કેટલીક પરણીતાઓ સાસરે ગયા બાદ ખૂબ જ સારું લગ્નજીવન પસાર થતું હોય છે. પરંતુ કેટલીક પરણીતાઓને પોતાના સાસુ-સસરા અને પતિની હેરાનગતિને કારણે ખૂબ જ વધારે દુઃખ ભોગવવું પડે છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં શિવાજીપરા ગામ આવેલું છે. આ ગામમાં કાજલબેન ભાવેશભાઈ પતાણી તેમના માતા-પિતા સાથે રહે છે..
તેમના લગ્ન આજથી બે વર્ષ પહેલા પીપળીયા ગામમાં રહેતા ભાવેશભાઈ ઠાકરશીભાઈ પાતાણી સાથે થયા હતા. કાજલબેનના લગ્ન થયા બાદ તેઓ તેના સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. એક મહિનો તેના સાસુ સસરાએ તેમને સારી રીતે રાખ્યા હતા. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે તેના સાસુ સસરાનું અસલી ચહેરો સામે આવવા લાગ્યો હતો..
અને નાની નાની ઘરકામની વાતોમાં પણ ઝઘડો કરતા હતા. સાસુ સસરા કહેતા કે મકાનનું બારણું તૂટી ગયું છે. તું તારા બાપના ઘરેથી પૈસા લઈને આવજે નહીં તો અમારા ઘરમાં પગ મૂકતી નહીં એમ કહીને ત્રાસ પહોંચાડતા હતા. હકીકતમાં નાની-નાની બાબતોને એકબીજા સાથે સમજી વિચારીને સુલજાવી દેવી જોઈએ.
જેને બદલે આમ મહિલાના સાસુ સસરા તેની સાથે ઝઘડો કરવા બેસતા હતા. આ રોજ રોજના ઝઘડાથી કંટાળી જઈને કાજલબેન તેમના પતિ ભાવેશભાઈ સાથે ગોંડલની ક્રિષ્ના સોસાયટીમાં જુદા રહેવા માટે આવી ગયા હતા. ત્યાં તેઓ મકાન ભાડે રાખીને રહેતા હતા લગ્નજીવન દરમ્યાન તેઓ એક દીકરાને પણ જન્મ આપ્યો હતો..
કાલે દીકરો દોઢ વર્ષનો થયો છે. જુદા રહેવા ગયા બાદ પણ હવે તેના પતિની હેરાનગતિ સામે આવી હતી. પતિ રોજ રોજ બહારથી જમીને આવતો હતો અને ઘરમાં જમવા માટે કોઈ ચીજ વસ્તુ લાવતા હતા નહીં. આ ઉપરાંત જ્યારે પત્ની કરિયાણાનો સામાન લાવવા માટે તેમજ ઘરવખરીની અન્ય ચીજ વસ્તુ ખરીદવા માટે પૈસા માંગે તો તેને પૈસા આપતા હતા નહીં એને કહેતા કે તારે જે ખાવું હોય એ ખાજે અને જે સામાન્ય લાવવો હોય એ લાવજે…
પરંતુ પૈસા તારા બાપના ઘરેથી લઈને આવજે. આ સાથે જ અપશબ્દો કહીને ઝઘડો કરતા અને ગાળા ગાળી કરીને ઢીકા પાટાનો માર પણ મારતા હતા. આ તમામ બાબતો સહન ન થતા કાજલબેન તેમના પિતાના ઘરે રહેવા માટે ચાલ્યા ગયા હતા. તેઓ છેલ્લા એક મહિનાથી પોતાના પિયરમાં રહે છે. અને ત્યાં જ ઘર કામ કરે છે.
તેઓ તેમના પિયરમાં તેમના દીકરાને પણ સાથે લઈ ગયા છે. તેઓએ વિચાર્યું કે તેઓ થોડા દિવસ રહેશે તો તેનો પતિ પણ સુધરી જશે અને તેના સાસુ સસરા પણ ઢીલા પડશે. પરંતુ કાજલબેનને તેમનો પતિ છોડીને જતો રહ્યો હતો. તેમજ તેના જેઠાણી પણ સાથ આપતા હતા નહીં. અને તેના સાસુ સસરા તો એટલી બધી હેરાનગતિ પહોંચાડતા હતા કે..
કાજલબેન ને ત્યાં જવું પણ મુશ્કેલ બની જતું હતું. આ તમામ બાબતો અને મહેણા ટોણાથી કંટાળી જઈને અંતે કાજલબેન વિછીયા પોલીસ સ્ટેશનમાં તેના પતિ ભાવેશભાઈ પતાણી તેના સસરા ઠાકરશીભાઈ પાતાણી અને તેમની સાસુ વિજુબેન ઠાકરશીભાઈ પાતાણી સામે ફરિયાદ નોંધાવી છે..
આ ફરિયાદ નોંધાતા તેઓ જણાવ્યું છે કે, તેના સાસરિયાંઓ તેમને સતત ત્રાસ પહોંચાડતા હતા અને મારપીટ પણ કરતા હતા. તેઓએ સૌથી પહેલા મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કર્યો હતો. પરંતુ તેના સાસરિયાંઓની હેરાનગતિ ખૂબ જ વધી ગઈ હતી. જેના કારણે તેઓએ વિંછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]