વારંવાર દરેક સમાજમાં કંઈકને કંઈક એવી ઘટનાઓ હવે ઘટવા લાગી છે, જેને લઇ સમાજના અગ્રણીઓ પણ હવે વિચારમાં મુકાઈ જતા હોય છે કે, આખરે પરિવારજનોને એવું તો શું દુઃખ આવી પડે છે કે તેઓને જીવ ગુમાવી દેવાનો વારો આવી જતો હોય છે. ગ્વાલિયરના શતાબ્દીપુરમ વિસ્તાર પાસે આવેલી એક સોસાયટીમાં રહેતી પ્રિયા શર્માએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે..
એટલું જ નહીં પરંતુ તેને અંતિમ ચિઠ્ઠીમાં જે શબ્દો લખ્યા છે, તે શબ્દોને વાંચીને સૌ કોઈ લોકો એકાએક સમસમી ગયા છે. તો કેટલાક લોકોના કાનમાં સુનકાર પણ મચી જવા પામ્યો છે. પ્રિયા શર્મા બે વર્ષની હતી. ત્યારથી જ પોતાના નાના સાથે રહેતી હતી. તેના પિતા જોઈન નારાયણ શર્મા અને પ્રિયાની માતા બંને વચ્ચે કંઈક વાત વિવાદ ચાલતો હતો..
જેને લઈ આ દીકરી આજે 22 વર્ષની થઈ ત્યાં સુધીમાં પણ હજુ કોઈ પણ સમાધાન આવ્યું હતું નહીં, વારંવાર આ વાત વિવાદને લઈને પ્રિયા શર્માને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. પ્રિયાના નાના તેમજ અન્ય પરિવારના સભ્યો બહારગામ ગયા હતા જ્યારે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે દરવાજો ખોલવાની કોશિશ કરી..
પરંતુ અંદરથી પ્રિયાએ દરવાજો ખોલ્યો નહીં, આ ઉપરાંત તેઓએ પ્રિયાને લગભગ 40 જેટલા ફોન પણ કર્યા હતા. પરંતુ એક પણ ફોન ઉંચક્યો નહીં, એટલા માટે પ્રિયાના નાનાએ દરવાજો તોડી નખાવ્યો હતો. અને જોયું તો પ્રિયા લટકતી હાલતમાં મળી આવી હતી તેને મૃત હાલતમાં જોઈને તેના નાના સહિત અન્ય પરિવારના સભ્યો પણ ખૂબ જ હેબતાઈ ગયા હતા..
અને જોડે જોડે રડવા લાગ્યા હતા કારણકે તેઓએ બે વર્ષની હતી. ત્યારથી જ પ્રિયાને ભણાવી ગણાવીને લાડ લડાવવી મોટી કરી હતી. અને આજે તેને મૃત હાલતમાં જોવી કોઈ પણ માટે સહેલું હોતું નહીં. આટલું જ નહીં પરંતુ પ્રિયાના મોતના સમાચાર પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી..
તપાસ કરતા તેની રૂમમાંથી એક અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે મેં સાંભળ્યું છે કે, કોશિશ કરવા વાળાની ક્યારેય પણ હાર થતી નથી. પરંતુ મેં ઘણી બધી કોશિશ કરી છતાં પણ હું આજે હારી ગઈ છું. અને સમાજના મોટા માથા જીતી ગયા છે. અને હું મારો જીવ ગુમાવવા જઈ રહી છું.
બસ આટલા શબ્દો લખીને તેણે આપઘાત કરીને જીવન ઢુંકાવી દીધું છે. આ ઉપરાંત તેણે અંતિમ ચિઠ્ઠીમાં નીચે અંગ્રેજીમાં પોતાની સહી પણ કરેલી છે. આ ઘટનાને લઈને પ્રિયા શર્માના નાનાની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં તેઓએ જણાવ્યું કે પ્રિયા બિલકુલ ખુશ હતી. તેને કોઈપણ બાબતની કમી હતી નહીં છતાં પણ તેણે શા માટે આપઘાત કર્યો તે ખબર પડતી નથી..
વાત-વિવાદોમાં તેના માતા-પિતા બંને છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા રહે છે. અને આ બંને પક્ષોની જુદી જુદી વાતચીત અને લઈને પ્રિયા કેટલીક વખત ખૂબ જ દુઃખી થઈ જતી હતી. પ્રિયા શર્મા કાયદાકીય અભ્યાસ કરે છે. તે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે જ્યારે સવારે ઘરેથી કોલેજ જવા માટે નીકળે ત્યારે..
તેના પિતા પક્ષના વ્યક્તિઓ પણ તેની પાછળ પાછળ આવતા તો કેટલીક વખત તેની માતા પક્ષના વ્યક્તિઓ પણ તેની પાછળ પાછળ આવીને ડરાવતા ધમકાવતા હતા. હાલ આ બાબતને લઈને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પરંતુ પ્રાથમિક તપાસ દરમિયાન વર્ષો જૂના માતા-પિતાના સંબંધોમાં પડેલી તિરાડના કારણે આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]