ચોમાસાની સીઝન જરૂર થતા જ રોગચાળા ખૂબ જ વધી જાય છે. જ્યાં જુઓ ત્યાં ઝાડા, ઉધરસ, તાવો ઉલટી તેમજ પાણીજન્ય રોગોમાં ખૂબ જ વધારો થાય છે. આવા સમયમાં દરેક શહેરની મહાનગરપાલિકા અને નગરપાલિકાની ફૂડ વિભાગની ટીમો તેમજ આરોગ્ય વિભાગની ટીમો જુદા જુદા વિસ્તારમાં ચાલતી ખાણીપીણીની લારીઓ તેમજ રેસ્ટોરેન્ટમાં સારી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવે છે કે પછી ખરાબ ગુણવત્તાનો હલકો ખોરાક આપવામાં આવે છે..
તેની તપાસણી કરતા હોય છે. થોડા થોડા સમયે તપાસના ઘણા બધા બનાવો સામે આવે છે. થોડા દિવસ પહેલા જ ખમણ ઢોકળાની તેમજ ભેળની લારીઓ આ સાથે સાથે પાણીપુરી લારીઓ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં અખાદ્ય ચીજ વસ્તુઓના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો અને હવે રાજકોટના મહાનગરપાલિકાના ફુડ વિભાગની ત્રણ ટીમો શ્રાવણ મહિનો શરૂ થતા જ..
શહેરના મણીનગર મેઇન રોડ, કોઠારીયા રોડ, મહુડી રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, કૃષ્ણનગર રોડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગની કામગીરી શરૂ કરી હતી. જેમાં કુલ 52 જેટલા સ્ટોલની ચકાસણી કરવામાં આવી હતી આ તમામ સ્ટોલ પરથી એવો જથ્થો મળી આવ્યો હતો કે..
જે સામાન્ય વ્યક્તિના ખાવાને કારણે શરીરમાં ખૂબ જ ગંભીર બમારીઓ પ્રવેશવાનો ડર રહે છે. આ ઉપરાંત કેન્સર જેવી મોટી બિમારી થવાનો પણ ભય રહે છે. હકીકતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા એ કોઈનો પણનો અધિકાર નથી. કેટલાક દુકાનદારો ગ્રાહકને આકર્ષવા માટે સસ્તો ખોરાક વેચે છે. પરંતુ તેમાં સ્વાસ્થ્ય લક્ષી વસ્તુઓ ઉમેરવામાં આવતી નથી..
તેમજ લોકોના સ્વાસ્થ્યનું કોઈ પણ ધ્યાન રાખવામાં આવતો નથી. અને બે ત્રણ દિવસ જુનો વાસી ખોરાક પણ ખવડાવી દેવામાં આવતો હોય છે. ફુડ વિભાગની આ ટીમે આ તમામ દુકાનોમાંથી કુલ 30 કિલો જેટલો વાસી ખોરાક પકડી પાડ્યો હતો અને તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.
આ સાથે સાથે ખાણીપીણીની લારીઓ તેમજ રેસ્ટોરન્ટના 23 જેટલા સ્ટોલને લાઇસન્સ અને હાઈજેનિક અંગે નોટિસ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત મિનરલ વોટરની કંપનીઓમાં પણ નમુના લેવામાં આવ્યા હતા. ત્યારબાદ રિપોર્ટમાં આ તમામ નમૂનાને ચેક કરવામાં આવ્યા અને જે રિપોર્ટ સામે આવ્યો તે જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા..
કારણ કે આ ડ્રિંકિંગ વોટર લોકોને બીમારીમાં ધકેલી દે તે પ્રકારનું મિશ્રણ જોવા મળ્યું હતું. ભગવતી ફરસાણ, જય સીતારામ ડેરી, મનીષ સ્વીટ માર્ટ, જય દ્વારકાધીશ સિઝન સ્ટોર અને આદિ નાસ્તા હાઉસ નામની દુકાનો માંથી પોલીસે કુલ ૩૦ કિલો જેટલા જથ્થાને પકડી પાડ્યો છે. અને તમામ વાસી જતા ને ના જ કર્યા છે. જ્યારે શહેરના 22 જેટલા જુદા જુદા દુકાનદારોને નોટ કરવામાં આવી છે..
જેમાં કનૈયા પાન, કનૈયા સ્ટોલ, સ્વાદિષ્ટ દાળ પકવાન, મોમાઈ પાન ડીલક્ષ પાન, મોમાઈ ગાંઠિયા મહાદેવ, દાળપૂરા બટાકા વાળા, શિવ શક્તિ મદ્રાસ કેફે, રોયલ હોટ ડોગ, પરેશભાઈ ઘુઘરા વાળા, ટેસ્ટ ફુલ ઘૂઘરા, શિવ શક્તિ ભાજી, મણીલાલ મદ્રાસ કાફે, દિલ્હી વાલે છોલે ભટુરે, માલગુડી ઢોસા સેન્ટર, શિવ શક્તિ લાઇફ ઓફ, હિંગળાજ જનરલ સ્ટોર, મઢૂલી મેડિકલ સ્ટોર, બાલાજી સ્વીટ એન્ડ નમકીન રાધિકા આઈસ્ક્રીમને દિવસ સુધી પાણીપુરીના સ્ટોલ નો સમાવેશ થાય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]