ની આગાહી અનુસાર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાઓમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. તો જિલ્લાઓમાંથી અતિશય ભારે 12 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ થતાં મોટા ભાગની નદીઓ નાણા તેમજ ડેમમાં પાણી બે કાંઠે વહી રહ્યું છે..
ખૂબ જ સારા વરસાદને કારણે ખેડૂતો ખૂબ ખુશાલ થયા છે પરંતુ આ હતી ભારે વરસાદને કારણે ડેમોની સપાટી પહોંચી ગઈ છે. વાત કરીએ ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને મોરબીની તો આ તમામ જિલ્લાઓમાં ખૂબ જ સારો વરસાદ નોંધાવાને કારણે મોટાભાગની નદીઓ હાલ ફાટ ફાટે વહી રહી છે..
ભાવનગર જિલ્લામાં ખૂબ જ સારો વરસાદ થયો છે. એટલા માટે મહુવાનો માલણ ડેમ ઓવરફલો થઈ ગયો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. મહુવા તાલુકાના મોટા ખૂટવડ ગામ પાસે માલણ નદી વહી રહી છે. આ નદીના ઉપરવાસમાં સિંચાઇ યોજના માટે ડેમ બનાવવામાં આવ્યો છે..
જેમાં સો ટકા પાણીનો સંગ્રહ થયો છે. અને તેના ઉપર ઓવરફલો થઈને ડેમ માંથી પાણી વહી રહ્યો છે. જેના પગલે આ જળસિંચાઇના નિચાણવાળા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કુલ 10 જેટલા ગામોને એલર્ટ કર્યા છે. જેમાં મોટા ખુટવડ, ગોરજ, સાંગણિયા, કુંભણ, નાનાજાદરા, લઘુપરા, તાવેડા, ઉમણીયાવદર, મહુવા ગામનો સમાવેશ થાય છે..
તેમને એલર્ટ કરતા જ જણાવવામાં આવ્યું છે કે, નદીના પટમાં કોઈપણ વ્યક્તિ અવર-જવર કરવી નહીં. તેમજ દરેક લોકોએ ખુબ જ સાવચેતી રાખવી જે લોકો નદીના પટ વિસ્તારથી નજીકના વિસ્તારમાં રહે છે. તેઓને કોઈ પણ સમયે આ દેશો મળતા જ સ્થળાંતરિત પણ થવું પડશે કારણ કે ડેમ ભયજનક સપાટીએ વહી રહ્યો છે..
ડેમમાંથી વહેતું પાણી વેચાણ વાળા વિસ્તારોના ગામડામાં ઘૂસી જવાની પણ આશંકાઓ રહેલી છે. શેત્રુંજી ડેમમાં પણ ખૂબ જ વધારે પ્રમાણમાં પાણીની આવક નોંધાય છે. જેના પગલે નદીઓ ગાડી દૂર થઈ છે. હજુ પણ કેટલાક જિલ્લાઓ એવા છે કે, જ્યાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નથી…
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા તાલુકાઓ એવા છે. જ્યાં ખૂબ જ ઓછો વરસાદ નોંધાયો છે. આવા વિસ્તારના ખેડૂતો મેઘરાજા ક્યારે ધડબડાટી બોલાવી દેશે તેની રાહ જોઈને બેઠા છે. હકીકતમાં આ વર્ષે પણ વરસાદ ખુબ જ અનીયમિત સાબિત થયો છે. અમુક જીલ્લામાં ધોધમાર વરસ્યો છે તો અમુક જીલ્લાઓ કોર ધાક છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]