Breaking News

‘તારા માટે ફટાકડા લેતો આવીશ’ તેવું દીકરાને કહીને યુવક નોકરીએ ગયો, સાંજે પરત આવતી વખતે થયું એવું કે પરિવાર દોડતો થયો.. જાણો..!

અત્યારે ઓચિંતા એવા બનાવો બની જતા હોય કે જેને લઇ પરિવારના અન્ય સભ્યો ખૂબ જ ઊંડા આઘાતમાં ચાલ્યા જતા હોય છે. હરિયાણાના ફરીદાબાદથી વધુ એક બનાવ સામે આવી ગયો છે. અહીં મૂળ બિહારનો ઉપેન્દ્ર નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહીને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

આ યુવકનું નામ ઉપેન્દ્ર તિવારી હોવાનું સામે આવ્યું છે. જેની ઉંમર 45 વર્ષની હતી. તે બિહારના સીતામઢી વિસ્તારનો રહેવાસી છે. અને હાલ હરિયાણામાં આવેલી ગેલન નામની કંપનીમાં કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઉપેન્દ્ર ત્રિવેદી સવારે તેના દીકરાને સાથે ખૂબ જ કાલી ઘેલી ભાષામાં વાતચીત કરીને ઘરેથી નીકળ્યો હતો..

તેણે તેના દીકરાને કહ્યું હતું કે દીકરા હું તારા માટે સાંજે ફટાકડા લેતો આવીશ. બિચારો દીકરો તેના પિતાની રાહ જોતો રહ્યો. પરંતુ રાતના 11:00 વાગ્યા છતાં પણ તે નોકરીએથી પોતાના ઘરે આવ્યો હતો નહીં. પરિવારના સભ્યો વિચાર્યું કે, કદાચ દિવાળીનો સમય નજીક આવે છે. એટલા માટે કંપનીમાં વધારે કામ હશે.

જેને લઈ તેને ખૂબ જ મોડું થયું હશે. આ ઉપરાંત એક બાજુ ભારે વરસાદ પણ વરસી રહ્યો હતો. એવામાં પરિવારજનો એવું ઉપેન્દ્રને ફોન કરીને ક્યારે આવશે તેમ પૂછવાની કોશિશ કરી હતી. પરંતુ ઘણા બધા ફોન કર્યા છતાં પણ એક પણ ફોન કોલ ઉપેન્દ્રએ ઉપાડ્યો હતો નહીં. પરિવારને હવે ખૂબ જ ચિંતા થવા લાગી હતી..

કારણ કે રાતના 1:00 વાગ્યે છતાં પણ ઉપેન્દ્ર ઘરે આવ્યો નહીં. તેમજ તેનો કોઈપણ કોન્ટેક્ટ પણ થયો હતો નહીં. આખી રાત ભર તેના પરિવારના લોકો ખૂબ જ હેરાન પરેશાન રહ્યા. પરંતુ બીજા દિવસે સવારે જ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે, 45 વર્ષના ઉપેન્દ્ર તિવારીનું મૃત્યુ થયું છે.

અને તેની લાશ રસ્તા પર મૃત હાલતમાં મળી આવી છે. હકીકતમાં પોલીસ સ્ટેશનમાં સવારમાં ફોન આવ્યો હતો કે, રસ્તા પર આવેલા પાણીની અંદર એક વ્યક્તિની લાશ મળી આવી છે. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરીએ ત્યારે તેના ખીચામાં રહેલા આઇડી કાર્ડની મદદથી તેની જાણ થઈ શકી હતી.

ત્યારબાદ પરિવારના લોકો સુધી પોલીસે કોન્ટેક્ટ કરીને ઉપેન્દ્ર ત્રિવેદીના મોતના સમાચાર તેમને આપ્યા હતા. જ્યારે આ મૃત્યુના સમાચાર પરિવાર જેમણે પોતાની કાને સાંભળ્યા ત્યારે તેઓ એકાએક સ્તબ્ધ થઈ ગયા હતા અને વિચારવા પર મજૂર બન્યા કે, આખરે હસતા ખેલતા યુવકને એવું તો શું થયું હશે કે તેનું મૃત્યુ થઈ ગયું છે..

હાલ આ ઘટનાને લઈને પોલીસને મૃતદેહને કબજે કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પરંતુ તેના મૃત્યુ પાછળ કયા કારણો જોડાયેલા છે. તેને લઈ જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. તેના શરીર પણ એક પણ ઈજા કે ઘા ના નિશાન દેખાઈ આવ્યા નથી.

આ સાથે સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં પોલીસને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે કે, ઉપેન્દ્ર તિવારીને હાર્ટ અટેક આવ્યો છે. અને ચાલુ ગાડીએ જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઉપરાંત વરસાદ ખૂબ જ વધારે હોવાને કારણે તેણે પોતાનો મોબાઈલ ફોન પણ ગાડીની ડીકીમાં મૂકી દીધો હતો..

એટલા માટે તેના પરિવારજનો પણ કોન્ટેક્ટ થઈ શક્યો નહીં અને ચાલુ ગાડીએ જ તેને હાર્ટ એટેક આવી જતા તે પાણીમાં નીચે ઢળી પડ્યો હતો અને તે જ્યાં ઢળી પડ્યો હતો ત્યાં બાજુમાંથી તેની ગાડી પણ મળી આવી હતી. આ અ બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *