Breaking News

‘તારા આવ્યા પછી એકય ધંધા સરખા નથી ચાલ્યા’ કહીને પતિ અને દિયરે પરણીતાને ઢોર માર માર્યો, અને પછી તો….

આજકાલ ઘણી બધી પરણીતાઓ પોતાના સાસરીયે જુદા જુદા પ્રકારનો ત્રાસ સહન કરે છે. જો પરિવારજનો હળી મળીને દરેક વાતમાં સહમત થઈને રહેતો ક્યારેય પણ પરિવારમાં ઘરેલુ ઝઘડા થતા નથી. અને એકબીજાના પ્રત્યેક ખટાશ પણ ઉત્પન્ન થતી નથી. પરંતુ જે ઘરમાં હાલતા ચાલતા ઝઘડા ચાલતા હોય તેવા ઘરોમાંથી હંમેશા મોટા બખેડાઓ સામે આવે છે..

હાલ આણંદના સોજીત્રા તાલુકાના વતની અને તારાપુર તાલુકાના એક યુવક સાથે ચાર વર્ષ પહેલા એક મહિલાએ લગ્ન કર્યા હતા. લગ્ન થયા બાદ લગ્નજીવન દરમિયાન તેઓ એક દીકરાને જન્મ પણ આપ્યો હતો. પતિ અને પત્ની તેમજ તેનો દીકરો એક સંયુક્ત પરિવારમાં સાથે રહેતા હતા. આ પરિવારમાં તેમનો દિયર પણ સાથે રહેતો હતો..

પરંતુ જેમ જેમ લગ્નજીવન પસાર થતું ગયું તેમ તેમ સાસરીયા વાળા લોકો ઘરકામને લઈને વારંવાર આ પ્રણિકા સાથે ઝઘડો કરવા બેસી જતા હતા. એક બાજુ આ મહિલા એકલી પડતી હતી. જ્યારે સામેની બાજુ સાસરીયાના તમામ લોકો તેની સાથે બોલાચાલી કરીને કેટલીક વખત તો મારામારી પણ કરવા લાગતા હતા..

એક વખત આ પરણીતા રિસાઈને પિયર પણ આવી ગઈ હતી. પરંતુ સમજાવટ કરીને ફરીવાર તેને તારાપુર સાસરીયે લાવવામાં આવી હતી. તેનો દિયર પણ એવી ખરાબ વિચારધારા ધરાવતો હતો કે, ઝઘડો થતાની સાથે જ તે મારામારી કરવા પર ઉતરી આવતો હતો. આ પરણીતાનો પતિએ આણંદમાં કપડાની ફેરિયો લગાવતો હતો.

અને અપડાઉન પણ કરતો હતો. એક દિવસ સવારે 6:00 વાગ્યા આસપાસ આ પરણીતા જાગી અને થોડા સમય બાદ તરત તેનો પતિ પણ જાગી ગયો હતો. તેના પતિએ તેને ચા બનાવવા માટે જણાવ્યું હતું. પરંતુ એવામાં તેનો પુત્ર જાગી જતા આ પરણીતા તેના પુત્રને સાચવવામાં થોડી વાર લાગી ગઈ હતી..

અને ચા બનાવવામાં થોડું મોડું થઈ ગયું. એમાં તો તેનો પતિ ખૂબ જ ઉગ્ર થઈ ગયો અને જોર જોરથી બુમો પાડી ઝઘડો કરવા લાગ્યો હતો. એટલામાં તો તેનો દિયર પણ ત્યાં દોડી આવ્યો અને આપણને અપશબ્દ કહેવા લાગ્યો અને કહ્યું કે તમે ક્યારેય આ જ સુધી ટાઈમ પર ચા નાસ્તો કે જમવાનું બનાવી આપ્યું નથી..

આ ઉપરાંત સાસરીયા વાળા લોકો પણ ઉશ્કેરાઈ જઈને પરણીતાને બે થી ત્રણ લાફાઓ ચોડી દીધા હતા. તેના પતિએ કહ્યું કે, તું જ્યારથી આ ઘરમાં આવી છે. ત્યારથી તે અમારું ઘર બરબાદ કરી નાખ્યું છે. તે કોઈપણ વ્યક્તિને શાંતિ લેવા દીધી નથી. તેમજ તું જ્યારથી ઘરમાં આવી છે. ત્યારથી કોઈ ધંધામાં બરકત પણ આવી નથી..

આવા શબ્દો કહીને મન ફાવે તેમ ઢોર માર્યો હતો. રોજ રોજના ત્રાસથી કંટાળી જઈને પોતાના પ્યારે આ ઘટનાની જાણ કરી તેના પિયરિયાઓ તાત્કાલિક તારાપુર દોડી આવ્યા અને આ પરણીતાને પોતાના પિયર લઈ ગયા હતા. ત્યારબાદ તેઓએ સોજીત્રા પોલીસ સ્ટેશનમાં તેના સાસરિયાના લોકો સામે ગુનો નોંધાવ્યો છે. રોજ રોજ ઘરેલુ ઝઘડાના બનાવો બધી રહ્યા છે. તેનું એક કારણ પરિવારમાં એકતા ન હોય તે હોઈ શકે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *