સોનાના દાગીના પવિત્ર કરી દેવાના બહાને 2 લોકો સાધુનો વેશ ધારણ કરીને કરતા હતા એવું કે જાણીને ટાંટિયા કાંપવા લાગશે, તમે પણ ચેતજો..!

આજકાલ એકબીજાને ચકમો આપીને સમાજમાં લોકો એકબીજા સાથે છેતરપિંડી કરીને બીજા લોકો પાસેથી નાણાં અને સોના-દાગીના પડાવી રહ્યા છે. બીજા સાથે છેતરપિંડી કરીને બીજા લોકોને હેરાન કરી રહ્યા છે. લોકો સોના દાગીના અને રોકડા પૈસા બીજા લોકોને લાલચ આપીને લૂંટી રહ્યા છે. આવા લુટેરાઓ દિવસેને દિવસે બેફામ બનતા જાય છે.

લોકો અવારનવાર આવી ચોરી લૂંટફાટ અને છેતરપિંડીની ઘટનાઓ કરીને બીજા લોકોની જિંદગીને ખરાબ કરી રહ્યા છે. આવી જ એક છેતરપિંડીની ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જુનાગઢ જિલ્લામાં બની હતી. જુનાગઢ જિલ્લાના બાયપાસ રોડ પર આ ઘટના બની હતી. જુનાગઢ જિલ્લાના બાયપાસ રોડ પર એક વ્યક્તિ પોતાના કામે જઈ રહ્યો હતો.

વ્યક્તિનું નામ અરજણભાઈ હતું. તેઓ પોતાની કાર લઈને બાયપાસ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક જુનાગઢ ચોકડી પાસે તેની કારને ઉભી રખાવી હતી. એક વ્યક્તિએ અરજણભાઈને એક સરનામું પૂછવાના બહાને કાર ઉભી રખાવી હતી. સરનામું ખોટું પૂછ્યા બાદ તેણે અરજણભાઈને પોતાની કારમાં એક સાધુ છે.

કારમાં વ્યક્તિ બેઠો હતો તેના દર્શન કરવા કહ્યું હતું. આ નિર્વસ્ત્ર હાલતમાં સાધુ બેઠો હતો. કારમાં બેઠેલ વ્યક્તિએ ઉજ્જૈનના ચમત્કારિક બાબા છે તેમ જણાવ્યું હતું. અરજણભાઈને આ વ્યક્તિએ કહ્યું કે, ‘બાબા ખૂબ જ સારા ચમત્કાર કરી રહ્યા છે’ તેમ જણાવ્યું હતું. તેથી તેના દર્શન કરશો તો તમારું જીવન પાવન થઇ જશે. તમને સમૃદ્ધ કરી દેશે.

આવું કહીને એ બંને વ્યક્તિઓએ અરજણભાઈને ભળવી લીધા હતા. એ બંને વ્યક્તિના નામ નરસીનાથ સમજુનાથ ભાટી અને અમરનાથ નટવરનાથ પઢિયાર હતા. આ બંને યુવકો ગણેશપુરા તાલુકામાં આવેલા દહેગામમાં રહેતા હતા. તેઓ અવારનવાર ચમત્કારિક બાબાની ઓળખ આપીને અનેક વ્યક્તિઓને લૂંટી રહ્યા હતા.

અરજણભાઈને પણ પોતાની લાલચમાં ફસાવીને અરજણભાઈ પાસેથી સોનાનો ચેન, સોનાની વીંટી પવિત્ર કરવાના બહાને 63,000 હજાર રૂપિયા લઇ લીધા હતા અને અરજણભાઈની આ તમામ વસ્તુઓ બાબા મંત્રની વિધિ કરીને ડબલ કરી આપશે તેમ જણાવ્યું હતું. તે માટે અરજણભાઈ પણ આ બાબાની વાતોમાં આવી ગયા હતા.

ત્યારબાદ સોનાનો ચેન, વીંટી અને 63,000 હજાર રૂપિયા લઈને બંને યુવકો ભાગી ગયા હતા. તે માટે અરજણભાઈએ પોતે લૂંટાઈ ગયા હતા. તેથી પોલીસ સ્ટેશનમાંથી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કર્યા બાદ આ બંને યુવકો મદારી ગેમના વ્યક્તિઓ હોય તેવું જાણવા મળ્યું હતું. બંને વ્યક્તિઓ જાદુ કરીને બધા વ્યક્તિઓને પોતાની જાળમાં ફસાવી રહ્યા હતા.

નરસિનાથ તેમજ અમરનાથ બંને વેરાવળથી જુનાગઢ તરફ ગાડીઓ લઈને આવતા હતા. તેઓ બે ગાડી લઈને આવતા હતા. તેથી પોલીસે તેને પકડી પાડ્યા હતા. તેની પૂછપરછ કરી રહ્યા હતા. પોલીસે બંને પાસેથી રોકડા, પૈસા, મોબાઈલ બે કાર અને 4,41,000 ના મુદામાલ જપ્ત કરી દીધો હતો. બંનેની કડક કાર્યવાહી કરી રહી હતી.

કેટલાક લોકો ધર્મના નામે ચરી ખાવાની કોશિશ કરી રહ્યા છે. ભગવો ધારણ કરે એટલે લોકો તેમના પર વિશ્વાસ મુકે છે. પરતું આવા ચોર લુંટારાઓને ઓળખીને પકડી પાડવા જોઈએ અને આવા લોકોથી ચેતીને રેહવું જોઈએ. લોકોની શ્રધ્ધા અને આસ્થા સાથે છેતરપીંડી કરનાર લોકોને કડકમાં કડક સજા આપવી જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment