દરેક શહેરોમાં લુખ્ખા તત્વો કોઈને કોઈ દાદાગીરી લઈને સામે આવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી પોલીસના ડરને કારણે આવા લોકો છુપાઈને બેસી ગયા હતા. પરંતુ હવે પણ પાછા તે બેફામ બન્યા હોય તેવું લાગે છે. કોઈપણ બાબતોને લઈને આ માથાભારે લોકો પોતાની મનમાની કરવા માટે ધાક ધમકીઓ આપીને ડરાવતા હોય છે..
મોરબીના હળવદમાં ગઈકાલે આવો જ એક બનાવો બન્યો છે. હળવદના બસ સ્ટેશન પાસે ગોવિંદભાઈ નામના એક યુવક પોતાની રીક્ષામાં બેઠા હતા. એવામાં ત્રણ લોકો દોડીને ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણ લોકોમાં વિપુલ, હિંમત અને મહેશ સામેલ હતા. આ ત્રણેય યુવકો ને જોઈને ગોવિંદભાઈ કશું બોલે એ પહેલા જ આ ત્રણેય લોકો લાકડાના ધોકા અને લોખંડની પાઇપો લઈને ગોવિંદભાઈ ઉપર તૂટી પડ્યા હતા.
આ હથિયારો વડે ઢોર માર માર્યો હતો. શરીર એ તેમજ માથામાં પણ ઘા માર્યો હતો. જેના કારણે મૂઢમાર વાગયો અને ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા. આ ઉપરાંત તેઓ ગોવિંદભાઈને ગાળો આપવા લાગ્યા અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ ત્રણ યુવકોમાંથી વિપુલ નામનો એક યુવક બોલવા લાગ્યો કે, તે મારા વિરોધ પોલીસમાં અરજી શા માટે કરી છે..?
એમ કહીને જોરથી ગાળો આપવા લાગ્યો અને ઢોર માર મારીને આ ત્રણેય યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. ગોવિંદભાઈ કોઈ પણ બાબત સમજાય પહેલા તેઓને ઢોરમાર મરાયો હતો. તેઓ ખૂબ જ ઈજાગ્રસ્ત થઈ જવાતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હળવદ પોલીસની ટીમને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી..
પોલીસે આ ઘટનાનો ગુનો નોંધીને આ ત્રણેય આરોપીઓને પકડવા માટે જરૂરી ગતિવિધિ આ દરિયાથી પોલીસને વિગત મળી કે ગોવિંદભાઈ વિપુલ અને હિંમત સામે પોલીસ મથકમાં અરજી કરી હતી. આ બાબતનો ખાસ રાખીને આ ત્રણેય યુવકો તેમના પર હુમલો કરવા માટે આવ્યા હતા..
પરંતુ પોલીસ હંમેશા દરેક નાગરિકોની સુરક્ષા માટે કાર્યરત હોય છે. જ્યાં સુધી પોલીસ છે. ત્યાં સુધી આવા લોકોની દાદાગીરી ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં. પોલીસ હાલ ફરિયાદ દાખલ કરી છે. અને આ યુવકોને પકડવા માટે જરૂરી કામગીરી પણ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]