હાલમાં લોકો સાથે ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બની રહી છે. જેમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે. આજકાલ માણસોની સાથે-સાથે મૂંગા પશુ પણ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. મૂંગા પશુઓને કરંટ લાગતા તેઓએ પણ જીવ ગુમાવી રહ્યા છે. વરસાદી માહોલમાં વીજ પોલના વાયરોને કારણે ઘણા બધા પશુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં કરંટ લાગવાથી એક ભેંસએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના મહેસાણા જિલ્લામાં બની હતી. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વામજ ફૂલેત્રા રોડ ઉપર આ ઘટના બની હતી. રોડ ઉપર પસાર થતા વાહનને કારણે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી.
એક ટ્રક રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. રોડ ઉપર બાંધવામાં આવેલા ઈલેક્ટ્રીક વાયરો વરસાદીમાં માહોલમાં તોફાની પવનને કારણે નીચા થઇ ગયા હતા. ટ્રક ખૂબ જ ઝડપી સ્પીડમાં ફુલેત્રા રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે ટ્રક ઈલેક્ટ્રીક વાયરમાં ભરાઈ ગયું હતું. જેને કારણે ઈલેક્ટ્રીક વાયર ધડાકા સાથે તૂટી ગયા હતા.
તૂટીને વાયર રોડની બાજુમાં આવેલા વાડામાં બાંધેલા પશુ પર જઈને પડ્યો હતો. વાયરમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કરંટ થતો હતો અને વાયર અચાનક તૂટી જતા વાયર ભેંસ ઉપર પડ્યો હતો. ફુલેત્રા રોડ ઉપર એક રબારીનો વાડો હતો. રબારીનું નામ લાલાભાઇ માલાભાઈ હતું. તેઓ ઘણા વર્ષોથી ભેંસો રાખતા હતા.
તેને પોતાનો ભેંસો બાંધવા વાડો કર્યો હતો. જેમાં તેઓ વર્ષોથી ભેસો બાંધતા હતા પરંતુ એક દિવસ રોડ પરથી પસાર થતા ટ્રકને કારણે ભેસો સાથે આવી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. જેને કારણે ભેસને કરંટ લાગતા ભેસનું તડપીને મોત થયું હતું. ઘટના બનતા વાડામાં હાજર રબારી લાલભાઈ તરત જ ભેસ પાસે દોડી આવ્યા હતા.
તે બુમા બૂમ કરવા લાગ્યા હતા. તે સમયે રોડ પરથી પસાર થતા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ભેસ પરના ઇલેક્ટ્રીક વાયરને દૂર કરે તે પહેલા જે ભેંસએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. આમ અચાનક ટ્રકને કારણે સર્જાઈ ગયેલી દુર્ઘટનાને કારણે એક મૂંગા પશુએ પોતાનો જીવ થોડી જ વારમાં તડપીને ગુમાવ્યો હતો.
લાલભાઈની ભેસ નું મૃત્યુ થઈ જતા લાલભાઈએ જીઈબીના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચાલકને પણ ઉભો રાખવામાં આવ્યો હતો. તેમને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આમ અચાનક મૂંગા પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. વાયરોના કરંટને કારણે ઘણા મૂંગા પશુએ પોતાના જીવ ગુમાવ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]