ઘરકામ કરતી વખતે માઠા બનાવો બનવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, પાછળના પંદર દિવસની અંદર ત્રીજી વખતે એવી ઘટના સામે આવી છે કે, જેમાં ઘરકામ કરતી વખતે એક મહિલાનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું હોય. આ વખતે ઘટના સુરતના અમરોલી વિસ્તારમાંથી સામે આવી છે..
અહીં શ્રીજી પૂજન રેસીડેન્સીની અંદર મયુરભાઈ ત્રિવેદી તેમના પરિવાર સાથે રહે છે. મયુરભાઈ ફેબ્રિકેશનનો ધંધો કરે છે. તેઓ શ્રીજી પૂજન રેસીડેન્સીના પાંચમા માળે તેમની પત્ની કિંજલની સાથે રહે છે. તેઓ મૂળ ગીર સોમનાથ જિલ્લાના બંધારડ ગામના વતની છે. પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો..
પરંતુ એક દિવસ સવારના સમયે એવી ઘટના બની જવા પામી છે કે, આ ઘટના બન્યા બાદ પરિવારજનોના આંખમાંથી આંસુ સુકાઈ રહ્યા નથી. મયુરભાઈની 26 વર્ષની પત્ની કિંજલબેન સવારના સમયે ઘરની ગેલેરીમાં કપડાં સૂકવી રહી હતી. ત્યારે અચાનક જ દોરી તૂટી જતા પાંચમાં માળેથી તેઓ નીચે પટકાઈ ગયા હતા..
આ ઘટના આટલી બધી ચોંકાવનારી હતી કે, દ્રશ્યને નજરે જોનારા લોકો તો પોતાની આંખો મીચી ગયા હતા. તેઓ ખૂબ જ વધારે ઇજાગ્રસ્ત થઈ ગયા હોવાથી તેમને તરત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા..
પરંતુ ચાલુ સારવાર દરમિયાન જ તેમનું મૃત્યુ થઈ ગયું છે. આ ઘટનાને લઈને પરિવારજનો ખૂબ જ ઊંડા દુઃખની અંદર ચાલ્યા ગયા છે. તેમ જ સગા સંબંધીઓમાં પણ મોતનો માતમ છવાઈ ગયો છે. આ અગાઉ પણ સુરતમાંથી જ એક એવી ઘટના સામે આવી હતી કે, જેમાં બાલકની અંદર સાફ-સફાઈ કરતી વખતે ટેબલ ઉપરથી નીચે પડી જવાને કારણે એક મહિલા ચોથા માળેથી નીચે પટકાઈ હતી..
અને તેનું માથું ફાટી જતા તેનું પણ મૃત્યુ થયું હતું અને હવે સુરતમાંથી જ વધુ એક આવી હચમચાવી દેતી ઘટના સામે આવતા મહિલાઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થઈ ગયો છે. ઘટનાને જાણ્યા બાદ દરેક મહિલાઓએ ઘર કામ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ એમ ડગલેને પગલે જો ધ્યાન રાખવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખૂબ જ મોટી મુશ્કેલીઓ પણ આવી શકે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]