જો માતા પિતાથી તેમના સંતાનો દૂર થઈ જાય તો તેમને ખૂબ જ ચિંતા થતી હોય છે કે, શું તેમનો દીકરો ભોજન જમ્યો હશે કે નહીં..? શું તેમના દીકરાને સારી રીતે ઊંઘ આવી હશે કે નહીં..? વગેરે જેવી ચિંતા હોય તેવો કરવા લાગે છે. બસ આ પ્રકારની જ એક ચિંતા એક માતા-પિતાને થવા લાગી હતી..
કારણ કે 24 કલાક બાદ પણ તેમનો દીકરો ઘરે આવ્યો હતો નહીં, આ ઘટના બિહારના મંદિર જિલ્લામાં આવેલા હરણમાર્ગના આઠ સહયા ગામની છે. આ ગામની અંદર મહેન્દ્રભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમનો 24 વર્ષનો દીકરો મોન્ટુ તેના જ ગામમાં રહેતો નરેશ નામના યુવક સાથે બહારગામ ગયો હતો..
નરેશતો સાંજના સમયે પરત આવી ગયો, પરંતુ તેમનો દીકરો મોન્ટુ ઘરે પાછો ન આવતા પરિવારજનોને તેની ખૂબ જ ચિંતા થવા લાગી હતી. તેઓએ આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ ક્યાંથી અતોપતો ન મળતાં તે તેમના પરિવારને વિચાર્યું કે, મોન્ટુ તેના મિત્રોની સાથે દૂર ચાલ્યો ગયો હશે..
એટલા માટે તે સવારમાં આવી જશે પરંતુ સવારે પણ તેનો કોઈ પણ અતોપતો ન મળતા પરિવારજનો ખૂબ જ ચિંતિત થવા લાગ્યા હતા. એવામાં ખેતરની અંદર રમતા કેટલાક બાળકો તરત જ દોડતા દોડતા ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા કે, ખેતરમાં લોહીનું ખાબોચિયું ભરેલું દેખાયું છે..
અને એ ખાડાની અંદર કોઈ વ્યક્તિનો હાથ દેખાઈ છે. બસ આ શબ્દો સાંભળતાની સાથે જ ખેતરના માલિકો ત્યાં પહોંચી આવ્યા હતા. અને તેઓએ જોયું તો એક ખાડાની અંદર કોઈ વ્યક્તિને દાટી દેવામાં આવ્યો હોય તેવું લાગતું હતું. જ્યારે માટી સાફ કરીને જોવામાં આવ્યું તો તેમના ગામમાં રહેતો 24 વર્ષનો મોટું નામનો યુવક હતો..
તાત્કાલિક મોન્ટુના માતા-પિતાને અહીં ખેતરે બોલાવવામાં આવ્યા અને તેમને જણાવવામાં આવ્યું કે, તેમના 24 વર્ષના દીકરાને કોઈ વ્યક્તિએ મારીને અહીં ફેંકી દીધો છે. અને તેને દાટવાની કોશિશ કરી છે. પરંતુ તેના શરીરને અડધું દાટ્યા બાદ જ કોઈ વ્યક્તિ અહીંથી ભાગવા લાગ્યું હશે અને આ ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો છે.
પરિવારજનોનું કહેવું છે કે, મોન્ટુ ને કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની ન હતી છતાં પણ તેમને કોઈ એક વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બાબતને લઈ આગળની તપાસો પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મોન્ટુની લાશ ને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપવામાં આવી છે..
આ ઉપરાંત મોન્ટુના માતા-પિતાનો તો રડી-રડીને હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ સાથે સાથે મોન્ટુના ભાઈએ જણાવ્યું છે કે, તે અંતે નરેશ પાસવાન નામના યુવકની સાથે ગયો હતો અને ત્યારબાદ તે ઘરે પાછો આવ્યો નથી. મોન્ટુના મોટાભાઈને નિવેદનના આધારે નરેશ પાન સહિત અન્ય પાંચ યુવકો ઉપર પણ ફરિયાદ નોંધાવી છે..
પોલીસે ફરિયાદ નોંધાવીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ખેતરમાં ખોદેલા ખાડામાં ચલાવવામાં આવી ત્યારે અંદરથી મોન્ટુ ની લાશ મળી આવતાની સાથે ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા. તો કેટલાક લોકો વિચારવા મજબૂર બની ગયા હતા કે, આખરે આ ગુનાખોરી ક્યાં જઈને ઉભી રહેશે. કારણ કે રોજબરોજ આ જુવાન જોધ દીકરાઓ કે દીકરીઓના મૃત્યુ આંક ખૂબ જ વધારે માત્રામાં આગળ વધી રહ્યા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]