અમુક વાર એવી ડરામણી ઘટનાઓ ઘટી જાય છે કે, જેના વિશે સાંભળવામાં આવે ત્યારે પણ સાંભળનાર વ્યક્તિના રૂવાંટા એકાએક બેઠા થઈ જાય છે. તો નાના બાળકો તો ખૂબ જ ડરવા પણ લાગતા હોય છે. અત્યારે એક સોસાયટીની અંદર એવો હાહાકાર મચી ગયો હતો કે, સોસાયટીના રહીશોની ઊંઘ હંમેશા માટે ઉડી ગઈ હતી..
આ હચમચાવી દેતી ઘટના સહજાનંદ પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં અંદાજે 50 જેટલા મકાન છે. અને 25 જેટલા ખાલી પ્લોટ પણ રહેલા છે. જેમાંથી મોટાભાગના પ્લોટની કિંમત આસમાનની ઊંચાઈઓને અડકી ગઈ છે. તેમજ મોટાભાગના પ્લોટ કોઈ એક જ વ્યક્તિ માલિક હોવાનું પણ સામે આવ્યું છે.
આ ખુલ્લા પ્લોટમાં રોજ રાતે ખૂબ જ જોર જોરથી રડવાનો અવાજ આવતો હતો. એટલું જ નહીં સોસાયટીમાં આસપાસ રહેતા રહીશો જ્યારે પોતાના ઘરનો દરવાજો ખોલીને આ પ્લોટ પાસે જોવા માટે આવે ત્યારે આ રડવાનો અવાજ અચાનક જ બંધ થઈ જતો હતો અને જ્યારે ફરી પાછા સૌ કોઈ લોકો સૂઈ જાય ત્યારે અચાનક જ રડવાનો અવાજ આવતો હતો..
શરૂઆતમાં તો સૌ કોઈ લોકોને લાગ્યું કે, આવા જ કોઈક ના ઘરેથી આવતો હશે. એટલા માટે કોઈએ તપાસ શરૂ કરી નહીં. પરંતુ આ સિલસીલો રોજ સાંજે એક વાગ્યા પછી બનવા લાગ્યો હતો. રોજ રાત્રે એક વાગ્યે જ્યારે સૌ કોઈ લોકો સૂઈ જાય ત્યારે અચાનક જ એક મહિલાનો જોર જોરથી રડવાનો અવાજ આવતો હતો..
આ અવાજ ભૂત આત્માનો હોય તેવું લાગતું હતું. કારણકે અંધારાની અંદર તેમની સોસાયટીમાં એવી કોઈપણ મહિલા રડતી હાલતમાં મળી આવી હતી નહીં. એટલા માટે આ અવાજ ક્યાંથી આવે છે…? અને શા માટે અડધી રાત્રે જ આ અવાજ આવી રહ્યો છે..? તે જાણવા માટે સોસાયટીના સૌ કોઈ લોકો મજબૂત બન્યા હતા. પરંતુ કોઈ પણ વ્યક્તિને આ બાબતની જાણકારી મળી નહીં..
રોજ રોજના આવા જતી સોસાયટીના સૌ કોઈ લોકોની ઊંઘ ઊડી ગઈ હતી તો નાના બાળકો પણ ખૂબ જ ડરી ગયા હતા. એક દિવસ સોસાયટીના મુકુલભાઈ નામના વ્યક્તિએ હિંમત કરીને આ ખુલ્લા પ્લોટની અંદર રાત્રિના સમયે જઈને જોવાની કોશિશ કરી હતી. સોસાયટીના મોટાભાગના લોકો હતો બીકણ સસલી બનીને પોતાના ઘરમાં છુપાઈ ગયા હતા..
અને કોઈ પણ વ્યક્તિ અહીં અવાજ શેનો આવે છે, તેને શોધવામાં મદદરૂપ બન્યા નહીં. પરંતુ મુકુલભાઈ હિંમત કરી સોસાયટીના આ પ્લોટની અંદર પ્રવેશ્યા હતા. તેઓએ પ્લોટની અંદર લાઇટ કરીને જોવાની કોશિશ કરી તો તેમને જે ચીજ વસ્તુ મળી તે જોઈને સૌ કોઈ લોકોના છૂટી ગયા હતા.
જ્યારે મુકુલભાઈ આ પ્લોટની અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમના પરિવારજનો તેમને પ્લોટની અંદર જવાની મનાઈ કરતા હતા. પરંતુ મુકુલભાઈએ સૌ કોઈ લોકોનો ડર ભગાડવા માટે આ પ્લોટની અંદર પ્રવેશ્યા અને ત્યાંથી તેઓને એક રેડિયો દેખાય આવ્યો હતો. આ રેડિયોની અંદરથી કોઈ મહિલાનો જોરથી જોરથી રડવાનો અવાજ આવતો હતો..
આ ઉપરાંત દવા એટલો બધો ડરાવણો હતો કે સોસાયટીના સૌ કોઈ લોકો આ અવાજથી ડરી રહ્યા હતા. જ્યારે ઘટનાની વધારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે જાણકારી મળી કે સોસાયટીનો એક વ્યક્તિ આ પ્લોટને ખરીદવા માંગતો હતો. આ ઉપરાંત સોસાયટીમાં રહેલા અન્ય મકાન પણ ખૂબ જ વધારે કિંમતના હોવાથી લોકોને ભૂતપ્રેતની રડવાનો અવાજ સંભળાવી ડરાવી ધમકાવી તેમને સોસાયટીમાંથી ભગાડી મુકવા માટે તેણે આ કાવતરું રચ્યું હતું..
સોસાયટીના લોકો તેનાથી ડરી તો ગયા હતા. પરંતુ મુકુભાઈની સાહસિકતાને કારણે આ યુવકનો પરદાફાશ થઈ ચૂક્યો હતો. તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે આ પ્લોટ નો માલિક ખૂબ જ વધારે કિંમત કહેતો હતો અને આ પ્લોટને ખુબ જ ઓછી કિંમતમાં ખરીદવો હતો એટલા માટે તેણે ભૂત પ્રેતની આ ઘટના બનાવી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]