સુરતમાં હજુ પણ આપઘાત કરવાના બનાવોનો સિલસિલો યથાવત રહ્યો છે. રોજ જુદા જુદા તાલુકાઓમાંથી ઓછામાં ઓછા બે થી ત્રણ આપઘાતના બનાવો સામે આવે છે. આજે સવાર સવારમાં જ વધુ એક આપઘાતનો બનાવ સામે આવી ગયો છે. ખરવાસાના નીતેશભાઈ ઈશ્વરભાઈ દેસાઈનું ખેતર સચિન વિસ્તારમાં આવેલું છે..
જેમના ખેતરમાં સવારના સમયે કોઈક અજાણ્યા યુવકે નાયલોનની દોરી બાંધીને ઝાડ ઉપર લડકી ફાસો ખાઈ લીધો હતો. તેઓએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓએ તાત્કાલિક પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. પોલીસે તપાસ કરતા જણાવ્યું કે, આ યુવકનું નામ નવીન શર્મા છે. જેની ઉંમર ૩૮ વર્ષની છે..
અને તે પોતે માન સરોવર ડિંડોલી વિસ્તારમાં રહે છે. નવીન શર્મા ચીકુવાડીમાં એમ્બ્રોડરી મશીનના વેપાર સાથે જોડાયેલા છે. હકીકતમાં વેપારી રોજની જેમ પોતાના ઘરેથી સવારમાં ચાલવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. પરંતુ લાંબા સમય સુધી પોતાના ઘરે પરત ન ફરતા પરિવારજનોને ચિંતા થવા લાગી હતી અને અંતે તેઓએ નવીન શર્માને ફોન કર્યો હતો કે, શા માટે એટલું બધું મોડું થયું છે..
પરંતુ ફોન નવીન શર્માએ નહીં પરંતુ પોલીસે ઊંચક્યો હતો અને જણાવયુ કે નવીન શર્માએ ઝાડ પર લડકીને આપઘાત કરી લીધો છે. જ્યારે ફોન પર આ સમાચાર સાંભળ્યા ત્યારે પરિવારજનો એકાએક સ્તબ્ધ થઈ ગયા હતા. તેઓ પણ વિચારમાં મુકાઈ ગયા કે, આખરે નવીન શર્માને એવું તો શું દુખ આવી પડયુ હશે કે, અંતે તેઓએ કંટાળી જઈને આપઘાત કરી લીધું છે..
પોલીસે નવીન શર્મા ની લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી. તેની પાસેથી એક થેલીમાં છત્રી, આઈ કાર્ડ અને ચપ્પલ મળી આવ્યા હતા. તેમજ આ મૃતક પાસેથી કાર પણ મળી આવી હતી. મૃતક નવીન શર્માના સાઢુભાઈ પ્રિયદર્શને જણાવ્યું કે, નવીન શર્મા મૂળ બિહારના વતની છે. અને તેઓ છેલ્લા 20 વર્ષથી સુરતમાં એમ્બ્રોડરી મશીન વેચવાના વ્યવસાય સાથે કામકાજ કરી રહ્યા છે..
તેઓ ત્રણ વર્ષ પહેલા ભાગીદારીમાં કામકાજ કરતા હતા. પરંતુ ભાગીદાર સાથે કોઈક બાબતને લઈને તકરાર ઊભી થઈ ગઈ હતી અને બંને વ્યક્તિએ ભાગીદારી છૂટી કરી દીધી હતી. પરંતુ આ ભાગીદારીનો હિસાબ ત્રણ વર્ષ સુધી હજુ પણ કરવામાં આવ્યો હતો નહીં. આ હિસાબને લઈને તેઓ ખૂબ જ ચિંતિત રહેતા હતા..
ત્યારબાદ તેઓએ છેલ્લા પાંચ મહિનાથી પોતાનો નવો વ્યવસાય શરૂ કરી દીધો પરંતુ ભાગીદારી નો હિસાબ કરવાનો બાકી હતો અને તેમાં પૈસા લેવાના પણ બાકી હોવાને કારણે તેઓ ચિંતીત રહેતા એક દિવસ મોર્નિંગ લેતા પરિવારજનો એકાએક ચોકી ઉઠ્યા છે. તેમની પત્ની અને તેમના બાળકોના દુઃખનો કોઈ પાર રહ્યું નથી. સૌ કોઈ લોકો ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]