Breaking News

સંતાન ન થતા સાસુ ન બોલવાના વેણ કહેવા લાગી, પિત્તો ગુમાવેલી વહુને ગુસ્સો આવતા જ દસ્તો લઈને સાસુને ખાંડી નાખી… વાંચો..!

ચારે કોર છાશવારે એવા બનાવો સામે આવે છે કે જેમાં પરણીતાઓ કંટાળી જઈને ન કરવાનું કરી નાખતી હોઈ છે. હાલ છત્તીસગઢના બાલોદાબજાર જિલ્લામાં વધુ એક હલબલાવી નાખતો બનાવ સામે આવ્યો છે. અહી અમેરી વિસ્તાર પાસે ખિલવાન પ્રસાદ વર્મા તેના પરિવાર સાથે રહે છે.

ખિલવાન પ્રસાદ વર્મા કોઈક કામ માટે બહારગામ ગયો હતો. સવારે 11-12 વાગ્યાના સુમારે પરત આવીને જોયું તો ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ખૂબ અવાજ અને બુમો આપ્યા બાદ પણ કોઈ વ્યક્તિએ દરવાજો ખોલયો નહી. તે કોઈક રીતે અંદર કૂદી ગયો અને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા..

કારણ કે રૂમની અંદર તેની 55 વર્ષની માતા પ્યારી બાઈની લથપથતી હાલતમાં લાશ મળી હતી. આ જોતા જ તેના ડોળા બહાર આવી ગયા હતા. આ ઘટના બાદ તરત જ ખીલવણ પોલીસને ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી. પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને ખબર પડી કે ઘટના સમયે ઘરમાં માત્ર પ્યારી બાઈ અને તેની 24 વર્ષની વહુ ચંદ્રપ્રભા વર્મા જ હાજર હતા. આ પછી પોલીસે પુત્રવધૂ ચંદ્રપ્રભાની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે ચંદ્રપ્રભાને પણ ઈજાઓ થઈ છે.

ચંદ્રપ્રભાએ પોલીસને જણાવ્યું કે તે પડી જતાં ઈજાગ્રસ્ત થઈ હતી. પરંતુ પોલીસને તેના પર પહેલેથી જ શંકા હતી. આ જ કારણ હતું કે પોલીસે પુત્રવધૂની પૂછપરછ ચાલુ રાખી, ઘણી પૂછપરછ બાદ તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. પુત્રવધૂએ તેની સાસુને પતાવી દીધી હતી. શરૂઆતમાં તો તે એકદમ ચુપચાપ રહી હતી.

પરતું કડક પુછતાછ કરતા તે ભાંગી પડી અને સત્ય જણાવી દીધું હતું. તેણે તેની સાસુને પતાવી દીધી હતી કારણ કે તે દરરોજ ઝઘડો કરતી હતી. જ્યારે તેને સંતાન ન થતું હતું ત્યારે પણ તે ટોણા મારતી હતી. આ દરમિયાન ઝઘડો થતા જ તેણે પોતાના હાથમાં રહેલો દસ્તો માથાના ભાગે મારી દીધો હતો.

આ દસ્તો એટલો જોરદાર વાગ્યો કે પ્યારી દેવી ત્યાંને ત્યાં જ ઢળી પડી હતી. ત્યારબાદ તો વહુએ તેને બેઠા બેઠા ખાંડી નાખી હતી.  આ કેસમાં પોલીસે હવે આરોપી પુત્રવધૂની ધરપકડ કરી છે. સાસુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મારામારીમાં પુત્રવધૂને પણ ઈજાઓ થઈ હતી.

પુત્રવધૂએ જણાવ્યું કે ઘટના બાદ તેણે કપડાં બદલી નાખ્યા હતા. આ પછી તે તેના મોટા સસરાના ઘરે જઈને બેસી ગઈ. ત્યાં પણ લોકોએ તેને પૂછ્યું કે તને કેવી રીતે ઈજા થઈ, તો તેણે કહ્યું કે પડી ગઈ એટલે ઈજા થઈ છે તેમ જણાવ્યું હતું. પોલીસે શુક્રવારે આરોપી પુત્રવધૂની ધરપકડ કરી છે અને શુક્રવારે સમગ્ર મામલાની માહિતી પણ આપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *