહી. હું એકદમ લાવારીસ છું..

મને ક્યારેય પણ મારા પતિએ સપોર્ટ કર્યો નથી. તે વારંવાર મને કહે તો કે હું તને મૂકીને જતો રહીશ. તેમ કહીને ત્રાસ પહોંચાડતો હતો. આ ઉપરાંત તેની બહેન ચેતના અને જૈમીન બંને પાસેથી પૈસા લીધા હતા એટલા માટે તે ઉઘરાણી કરીને પણ હેરાનગતિ પહોંચાડતા હતા. આ તમામ બાબતોથી કંટાળી જઈને હું આપઘાત કરી રહી છું. એમ કહીને તેને આપઘાત કરી લીધો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *