અમુક વખત આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સત્ય સાબિત થતું નથી. જ્યારે જ્યારે આવી ઘટના બને છે. ત્યારે ભલભલા વ્યક્તિના માથા ફરવા લાગતા હોય છે કે, આખરે આ કેવી રીતે શક્ય બન્યું છે. અત્યારે કંઈક આવવું જ વિચિત્ર બનાવો સામે આવ્યો છે. ત્રિમૂર્તિ કોલોનીમાં પ્રિયંક જૈન નામનો વ્યક્તિ રહે છે.
તેઓ જગદીશ કોલોનીના મુખ્ય માર્ગ ઉપર એક સ્ટેશનરીની દુકાન આવેલી છે. તેવો ભોપાલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે આ સ્ટેશનરીની દુકાન ઉપર તેમની વડીલ માતા બેસીને વેપાર કરતી હતી. 40 વર્ષના પપ્રિયંક જૈન સાથે આ સ્ટેશનરીની દુકાનમાં એવી ઘટના બની છે કે, શરૂઆતમાં તો સૌ કોઈ લોકોના ટાંટીયા કાપવા લાગ્યા હતા..
તેઓની માતાની તબિયત ખૂબ જ ખરાબ હોવાને કારણે સ્ટેશનરીની આ દુકાન છેલ્લા એક મહિનાથી બંધ હતી. તેઓ ભોપાલમાં રહેતા હતા અને માતાની તબિયત વધારે લથડથી જણાતા. તેઓ તેમની માતાને મળવા માટે પોતાના ઘરે પરત આવી ગયા હતા. એક મહિનાથી સ્ટેશનરીની આ દુકાનનું શટર પણ ખોલ્યું હતું નહીં..
એટલા માટે પ્રિયંકએ વિચાર્યું કે, દુકાન ખોલીને દુકાનની સામ-સફાઈ કરી નાખવામાં આવે, કારણ કે તેમની માતા હવે જલ્દી જ સ્વસ્થ થઈ જવાની હતી. તેઓ તેમના મોટા ભાઈને લઈને સ્ટેશનરીની આ દુકાને આવી પહોંચ્યા હતા. તેઓ તાળા અને ચાવી વડે ખોલવાની કોશિશ કરી પરંતુ તાળાની અંદર ચાવી ન જતી હોવાથી તેઓને શંકા ગઈ કે, કોઈ વ્યક્તિએ આ બંને તાળાને બદલી નાખ્યા છે..
બંને તાળાઓને તોડાવીને તેઓએ જ્યારે શટર ખોલાવ્યું ત્યારે અંદરનું દ્રશ્યો જોતા જ તેમના હોશ ઉડી ગયા હતા. કારણ કે સ્ટેશનરીની દુકાનની અંદર રહેલો તમામ માલસામાન કે જેમાં બે કાઉન્ટર, બે ખુરશી, એક ટેબલ, એક મોટું ટેબલ, એક બેંચ, બે લોખંડની કબાટ બે પંખા આ સાથે સાથે અમુક ફર્નિચર…
ચાર ટ્યુબલાઈટ, દુકાનમાં રાખેલા બિલ તેમજ દસ્તાવેજોની સાથે મળીને સ્ટેશનરીનો અન્ય સામાન પણ ગાયબ હતો. જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ સમજી ગયા કે, તેમની માતા એક મહિનાથી બીમાર છે. અને એક મહિનાથી સ્ટેશનરીની દુકાનનું શટર પણ ખુલ્યુ નથી. એવામાં આ દુકાનની અંદર ચોરીનો ખૂબ જ મોટો મામલો સામે આવ્યો છે..
તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને ત્યાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી કે, તેમની દુકાનમાં ખૂબ જ મોટી ચોરી થઈ છે. જેમાં દુકાનના તમામ કિંમતી ચીજ વસ્તુઓ તેમજ સામાન્યની સાથે સાથે 30 હજાર રૂપિયા રોકડા પણ જોડાઈ ગયા છે. પોલીસે પણ ફરિયાદ દાખલ કરીને જરૂરી તપાસ શરૂ કરાવી હતી.
અને હેરાન થયેલા લોકો તપાસ શરૂ કરી અને હકીકત સામે આવે ત્યારે તે જાણીને આ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. હકીકતમાં એવું સામે આવ્યું હતું કે પ્રિયંકભાઈની માતાએ મકાન માલિક પાસેથી દુકાન ભાડે લીધી હતી. પરંતુ મકાન માલિક અને પ્રિયંકભાઈ ની માતા બંને વચ્ચે કંઈક વાતને લઈને ખૂબ જ મોટો વિવાદ ઊભો થઈ ગયો હતો.
પ્રિયંકભાઈની માતા સમયસર ભાડું ચૂકવી દેતી હતી. છતાં પણ મકાન માલિકે આ સ્ટેશનરીની દુકાનમાંથી તમામ કિંમતી ચીજ વસ્તુઓ સ્ટેશનરીનો સાધન સામાન અને અન્ય વસ્તુઓને શટર ખોલાવીને પોતાના ફાર્મ હાઉસ ઉપર મોકલાવી દીધી હતી. અને આ દુકાન ખાલી કરી નાખી હતી..
તેઓએ આ શા માટે કર્યું તેની હજી કોઈ પણ ચોક્કસ જાણકારી મળી આવી નથી. પરંતુ પ્રાથમિક કપાસમાં જાણવા મળ્યું છે કે, મકાન માલિક અને ભાડુઆત બંને વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ ચાલતો હતો. જેમાં આ ગુસ્સે ભરાઈને મકાન માલિકે દુકાનની અંદર રહેલો તમામ સામાન્ય ગાયબ કરીને પોતાના ફાર્મ હાઉસ ઉપર મુકાવી દીધો હતો..
જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પ્રિયંક ભાઈ પણ ચોકી ઉઠ્યા હતા. તો એક બાજુ પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભાડાના પૈસા આપીને મકાન કે દુકાન નો વપરાશ શરૂ કરે છે. તો મકાનમાલિક નો કોઈપણ એવો અધિકાર નથી કે, તે ભાડુઆતના માલ સામાન તેમજ અન્ય કોઈ ચીજ વસ્તુ અને અડકીને બહાર ફેંકી દે..
આ બાબતને લઈને મકાન માલિકની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ સામે આવી છે. શરૂઆતમાં તો પ્રિયકભાઈને થયું હતું કે તેમની દુકાનમાં ખૂબ જ મોટી ચોરી થઈ છે. પરંતુ હકીકતમાં આ લોકો બનાવ ચોરીનો નહીં મકાન માલિકની કાળી કરતુતોનો હોવાનો સામે આવી ગયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]