હમણા જ સોશિયલ મીડિયામાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે તેમાં એક મહિલા એક બાળકને તેડીને ઊછળથી હોઈ તેવું દેખાઈ રહ્યું છે પરતું તેની નજીક જઈને જોયુ તો સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. એવું તો શું હતું એ મહિલાના હાથમાં કે લોકો જોતા જ ડરવા લાગ્યા હતા..
લોકોને એવું લાગે છે કે એ મહિલાના હાથમાં એક નાનકડું બાળક છે અને તે મહિલા તે બાળકને વહાલથી રમાડી રહી છે. પરતું અસલિયતમાં તે બાળક નહી પરતું હાડપિંજર છે. જી હા, મિત્રો આવો કિસ્સો તમે પેહલી વાર સાંભળતા હશો કે કોઈ વ્યક્તિ હાડ પિંજર સાથે કેવી રીતે રમી શકે. પરતું આ વાત બિલકુલ સત્ય છે.
યુકેના યોર્કશાયરના હલ જનરલ નામના એક કબ્રસ્તાનમાં હાડપિંજર સાથે રમતી મહિલા હાડપિંજરને પોતાના હાથમાં લઈ રહી છે અને તેને બંને હાથે પકડી રહી છે. મહિલા હાડપિંજર સામે તાકી રહી છે. એટલું જ નહીં મહિલાની બાજુમાં કૂતરાનું હાડપિંજર પણ દેખાય છે અને હાડપિંજર બેઠું છે.
ત્યાંના લોકોનું કેહવું એવું છે આ મહિલા દરરોજ આ કબ્રસ્તાનમાં હાડપીંજરોને રમાડવા માટે આવે છે અને તે રોજ સફેદ કલરના કપડા પેહરીને આવે છે તેથી તેને જોઈને જ લોકોને ડર લાગવા માંડે છે. આ વખતે પણ લોકોએ આ મહિલાને કબ્રસ્તાનમાં જોઈ હતી. લોકોએ આ મહિલાને હાડપિંજર સાથે બેફિકર રમતા અને નૃત્ય કરતા પણ જોઈ છે.
અહેવાલો અનુસાર, એક રાહદારીએ આ વિચિત્ર ઘટનાની તસવીર તેના કેમેરામાં કેદ કરી હતી. તસવીરમાં મહિલાનાં હાથમાં પુરુષ અને કૂતરાનું હાડપિંજર સ્પષ્ટ જોઇ શકાય છે. લોકોએ આ દ્રશ્ય જોવા માટે તેમની કાર પણ ધીમી કરી દીધી હતી અને મહિલાને હાડપિંજર સાથે રમતી જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
મહિલા સાધ્વીએ ક્રીમ રંગનો ડ્રેસ અને માથા પર સ્કાર્ફ પહેર્યો હતો. આ તસવીર વાયરલ થયા બાદ લોકોએ તેની પ્રતિક્રિયા પણ આપવાનું શરૂ કર્યું હતું. કેટલાક કહે છે કે તે પ્રોજેક્ટનો ભાગ હોઈ શકે છે. કેટલાક લોકો કહે છે કે આ હાડપિંજર સાથે મહિલાનું ભાવનાત્મક જોડાણ હોઈ શકે છે. પરંતુ ઘણા સત્યો શું છે તે જાહેર કરી શકાયું નથી.
રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1847માં બાંધવામાં આવેલું કબ્રસ્તાન 1972માં બંધ કરવામાં આવ્યું હતું. કોલેરાના રોગચાળાથી મૃત્યુ પામેલા લોકોના મોટાભાગના મૃતદેહો વર્ષ 1800 દરમિયાન અહીં દફનાવવામાં આવ્યા હતા. એટલે કે લગભગ 50 વર્ષથી કબ્રસ્તાનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, તેમ છતાં મહિલા ત્યાં જતી રહે છે.
શું છે આ ઘટના પાછળની અસલી કારણ : આ ઘટના જોઈને સૌ કોઈ જુદા જુદા તારણો લગાવી રહ્યા છે પરતું આ મહિલા માનસિક બીમાર હશે અથવા તો તેના કોઈ નજીકના વ્યક્તિને ગુમાવ્યા બાદ તેની માનસિક સ્થિતિ કાબુમાં નહી રહી હોઈ તેવું લાગી રહ્યું છે. અથવા તો ત્યાંના લોકો સાથે કૈક જુદી જ લાગણીઓ જોડાયેલી હશે તેવું જણાઈ રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]