કેટલાક દેખાવમાં ખૂબ જ શાંત સ્વરૂપમાં લાગે છે. પરંતુ તેમના મૂળભૂત કામો જોઈને ભલભલા લોકો હચમચી જતા હોઈ છે. કેટલીક વખત એવું પણ બને છે કે, જે વ્યક્તિ ઉપર મન મૂકીને વિશ્વાસ કર્યો હોય તે વ્યક્તિ જ કોઈ કાળા કામ સાથે જોડાયેલા હોય અને આ કાળાકામના પરદાફાશ થતા જે તે વ્યક્તિ મોઢું છુપાવવાનો વારો આવતો હોય છે..
રાજુલા તાલુકામાં તત્વ જ્યોતિ સોસાયટી આવેલી છે. જેમાં એક માથાભારે મહિના ખૂબ જ મોટા કાળા કામ કરતી હોવાની માહિતી અમરેલી એસોજીની ટીમને મળી હતી. આ મહિલાનું નામ હીનાબેન ગોપાલભાઈ માળી છે. જેની ઉંમર 32 વર્ષની છે. હીનાબેનના પિતાનું નામ શાંતિભાઈ ચૌહાણ છે. હીનાબેન ખૂબ જ ભેજાબાજ મહિલા છે..
અને તેણે પોતાના ઘરેથી જ કાળા કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તે પોતાના ઘરે ગાં.જા જેવી નશાકારક ચીજ વસ્તુઓ રાખતી અને ત્યાંથી તે હેરાફેરી કરતી હોવાની માહિતી પોલીસને મળતા જ પોલીસે આ ઘર નજીકના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. અને ત્યારબાદ ઘર પર છાપો મારીને આ મહિલાને દબોચી લીધી હતી..
પોલીસએ તત્વજ્યોતિના આ મકાન પર દરોડો પડીને તલાસી લીધી અને ઘરની અંદરથી કુલ એક કિલો અને 994 ગ્રામ ગાં.જાનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે સાથે પોલીસે એક મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. પોલીસે કબજે કરેલી તમામ ચીજ વસ્તુઓનું મુદ્દામાલ સાથે કુલ રકમ ₹20,000 હોવાનું સામે આવ્યું છે..
પોલીસે આ તમામ જથ્થો પકડી પાડ્યો છે. આ ઉપરાંત આ મહિલા ખૂબ જ માથાભારે હોવાનું પણ સામે આવ્યું છે. અને આ અગાઉ તેની સામે જુદા જુદા પાંચ ગુનાઓ પણ નોંધાઈ ગયા છે. મહિલા આ સોસાયટીમાં રહી રાજુલા પંથકમાં દારૂની હેરાફેરી અને વેચાણ સાથે પણ જોડાયેલી હોવાની માહિતી પોલીસને મળી છે..
સોસાયટીમાં રહેનારા અન્ય લોકોને સહેજ પણ અંદાજો ન હતો કે હીનાબેન નામની આ મહિલા પોતાના ઘરેથી જ નશાકીય ચીજ વસ્તુઓના કાળાકામ સાથે જોડાયેલી છે. જ્યારે તેઓને જાણ થાય ત્યારે આસપાસ નો પડોશી પણ ખૂબ જ દંગ રહી ગયા હતા. પોલીસ હંમેશા કાળા કામ કરનાર લોકોને માહિતી મેળવીને તેઓને પકડી પાડે છે.. અને આ વખતે પણ પોલીસને માહિતી મળતાની સાથે જ આ મહિલા ને પકડી પાડી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]