Breaking News

રેલ્વેના પાટા નીચેના ગરનાળામાંથી વાસ આવતા ચેકિંગ હાથધર્યું, ખૂણામાં પડેલો ધાબળો ઉંચો કરતા જ લોકોમાં હડિયાપાટી મચી ગઈ…!

જ્યારે જ્યારે પણ જાહેર વિસ્તારમાં કોઈ રહસ્યમય ચીજવસ્તુ કે બીક લાગે તેવી વસ્તુઓને નાગરિકો જોઈ લે ત્યારે એકાએક ચીચીયારીઓ ફેલાઈ જતી હોય છે. અત્યારે એવી હડીયાપારટીનો એક માહોલ વિનાનગરના રેલવેના ગરનાળા પાસેથી બન્યો છે. અહીં રેલવેની ફાટક નજીક ગરનાળુ આવેલું છે.

આ ગરનાળાની અંદરથી રોજબરોજ અસંખ્ય સંખ્યામાં વાહનો પસાર થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વીણાનગર વિસ્તારના રહીશોનો ફરિયાદ હતી કે, આ ગરનાળાની અંદરથી અસહ્ય વાસ આવી રહી છે. ત્યાંથી પસાર થવામાં પણ મોઢે હાથ દઈને ચાલવું પડે છે. આ આસપાસના વિસ્તારના રહીશોએ ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું કે, આ વાસ ક્યાંથી આવી રહી છે..?

ત્યારે ખૂણામાં પડેલો એક ધાબળો દેખાઈ આવ્યો હતો. આ ધાબળાને ઉંચો કરતાની સાથે જ ત્યાં ચેકિંગ કરનાર રહીશોએ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, ત્યાં અચાનક જ હડીયાપાટી સર્જાઈ ગઈ હતી અને પોલીસનો કાફલાને પણ દોડતું થવું પડ્યું હતું. આ ધાબળાને ઉંચો કરતાની સાથે જ અંદાજે 25 થી 30 વર્ષના એક યુવકની ખૂબ જ ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી..

આ ધાબળો સંપૂર્ણપણે લોહીથી લથબથતો હતો અને ધાબળાને ઉંચો કરતાની સાથે જ અંદરથી જીવાંત પડી ગયેલી એક લાશ મળી આવી હતી. આ લાશને જોતા જ ત્યાં ઉભેલા લોકોમાં ફફળાટ મચી ગયો હતો અને તમામ લોકો આ ગરનાળાની બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ વીણાનગર વિસ્તારની એક સોસાયટીના પ્રમુખે પોલીસ સ્ટેશનને ફોન કરીને જાણકારી આપી કે..

આ ગરનાળામાંથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો, આ કાફલાની સાથે સાથે એફએસએલ ની ટીમ પણ આવી હતી. જ્યાં ઘટનાનું પરીક્ષણ કરવામાં આવ્યું અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. આ વ્યક્તિનું મૃત્યુ અંદાજે ચારથી પાંચ દિવસ પહેલા જ થઈ ગયું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..

કારણ કે લાશની ઉપર જીવાંત પડી આવી હતી અને આ જીવાંત તે લાશને કોતરીને ખાય પણ લીધી હતી. જેના કારણે અસહ્ય પ્રમાણ માં વાસ આવી રહી હતી. આ યુવક કોણ છે..? તેની હજુ સુધી કોઈપણ માહિતી મળી આવી નથી. આ વ્યક્તિની લાશના પાકીટમાંથી એક આઇડી કાર્ડ મળી આવ્યું છે.

જેમાં યુવકનું નામ સંદીપ હોવાનું સામે આવ્યું છે. પરંતુ તેનો કોઈ પણ અતો પતો કે રહેઠાણનો પુરાવો પણ હજુ સુધી મળી આવ્યો નથી. આ ઘટનાને લઈને પોલીસ એ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં એવું અનુમાન મળ્યું છે કે, કેટલાક વ્યક્તિએ રાત્રિના સમયે આ લાશને અહીં ફેંકીને ધાબળો ઓઢાડીને ચાલ્યા ગયા છે..

આ વ્યક્તિને શા માટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હશે..? તેમજ તેમના પરિવારજનોએ શા માટે હજુ સુધી પોલીસ સુધી કોઈ પણ ફરિયાદ નોંધાવી નથી, તે વિચારવા માટે સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે. જ્યારે જાહેરમાં આવી હચમચાવી દેતી ઘટના બને છે ત્યારે લોકોના તો પરસેવા છૂટી જતા હોય છે અને વિચારવા મજબૂર થવું પડે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *