Breaking News

ટ્રક-બસનો અકસ્માત થતા બસમાં આગ ભભૂકી ઉઠી, ઊંઘી રહેલા 11 લોકો જીવતા જ ભડથું થઈ જતા ગુંજી ઉઠી મરણચીસો… કાળજા ધ્રુજાવતો અક્સ્માત..

આજે વહેલી સવારે એક કાળમૂખી ઘટના બની છે કે, જેમાં કુલ 11 લોકોનું જીવતા જ ભડથું થઈ ગયું છે. તો 38 લોકો ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના મહારાષ્ટ્રના નાસિકની છે. જ્યાં વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યે આસપાસ બસ અને આઇસર વચ્ચે ભયંકર અકસ્માતની ટક્કર જામી હતી..

આ અકસ્માત એટલો બધો ભયંકર હતો કે બંને વચ્ચે અથડામણ થતાની સાથે જ ટ્રકની ડીઝલ ટેન્ક તૂટી પડી અને તમામ ડીઝલ બસ ઉપર છંટાઈ ગયું હતું. આ સાથે સાથે ઘર્ષણ થતા જ બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બસની અંદર 50 કરતાં વધારે લોકો સ્લીપિંગ સોફામાં સૂઈ રહ્યા હતા.

એવામાં અચાનક જ અકસ્માત થતા કેટલાક લોકો જાગી ગયા તો કેટલાક લોકો સુતેલા ને સુતેલા જ રહ્યા હતા. ડીઝલના છાંટા બસ ઉપર ઊડ્યા હતા અને ઘર્ષણને કારણે બસના આગળના ભાગે આગ લાગી નીકળી હતી. અને પાંચ જ મિનિટની અંદર હજુ બસમાં બેઠેલા લોકો વિચારે કે શું થયું છે..

ત્યાં તો આગ એટલી બધી ફેલાઈ ચૂકી હતી કે, લોકો જીવ બચાવવા માટે બસમાં ભાગમદ દોડ મચાવી દીધી હતી. કુલ ૩૮ કરતાં વધારે લોકો બસમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને હેમખેમ રીતે બારીમાંથી કૂદીને જીવ બચાવ લીધો હતો. જ્યારે 11 લોકો સૂતેલી ઊંઘમાં જ ભડથું થઈ ગયા હતા.

સવારના 4:30 વાગ્યે આ ઘટના બની હતી. ત્યારે મદદ માટે પણ આસપાસ થી કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં. હેમખેમ રીતે કેટલાક લોકો બચીને બહાર આવ્યા અને ફાયર બ્રિગેડના અધિકારીઓને ફોન કરીને ઘટના સ્થળે બોલાવ્યા હતા. ફાયરના અધિકારીઓનું કહેવું છે કે, ડીઝલ ટેન્કમાં ભડાકો થવાને કારણે આ બસમાં આગ લાગી નીકળી હતી..

આ ઘટનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મૃતક વ્યક્તિના પરિવારોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય આપવાનું જણાવ્યું હતું. તો જે લોકો ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમની હોસ્પિટલની સારવાર પણ સરકારી રૂપિયા થશે તેવું જણાવી દીધું હતું. આ ઉપરાંત આ અકસ્માતને લઈને ગંભીર કાર્યવાહી પણ કરવામાં આવશે..

હાલ 38 લોકોની જાગ્રસ્ત ની યાદી બની છે અને તેમાંથી પણ મૃત્યુ આંક વધી શકે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. અકસ્માતનો ભોગ બનનાર પૂજાબેન ચૌહાણ જણાવ્યું છે કે, તેઓ તેમના બંને બાળકો સાથે આ બસમાં સફર કરતા હતા. તેઓ જ્યારે સુતા હતા ત્યારે અચાનક જ લોકોની ભાગદોડ નો અવાજ સાંભળ્યો અને તેઓએ જોયું તો બસના આગળના ભાગે આગ લાગી નીકળી હતી..

પૂજાબેનની પાસેની બારીમાંથી તેઓએ પોતાના બંને બાળકો સાથે બહાર છલાંગ લગાવી દીધી હતી. અને તેમનો જીવ બચી ગયો છે. તેઓએ જણાવ્યું કે, જો થોડું પણ મોડું થાય તો આજે તેમનો જીવ પણ ચાલ્યો ગયો હોત. આ ઉપરાંત અનિતા ચૌધરી નામની મહિલાએ જણાવ્યું છે કે, જ્યારે બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી..

ત્યારે તેઓ ઉપરની સીટ ઉપરથી નીચે પડી ગયા હતા. અને તેમની ઊંઘ માંથી આંખ ખુલ્લી તો જોયું કે આગળના ભાગે આગ ફાટી નીકળી હોય તેવું લાગી રહ્યું હતું. તેઓ પણ બસની બારીમાંથી કૂદી ગયા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ આ બનાવને લઈને સમગ્ર રાજ્યમાં ભારે દુખનો માહોલ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *