પતિ પત્નીના ઘરેલુ ઝઘડાઓ છેલ્લા બે અઠવાડિયાથી બનવાના ઓછા થયા હોય તેવું લાગ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર સુરેન્દ્રનગરના નાગવાડા ગામની અંદર પતિ પત્નીના ઝગડાનો અનોખો કિસ્સો નોંધાઈ ગયો છે. આ બનાવને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના નગવાડા ગામની અંદર પ્રવીણ તળશીભાઈ મકવાણા નામનો યુવક પોતાના પરિવાર સાથે રહે છે..
તેની ઉંમર 35 વર્ષની છે. અને પોતે ખેત મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાત ચલાવે છે. પરિવારમાં તેની પત્ની મીનાબેન અને બે બાળકો તેમજ તેના માતા-પિતાનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમને બે બાળકો ખૂબ જ નાના હતા. અને તેઓ અવારનવાર રમત રમતમાં ઝઘડો કરવા લાગતા હતા..
મીનાબેન કોઈ કામમાં વ્યસ્ત હોવાથી તેઓએ તેમના પતિ પ્રવીણભાઈને આ બાળકોને ઝઘડો કરાવતા છોડાવવાનું કહ્યું હતું. એ સમયે પ્રવીણભાઈ બહારથી મજૂરી કામ કરીને થાકીને ઘરે આવ્યો હતો. તેણે આ બાબત સાંભળવાને બદલે મીનાબેન સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું અને વાત મારામારી અને ગાળાગાળી સુધી પણ પહોંચી ગઈ હતી..
આ ઝગડાને લઈને મીનાબેનને ખોટું લાગી જતા તે વણકર વાસમાંથી બહાર નીકળીને મોહલ્લામાં ભાગવા લાગી હતી. પરંતુ તેની પાછળ પ્રવીણ પણ લાકડી લઈને દોડવા લાગ્યો અને તેને મારવા માટે પાછળ પાછળ દોડતો હતો. મહિલા ખૂબ જ દૂર ભાગી ગઈ હતી. પરંતુ પ્રવીણ તેની પાછળ જઈને માથાના ભાગે જાડી લાકડીના ત્રણથી ચાર ફટકા માર્યા હતા.
માથાના ભાગે જોરદાર ફટકા વાગતા જ તે ત્યાં ને ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને 108ની મદદથી દસાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે આ બનાવની જાણ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનને થઈ ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મીનાબેન મકવાણાની લાશનો પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી છે..
અને તેનો પતિ કે જેણે મીનાબેનની હત્યા કરી છે. તે પ્રવીણને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રવીણની માતા રેવીબેને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે કે, તેના દીકરા પ્રવીણને તેની પુત્રવધુ મીનાબેનની હત્યા કરી છે. અને બંને બાળકોને માતાની છત્રછાયા ગુમાવી પડી છે. દિન પ્રતિ દિન ઘરેલું મામલાઓ ખૂબ જ વધવા લાગ્યા છે. જેમાં વાત મારામારી અને હત્યા સુધી પણ પહોંચી ચૂકી હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]