Breaking News

સુતા પહેલા ઘરનો લોખંડનો ગેટ બંધ કરતી મહિલાને કરંટ લાગતા ફંગોળી નાખી, અંતિમ શબ્દ નીકળે એ પહેલા જ આંખો મીંચી દીધી..

ડગલે ને પગલે ખૂબ જ સાવધાની રાખવી પડતી હોય છે. પરંતુ અમુક વાર આપણી સાથે અચાનક જ એવું બની જતું હોય છે કે, તેને ભુલાવવું પણ મુશ્કેલ બની જાય છે. અત્યારે બિહારના ભોજપુર જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશન પાસે આવેલા ધરહારા વિસ્તારમાં ખૂબ જ ચોકાવનારો બનાવો બન્યો છે..

અહીં બસંત શર્મા તેમના પરિવાર સાથે રહે છે. રોજની જેમ તેમનો પરિવાર રાત્રિના સમયે જમ્યા બાદ સુવા માટે જતો હતો. ત્યારે 37 વર્ષની પત્ની અનિતા દેવી એક એવા બનાવવાનો શિકાર બની છે કે, જેના કારણે સમગ્ર પરિવાર માટે ખૂબ જ મોટું દુઃખ આવી પડ્યું છે. ભોજન બાદ તેઓ સુવા જતા હતા..

એવામાં અનિતા દેવી ઘરનો લોખંડનો ગેટ બંધ કરવા માટે ગઈ હતી. તે જેવી લોખંડના ગેટને અડકી કે, તેમાંથી તેને જોરદાર કરંટ લાગ્યો હતો. અને આ કરંટના કારણે તે હવામાં ફંગોળાઈને દૂર પડી ગઈ હતી. આ કરંટ એટલો બધો જોરદાર હતો કે, તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી..

આ ઉપરાંત તેના મોઢામાંથી એક પણ ચીક નીકળે એ પહેલા તો તેણે આંખો પણ નીચી દીધી હતી. તેમના ઘરના ગેટ ઉપરથી એક ઈલેક્ટ્રીક સીટીનો વાયર પસાર થાય છે. આ વાયર તૂટી જવાને કારણે તેનો વીજ પ્રવાહ ગેટમાંથી પસાર થતા હોવાનું સામે આવ્યું છે. અને આ ગેટને અડકતાની સાથે જ અનિતા દેવીને ભયંકર ચોંટ લાગ્યો હતો..

અને ઘટના સ્થળે તેનું મૃત્યુ થયું હતું. માતાનું મૃત્યુ થઈ જતા તેના બંને પુત્ર રણજીત કુમાર શર્મા અને અભિષેક કુમાર શર્મા આ ઉપરાંત તેમની દીકરી પ્રિય કુમારી પણ માતા વિહોણા બન્યા છે. અનિતાનો પતિ બસંત શર્મા ફર્નિચરનું કામકાજ કરીને જીવન ગુજારે છે. અનિતાનું મૃત્યુ થઈ જતા હવે આ ત્રણ બાળકોની સાર સંભાળ કોણ કરશે તે વિચારવા પર સ્નેહીજનો મજબૂર થયા છે..

જ્યારે આ બનાવ બન્યો ત્યારે અનિતા દેવીના ઘરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બનાવને લઈને તમામ સભ્યોની હાલત ખૂબ જ ખરાબ છે. કારણ કે ઓચિંતુ મોત અનિતા દેવીના જીવને ભરખી ગયું છે. આ અગાઉ છેલ્લા બે દિવસની અંદર અંદર કરંટ લાગવાને કારણે મૃત્યુ પામનાર વ્યક્તિઓના બનાવો ખૂબ જ વધી ગયા છે..

ગઈકાલે એક ખેડૂતનું ખેતરે પાણીની મોટર શરૂ કરતી વેળાએ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. તો રાત્રિના સમયે એક પોલીસ કોન્સ્ટેબલનું પણ કરંટ લાગવાને કારણે મૃત્યુ થયું છે. અને હવે અનિતા દેવીનું મૃત્યુનો બનાવ સામે આવતાની સાથે સૌ કોઈ લોકો ભારે દુઃખના માહોલમાં ચાલ્યા ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *