Breaking News

રૂપાળી યુવતીએ સગાઈના 2જા દિવસે જ આપઘાત કરીને જીવ ટૂંકાવી દેતા સૌ કોઈ ચક્કર ખાઈ ગયા, અંતિમ ચિઠ્ઠીમાં લખતી ગઈ કે….

લોકો પોતાની જિંદગીથી કંટાળીને ખરાબ પગલાઓ ભરી રહ્યા છે. તેઓ પોતાના પરિવારથી અથવા તો બીજા કોઈ સગા સંબંધીઓથી કંટાળીને જીવલેણ ઘટનાઓ ઘડી રહ્યા છે. જ્યારે લોકોને ધાર્યા પ્રમાણે કામ ન થાય ત્યારે તેઓ કંટાળી રહ્યા હોય છે અને નિરાશ થઈ જઈને પોતાની સાથે ગંભીર ઘટનાઓ કરીને તેમના પરિવારજનોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.

આવી જ એક ઘટના ઈન્દોરમાં બની હતી. ઇન્દોરમાં એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અશોકનગરમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં રહેતી યુવતીનું નામ પ્રીતિ હતું. પ્રીતિની ઉંમર 27 વર્ષની હતી. પ્રીતિ કારના શોરૂમમાં HR હેડ તરીકે નોકરી કરતી હતી અને પોતાના પરિવારનું આર્થિક ગુજરાન ચલાવવામાં મદદરૂપ થઈ રહી હતી.

પ્રીતિની લગ્નની ઉંમર થઈ જતાં તેના પરિવારના લોકો પ્રીતિ માટે છોકરો શોધી રહ્યા હતા. તે સમયે પ્રીતિ એક મેટ્રોમોનિયલ વેબસાઈટ દ્વારા યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકનું નામ પવન હતું. પવન ઈન્દોરમાં જ વિજયનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. તેને પરિવારમાં માતા-પિતા અને એક બહેન હતી.

પવન સાથે તેની વેબસાઈટ પર વાતો ચાલુ થઇ હતી અને તે ધીમે-ધીમે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બંને લગ્ન કરવા માગતા હતા, જેના કારણે બંનેએ પોતાના ઘરે એકબીજાની જાણ કરી હતી. તે સમયે પ્રીતિના ઘરના લોકો લગ્ન માટે રાજી થઈ ગયા હતા પરંતુ પવનના પરિવારના લોકો લગ્ન માટે નારાજ હતા. તેઓ લગ્ન કરવાની ના પાડતા હતા.

જેના કારણે પ્રીતિ જલ્દી લગ્ન કરવા માગતી હતી અને પ્રીતિની પવનની માતા અને બહેન સાથે અવારનવાર દલીલો થતી હતી અને ઝઘડાઓ થતા હતા છતાં પણ પરિવારના લોકોએ અંતે માનીને બંનેની સગાઈ કરાવી હતી. બંનેની સગાઈ થતાં પ્રીતિ ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. પરંતુ પવનની માતા અને બહેને ફોન પર પ્રીતિને કહ્યું હતું કે,..

‘લગ્ન દેવુથાની ગ્યારાસ પછી થશે’ આ સાંભળીને પ્રીતિ ટેન્શનમાં આવી ગઈ હતી અને તેમના લગ્ન મોડા થવાના છે તેમ જાણ થતા તે ખૂબ જ નિરાશ જોવા મળી રહી હતી. પ્રીતિએ પવનને પણ આ ઘટનાની જાણ કરી હતી. પવનને પણ તેના પરિવારના લોકો કેહેશે તેમ જ થશે તેમ જણાવ્યું હતું. જેના કારણે પ્રીતિને તેની સાથે દગો થયો તેમ લાગતું હતું.

તે નિરાશ થઈ ગઈ હતી. પ્રીતિને લાગ્યું કે દરેક લોકો તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે અને તેને વિશ્વાસ આપીને હવે લગ્ન ન કરવાનું કહ્યું હતું. જેના કારણે પ્રીતિએ કંટાળીને એક દિવસ પોતાના ઘરે તુલસી અને પીપળાનો છોડ લાવી હતી અને ત્યારબાદ તેણે કહ્યું હતું કે, ‘હવે હું ક્યારેય લગ્ન નહીં કરું, હું તેમની પૂજા કરીશ’ તેમ કહીને તે રૂમમાં જતી રહી હતી.

થોડા સમય બાદ તે રૂમમાંથી બહાર ન આવતા પરિવારના લોકો તેને રૂમમાં બોલાવવા માટે ગયા ત્યારે જોયું તો પરિવાર આઘાતમાં આવી ગયો. પ્રીતિએ લટકીને આપઘાત કરી લીધો હતો. એક અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી અને તેમાં તેણે જણાવ્યું હતું કે, ‘જિંદગી ખૂબ જ ગંદી છે, કોઈના પર વિશ્વાસ ન કરો.’ આવું લખીને પ્રીતિએ પોતાનું અંતિમ પગલું ભરી લીધું હતું.

જેના કારણે પરિવારના લોકોએ પવનની આ ઘટનાનો જિમ્મેદાર ગણાવ્યો હતો અને પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને અંતિમ ચિઠ્ઠી વાંચી અને પ્રીતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ પવનની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *