Breaking News

તહેવાર ઉજવવા ગામડે ગયેલા પરિવારના બંધ ઘરમાં જ થયું એવું કે બિચારાને આવ્યો આંખો ખુલ્લી રાખી રોવાનો વારો, મચી ગયો હડકંપ..!

અવારનવાર જુદા-જુદા વિસ્તારોમાંથી ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજકાલ લોકો પોતાનો ઈમાનદારીથી ધંધો કરવાને બદલે બીજા લોકોના ઘર અને ઓફિસોમાં લુંટ ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલમાં દિવાળીનો તહેવાર જતાં દરેક લોકો પોતાના વતન પરિવાર પાસે બંધ મકાનો કરીને જતા હતા.

જેમાં ચોર-લૂટેરાઓને આ વાતનો ખૂબ જ મોટો ફાયદો થતો હતો. બંધ મકાનોમાં અવારનવાર ચોરી લૂંટફાટની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે. આવી જે ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના ઠાકર કોલોનીમાં બની હતી. ઠાકર કોલોનીની બહાર બોયઝની પીજી કોલેજ આવેલી છે અને તેમની બાજુમાં આવેલી કોલોનીમાં એક પરિવાર રહેતું હતું.

પરિવાર ભાડેના મકાનમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતું હતું. પરિવારના યુવકનું નામ શ્યામ મનોહર હતું. તેઓ પોતાના બાળકોને દિવાળીનું વેકેશન પડ્યું હોવાને કારણે અને દિવાળીનો તહેવાર રહેતા તેઓ પોતાના પરિવારજનોને મળવા વતને ગયા હતા અને તેમણે પોતાના મકાનને તાળા મારીને મકાન બંધ કરીને ગયા હતા.

તેઓ ભાડેના મકાનમાં રહેતા હતા. તે સમયે ચોર લૂટેરાઓને બંધ મકાનની જાણ થતા મોડી રાતના સમયે તેઓ ધાકડ કોલોનીમાં ઘૂસ્યા હતા અને બંધ મકાનમાં ચોરીના ઇરાદે તેઓ આવ્યા હતા. આસપાસમાં પાડોશીના લોકોને જરા પણ ખબર ન પડે તેવી રીતે તેઓ ઘરના દરવાજાના તાળા તોડીને અંદર ઘૂસ્યા હતા.

અને ઘૂસતાની સાથે જ રૂમમાં રહેલા કબાટના લોક પણ તોડી નાખ્યા હતા. ચોરોએ કબાટમાં સોના-દાગીનાની શોધખોળ કરી હતી. તેમને પોતાને જોતો સામાન મળી જતા રૂમમાં રહેલી એલઇડી લાઇટ કાઢીને લઈને જે દરવાજેથી આવ્યા હતા. તે દરવાજેથી જ બહાર નીકળીને ભાગી ગયા હતા, ત્યારબાદ સવારનો સમય થતા પાડોશીના લોકો ઊઠ્યા હતા.

તેમણે જોયું તો શ્યામ મનોહર ભાઈના મકાનના તાળા તૂટેલા હતા અને તેમનો દરવાજો પણ ખુલ્લો હતો. આ જોતાં જ પાડોશીના લોકોએ તરત જ મકાનના માલિક મનોહરને આ વાત જણાવી હતી. શ્યામ મનોહર તરત જ પોતાના ઘરે આવવા માટે નીકળી ગયા હતા અને પાડોશીના લોકોએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. શ્યામ મનોહરને પોલીસે પૂછપરછ કરતા શ્યામ મનોહર ફોનમાં જણાવ્યું હતું કે તેમણે કબાટમાં 150 ગ્રામ ચાંદી મૂક્યું હતું. જે ચોર-લુટેરા પોતાની સાથે લઈ ગયા હતા. આજકાલ તહેવારો રહેતા ખુશીના માહોલની સાથે સાથે અમુક લોકોને દુઃખનો માહોલ પણ સહન કરવો પડ્યો છે. ડગલેને પગલે આવા કિસ્સાઓ જોવા મળતા હોવાને કારણે દરેક લોકોએ ખુબ ચેતીને રહેવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *