પરિવારના કોઈ લાડકા સભ્યોનું મૃત્યુ થાય તેનું દુઃખ પરિવારજનોને માટે જીરવવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે જે વ્યક્તિ સાથે રોજબરોજની લાગણીઓ જોડાતી હોય અને એ વ્યક્તિ સિવાય ઘરમાં સાવ સુનું સુનું લાગતું હોય તેવા વ્યક્તિ અચાનક જ ચાલ્યા જાય તો પરિવારજનો માટે જીવન જીવવું પણ મુશ્કેલ બની જતું હોય છે..
આવી જ એક મુશ્કેલી સામનો કરવાનો વારો ત્રણ બહેનોને આવ્યો છે. કારણ કે તેના સગા એકના એક લાડકવાયા ભાઈનું મૃત્યુ થયું છે. આ બનાવ હકીકત માં બનાસકાંઠાના ધાનેરા તાલુકા માંથી સામે આવ્યો છે. જ્યાં મોહનભાઈ જયસુખભાઈ પટેલ પોતાના પરિવારજનો સાથે રહે છે. તેમના દીકરા પ્રવીણ મોહનભાઈ પટેલનું અકસ્માતમાં મૃત્યુ થયું છે..
પ્રવિણ મોહનભાઈ પટેલ અને જયંતીભાઈ દેવાભાઈ પટેલ નામના બંને યુવકો બાઇક લઈને જઈ રહ્યા હતા. અચાનક જ રસ્તામાં બમ્પ આવી જતા તેઓએ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સ્લીપ મારી ગઈ હતી. જેમાં જયંતીભાઈ દેવાભાઈ પટેલે માથે હેલ્મેટ પહેર્યો હતો એટલા માટે તેમનો બચાવ થઈ ગયો છે..
જ્યારે પાછળ બેઠેલા પ્રવીણભાઈ મોહનભાઈ પટેલને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જાયો ત્યારે તેઓને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ માથાના ભાગે એટલી બધી ગંભીર ઈજા પહોંચી હતી કે, તેને વધુ સારવાર માટે ડીસાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા..
જ્યાં ટૂંકી સારવાર બાદ પ્રવીણ મોહનભાઈ પટેલનું મૃત્યુ થયું હતું. જ્યારે આ ઘટનાના સમાચાર તેમના પરિવારજનોને પહોંચાડવામાં આવ્યા ત્યારે તેમના ઉપર આફતોનું આફ ફાટી નીકળ્યું હતું. કારણ કે રક્ષાબંધન પહેલા જ ત્રણેય બહેનોના એકના એક ભાઈનું મૃત્યુ થયું હતું. ત્રણેય બહેનોએ વિચાર્યું હશે કે, આ રક્ષાબંધન એ તેઓ તેમના ભાઈને રાજી ખુશીથી રાખડી બાંધશે..
અને જન્મો જનમની સાથ સહકાર અને સુરક્ષા પૂરી પાડી ભાઈ બહેનનો અનોખો દાખલો સાબિત કરશે. પરંતુ એ અગાઉ જ તેમના લાડકવાયા ભાઈનું મૃત્યુ થતાં તેઓ ખૂબ જ દુઃખના માહોલમાં વીસરી પડી છે. જ્યારે અન્ય પરિવારજનો પણ ચોધાર આંસુએ રડવા લાગ્યા છે. પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોઈને સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા હતા..
જ્યારે ધાનેરા ગામમાં પણ ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ અગાઉ પણ એક સગી બહેને તેના એક સગા ભાઈને પોતાની નજર સામે જ મૃત્યુ પામતા જોયો છે. આ બનાવ હકીકતમાં બે દિવસ પહેલાનો છે. જેમાં શાળાએથી છૂટીને ઘરે આવ્યા બાદ સગો ભાઈ હોજમાં નાહવા પડ્યો હતો. અને તરતા ન આવડવાને કારણે તે મૃત્યુ પામ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]