Breaking News

રખડું પતિના ઢોરમાર અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળીએ પરણીતાએ ભરી લીધું એવું પગલું કે સાસરીયાવાળા થયા દોડતા, પરણીતાના પિતાએ કહ્યું કે….

ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. સમાજમાં મહિલાઓ સાથે અત્યાચાર અને માનસિક ત્રાસને કારણે ગંભીર બનાવો બની રહ્યા છે, જેમાં હાલમાં આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના પંજાબના લુધિયાના જોધન શહેરમાં બની હતી. પરિવારની મહિલા પર વારંવાર સાસરીયાઓએ માનસિક ત્રાસ ગુજાર્યો હતો.

અને તેની સાથે અત્યાચાર કર્યો હતો મહિલાનું નામ મીનાક્ષી હતું. તેના લગ્ન 7 વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા. મીનાક્ષીનું પિયર હરિયાણાના રોહતક ગામમાં હતું. મીનાક્ષીના પિતાનું નામ લખનમાજરા હતું અને તેમના ભાઈનું નામ હરીશકુમાર હતું. મીનાક્ષી લગ્ન બાદ તેમના સાસરીયા સાથે રહેવા આવી ગઈ હતી.

તેમના પતિ નું નામ સુનિલ હતું. સુનિલ લગ્ન પહેલાં નાની મોટી છૂટક મજૂરીઓ કરતો હતો પરંતુ કોઈ કામ કરી રહ્યો ન હતો. મીનાક્ષીના સસરાનું નામ હોશિયાર સિંહ હતું અને તેમની સાસુનું નામ મીના હતું. મીનાક્ષી લગ્ન બાદ સાસરીયે ખેતી કામ કરતી હતી પરંતુ તેને અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો.

જેના કારણે મીનાક્ષી ખૂબ જ કંટાળી ગઈ હતી. તેમનો પતિ સુનિલ કોઈ કામ ધંધો કરતો ન હતો. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલી બની જતું હતું. એક દિવસ મીનાક્ષીની કાકી અનિતા કોઈ કામ હોવાને કારણે મીનાક્ષીના ગામની બાજુનું ગામ ઝાલંધર પાસે સંબંધીના ઘરે આવી હતી. તે સમયે મીનાક્ષીના ઘરે ગઈ હતી.

અને તેઓ ઘરે રોકાયા હતા. તે સમય મીનાક્ષીએ તેની કાકીને સાસરિયાંઓ માર મારી રહ્યા છે તેમ વાત જણાવી હતી. જેના કારણે મીનાક્ષીની કાકીએ મીનાક્ષીને થોડા દિવસમાં રહેવા લઈ જવાનું કહ્યું હતું ત્યારે સાસરીયાઓએ ખેતરમાં કામ છે તે માટે થોડા દિવસો પછી મોકલશે છે તેમ જણાવ્યું હતું. જેના કારણે અનિતા ગામ પરત ગઈ હતી.

મીનાક્ષી તેમના સાસરીયે જ રહી હતી. ત્યારબાદ બીજો દિવસ થતાં વચેટિયા નો ફોન આવ્યો હતો અને તેમણે જે વાત જણાવી હતી. તે જાણીને પરિવારના દરેક સભ્યો આઘાતમાં આવી ગયા હતા. પિયરના લોકોને મીનાક્ષીના મૃત્યુ ની જાણકારી કરી હતી. મીનાક્ષીએ કંટાળીને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો હતો.

જેના કારણે મીનાક્ષી નો ભાઈ હરેશ કુમારે તરત જ પોલીસ સ્ટેશનમાં સાસરિયાંઓ સામે ફરિયાદ નોંધાવી હતી. સાસરિયા મીનાક્ષીને માર મારતા હતા અને તેની સાથે અત્યાચાર કર્યાની વાત જણાવી હતી. તેની મોટી બહેન સાથે ઝઘડો કરતા હતા. જેના કારણે કંટાળીને તેણે પોતાના જીવનો અંત લાવી દીધો હતો.

મીનાક્ષીએ આપઘાત કરી લીધો હતો. જેના કારણે પોલીસે મીનાક્ષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. મહિલાઓ સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. આ બનાવે સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *