ભારતનું સરકારી ખાતું અવારનવાર લાંચ અને રિશ્વત જેવા શબ્દોથી બદનામ થયું છે. જે ખુબ જ ખોટું છે. પરંતુ મોટાભાગના અધિકારીઓ કર્મનિષ્ઠ અને ઈમાનદારી જવા ગુણો ધરાવે છે અને તેઓ દેશને તેમની મહત્તમ સેવા આપીને એક આગવું ઉદાહરણ પણ સાબિત કરતા હોય છે. પરંતુ તંત્રમાં રહેલ અમુક અધિકારીઓ તેમજ બજાવનાર અન્ય વ્યક્તિઓ લાંચ લેવાના રસીયાઓ બની જે તે ફરિયાદી પાસેથી લાંચ વસૂલતા હોય છે..
તેના કારણે સમગ્ર તંત્ર બદનામ થયું છે. લાંચ-રિશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરવામાં આવી ત્યારબાદથી લાંચ લેવાના બનાવો ખૂબ જ ઓછા થઈ ગયા છે અને હવે દરેક જગ્યા પર દરેક વ્યક્તિને સમાન ન્યાય પણ મળે છે. તેમજ સરખી કાર્યવાહી પણ ચલાવવામાં આવે છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાનેથી લાંચ લેવાના મામલા અવારનવાર સામે આવે છે..
જેમાં વધુ એક મામલો રાજસ્થાનના ચુરુના બેડમાસર ચોકીમાંથી સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા એક ફરિયાદી પોતાની સાથે થયેલા અન્યાયનો એક કેસ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા માટે ગયો હતો. એ વખતે ફરિયાદ નોંધનાર હેડ કોન્સ્ટેબલે આ ફરિયાદી પાસેથી કુલ પંદર હજાર રૂપિયાની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે જો તમારે કેસ નોંધાવો હશે,..
તેમજ આરોપીને કડકમાં કડક સજા અપાવી સરખી કાર્યવાહી કરાવી હશે તો તમારે 15,000 રૂપિયા આપવા પડશે. ફરિયાદી ખૂબ જાગૃત નાગરિક હતો તેણે ₹15,000 આપી દઈને સરખી કાર્યવાહી કરવા અને બદલે લાંચ લેનાર હેડ કોન્સ્ટેબલને બરાબરનો મેથીપાક ચખાડવાનું વિચાર્યું હતું. એટલા માટે તે લાંચ રિશ્વત વિરોધી બ્યુરોમાં આ હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ આપી હતી..
અને જણાવ્યું હતું કે તેઓએ મારી પાસેથી ₹15,000 ની માંગણી કરી છે. આ ઉપરાંત જ્યારે લાંચ રિશ્વત વિરોધી બ્યુરોમાં આ ફરિયાદ નોંધાય ત્યારે ડીએસપી સહિતના અન્ય અધિકારીઓ પણ ખૂબ જ હચમચી ગયા હતા. લાંચ માંગનાર આ હેડ કોન્સ્ટેબલનું નામ ધનપતસિંહ હોવાનું સામે આવ્યું છે. જે બેડમાસર ચોકીમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો..
આ હેડ કોન્સ્ટેબલને પકડવા માટે એક છટકું ગોઠવ્યું હતું અને આરોપીને જણાવ્યું હતું કે, તું 15000 રૂપિયા આપવા માટે તેને કોઈ અન્ય જગ્યા પર બોલાવજે અને ત્યાં લાંચ લેતાની સાથે જ તેને પકડી પાડવામાં આવશે. આ પ્લાન મુજબ ફરિયાદીએ 15000 રૂપિયા આપવા માટે હેડ કોન્સ્ટેબલ ધનપતસિંહને બેડમાસર ચોકીની સામે એક દુકાન ઉપર બોલાવ્યો હતો..
આ હેડ કોન્સ્ટેબલથી ત્યાં આવી પહોંચ્યો અને ફરિયાદી એ તેને 13000 રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ ધનપતસિંહએ પોતાના ટી શર્ટના કિસ્સામાં 5000 રૂપિયા નાખી દીધા જ્યારે 8000 રૂપિયા તેને પરત આપીને જણાવ્યું કે, આ કેસને આપણે ફરી એક વખત જોઈ લઈશું જેવા પૈસા તેને પોતાના ખીચામાં નાખ્યા કે તરત જ કાર્યવાહી કરનાર ટીમ ત્યાં હાજર થઈ ગઈ હતી..
અને તેને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. કોન્સ્ટેબલને લાંચની રકમ સાથે પકડી પાડતા સમગ્ર તંત્ર હજ મચી ગયું છે. જ્યારે અન્ય લાજ રહેનાર વ્યક્તિઓ અંદરખાને છુપાઈ ગયા છે. હકીકતમાં પોતાની સાથે થયેલા અન્યાયની ફરિયાદ નોંધાવી એ દરેક જાગૃત નાગરિકની ફરજ છે. આ ફરજ માટે તેઓને કોઈ પણ વધારાના રૂપિયા આપવાની જરૂર નથી..
પરંતુ અમુક લોકો લાંચ માંગીને કાર્યવાહી સરખી થાય એ માટે દબાણ આપે છે. આવા લોકોથી ક્યારેય પણ ડરવું જોઈએ નહીં અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની અકલ ઠેકાણે લાવી દેવી જોઈએ. આ બનાવને લઈને સૌ કોઈ લોકો શર્મસાર થઈ ગયા હતા કારણ કે એક બાજુ પોલીસ ખાતું દિવસ રાત મહેનત કરીને શહેરના દરેક નાગરિકોને સમાન ન્યાય તેમજ વૃતિ સુરક્ષા પૂરી પાડે છે..
આ માટે સૌ કોઈ લોકોના દિલમાં તેમના માટે ખૂબ જ આગવી ઓળખ અને જુસ્સો સહિત માન સન્માન રહેલું છે. પરંતુ અમુક ગણ્યા ગાંઠિયા અધિકારી કે કર્મચારીઓને કારણે સમગ્ર લોકોનું નામ ખરાબ થઈ એ ક્યારેય પણ ચલાવી લેવામાં ન આવે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]