કોઈપણ સમયે લોકો સાથે જીવલેણ ઘટનાઓ બની રહી છે, આવી ઘટનાઓ બનતા લોકો પોતાના પરિવારથી વિખુટા થઈ રહ્યા છે. આજકાલ લોકો સાથે બનતી જીવલેણ ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. જેમાં ઘણી બધી ઘટનાઓ લોકોના પાણીમાં ડૂબી જવાથી અથવા તો લોકો સાથે વીજ કરંટને કારણે મૃત્યુ થયાની ઘટના બની હતી.
પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા આખુ પરિવાર નિરાધાર બની જાય છે અને આજકાલ લોકો સાથે એક પણ પગલું આગળ ભરતા તેની સાથે શું બનવાનું છે તે કહી શકાતું નથી. આવો જ એક બનાવ હાલમાં સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. જે જાણીને સૌ કોઈ વિશ્વાસ કરી રહ્યા નથી.
આ ઘટના બિહારના બેગુસરાઈમાં આનંદપુર ગાચી ટોલ વિસ્તારમાં બની હતી. જે યુવક સાથે ઘટના બની તે યુવક ગરખીયા જિલ્લાના રહીમપુરના રહેવાસી હતા પરંતુ તેઓ હાલમાં આનંદપુરમાં રહેતા હતા. તેમનું નામ કલાનંદ ચૌધરી હતું. કલાનંદની ઉંમર 52 વર્ષની હતી અને તેમના પિતાનું નામ શિવ શંકર ચૌધરી હતું. તેઓ પોતાના પરિવાર સાથે રહેતા હતા.
ખૂબ જ ખુશીથી પરિવાર રહેતું હતું. કલાનંદ પોલીસ લાઈનમાં કામ કરતા હવાલદાર તરીકે નોકરી કરી રહ્યા હતા પરંતુ થોડા સમય પહેલા જ તેની બદલી કરવામાં આવી હતી અને તેને પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી મળી હતી. તેનું પોસ્ટિંગ પોલીસ લાઈન બેગુસ સરાઈમાં કરવામાં આવ્યું હતું. તે બેગુસરાય આનંદપુરમાં પોતાનું ઘર બનાવીને પોતાના પરિવાર સાથે રહેતા હતા.
તેઓ ખૂબ જ ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેઓ પોલીસ લાઈનમાં હવાલદાર તરીકેની નોકરી સારી રીતે બજાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેઓ ખુશીથી પરિવાર સાથે રહેતા હતા પરંતુ એક દિવસ તે કોઈ કામ હોવાને કારણે તેના ઘરની અગાસી પર ગયા હતા. રાતનો સમય થઈ ગયો હોવા છતાં તેઓ ઘરની છત પર ગયા હતા.
તે સમયે છત ઉપર અર્થિંગ વાયર એમ જ ખુલ્લા પડેલા હતા પરંતુ તેઓને જાણ ન હતી. જેના કારણે છત પર પહોંચતા થોડું આગળ ચાલતા જ અર્થિંગ વાયરને તેઓ અડી ગયા હતા જેના કારણે અર્થીંગ વાયરની લપેટમાં આવી જતા જ વાયરમાંથી પસાર થઈ રહેલો વીજ કરંટ તેમને લાગ્યો હતો અને તેઓ ખૂબ જ દાઝીને ઉછળીને પડ્યા હતા.
લાંબા સમય સુધી તેઓ બેભાન હાલતમાં પડી રહ્યા હતા, ત્યારબાદ પરિવારના સભ્યોને કલાનંદ ચૌધરીને પોતાના પલંગ પર ન દેખાતા શોધ ચાલુ કરી હતી. તે સમયે ઘરમાં શોધતા મળ્યા ન હતા. જેને કારણે તેના પિતા અગાસી પર જોવા ગયા ત્યારે એ જોયું તો અગાસીનો દરવાજો ખુલ્લો હતો. જેના કારણે તેના પિતાને ત્રાસકો પડી ગયો હતો.
તેઓ અગાસીમાં ચડતાની સાથે જ સામેની બાજુ તેને પોતાનો દીકરો કલાનંદ ચૌધરી દેખાયો હતો. જે જમીન પર ઠળી પડેલો હતો. ત્યારબાદ તરત જ ઘરના સભ્યોએ ભેગા થઈને તેને સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તરત જ લોહાનગર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
જેને કારણે પોલીસે કાગળની પ્રક્રિયા કરી હતી અને કલાનંદ ચૌધરીના મૃતદેહને પોસ્મોટર્મ માટે લઈ જવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા શહેર પોલીસ સ્ટેશનમાં તેને બદલે મળી હતી અને સારી એવી તેની નોકરી પણ ચાલી રહી હતી પરંતુ અચાનક તેની સાથે આવી ઘટના બની જતા પરિવારના લોકો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા. પરિવારમાં રોરોકળ થઈ ગઈ હતી અને પરિવારના કોઈ લોકો આ આઘાત સહન કરી શક્યા ન હતા.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]