Breaking News

સીમમાં ભેંસો ચરાવતા વડીલ તળાવમાં પડેલી ભેંસને બચાવવા કુદી ગયા, થોડી વારમાં જ ડૂબી જવાથી મોત થતા પરિવારનો માળો વિખાયો..!

દિન પ્રતિ દિન દરેક ધંધામાં કે, વ્યવસાયમાં જુદા જુદા પડકારો સામે આવે છે. કોરોનાના સમયમાં સૌ કોઈ લોકોના ધંધા બંધ થઈ ગયા હતા અને હવે હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ તેમજ ખેતીની સાથે સાથે પશુપાલન કરતાં વ્યક્તિઓને પણ મોટો પડકારનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે હાલ પશુઓમાં લંપી વાયરસ ફાટી નીકળ્યો છે..

આ વાઇરસને કારણે કેટલાય પશુઓ રોજ રોજ મૃત્યુ પામે છે. ગઈકાલે રાજકોટમાં એક જ દિવસમાં 21 ગાયો મૃત્યુ પામી હતી. જે વ્યક્તિ પશુપાલન સાથે જોડાયેલા હોય તેમના માટે તેમના પશુઓ પરિવારના સભ્યો જેટલી જ કિંમત ધરાવે છે. તેઓ તેમના પશુનું ખૂબ જ ધ્યાન રાખે છે. ડગલેને પગલે સાવચેતીઓ રાખે છે..

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના એક ગામમાં રઘુભાઈ ઉકાભાઇ રાતડીયા છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલનનો વ્યવસાય કરે છે. અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ઉંમર 70 વર્ષની હતી. તેઓ રોજની જેમ સવારમાં પોતાની ગાય અને ભેંસને સાથે લઈને ચરાવવા માટે સીમમાં નીકળી ગયા હતા…

તેમના ગામની સીમની બાજુમાં એક તળાવ આવેલું છે. ત્યાં એક ભેંસ તળાવ તરફ ચાલવા લાગી હતી. રઘુભાઈએ આ ભેંસને બચાવવા માટે અને પ્રયત્નો કર્યા હતા. પરંતુ ભેંસ તળાવના પાણીમાં જતી રહી અને રઘુભાઈ આ ભેંસને બહાર કાઢવા માટે તળાવમાં ઉતરી ગયા હતા. કારણ કે તેમના માટે તેમના પશુઓને બચાવવાએ તેમનું પહેલું કર્તવ્ય હોય છે..

પરંતુ રઘુભાઈનો પગ લપસી જવાને કારણે તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા જેને કારણે તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય લોકોને જાણ થઈ કે રઘુભાઈનું તળાવમાં ડૂબી જવાને કારણે મૃત્યુ થયું છે. ત્યારે ગામના સ્થાનિક લોકો તાત્કાલિકા તળાવે પહોંચ્યા અને રઘુભાઈ ની લાશને બહાર કાઢ્યા બાદ તેમને બાબરાના દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવને લઈને ગામના સરપંચ જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના અગ્રણીઓ પણ બાબરા હોસ્પિટલે દોડી ગયા હતા. જ્યારે તેમના પરિવારજનોને જાણ થઈ કે તેમના પરિવારના મોભીનું મૃત્યુ થયું છે. ત્યારે તેમના માથે આફતોના વાદળ ફાટી નીકળ્યા હતા. જ્યારે ગામમાં ચારેકોર અરેરાટી મચી ગઈ હતી.

રઘુભાઈ એ પણ વાર વિચાર કર્યો હશે નહીં કે, તેઓ તેમની ભેંસને બચાવવા જતી વખતે પોતે જ મૃત્યુ પામે બેસશે. હકીકતમાં રોજ રોજ આવા કેટલા બધા બનાવો સામે આવે છે જે, સાંભળતાની સાથે જ આપણા રૂવાડા એકા એક બેઠા થઈ જાય અને ઊંડા વિચારો વિચારવા પર મજબૂર કરી દે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *