પ્રેમી સાથે લગ્ન કરવાની બબાતે લડાઈ થતા યુવતીએ પ્રેમીના ઘરમાં જ લટકીને આપઘાત કરી લીધો, માં-બાપએ લટકતી દીકરીને જોઈને..

પ્રેમ પ્રકરણના અમુક કિસ્સાઓ રૂવાંટા બેઠા કરાવી દે તે પ્રકારના સાબિત થઈ જતા હોય છે, સોશિયલ મીડિયાના જમાનામાં અત્યારે મોટાભાગના જુવાન ઉંમરના યુવક યુવતીઓ એકબીજાના આકર્ષણનો ભોગ બની પ્રેમ સંબંધમાં જોડાઈ જતા હોય છે, તેઓ તેમના માતા-પિતા તેમજ સમાજના રીતે રિવાજોનું કશું ધ્યાન રાખતા નથી..

અને તેમનો અંત એવી કરુણ ભર્યો સાબિત થતો હોય જેને જોઈને જ આપણી આંખમાંથી પણ આંસુ નીકળી જતા હોય છે, અત્યારે પ્રેમ લગ્નની બાબતને લઈને યુવક અને યુવતી વચ્ચે લડાઈ ઝઘડો થયો હતો. અને આ લડાઈ ઝઘડાનો અંત ખૂબ જ કરુણ રીતે આવ્યો છે. આ બનાવો ઇન્દોરના એરોડ્રોમ વિસ્તાર પાસેનો છે..

અહીં પલ્હાર નગર માં રહેતી 28 વર્ષની પ્રીતિ નામની યુવતી છેલ્લા બે વર્ષથી 34 વર્ષના સચિન શર્મા નામના એક યુવકને સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. સચિન અને પ્રીતિ એકબીજાને ખૂબ જ વધારે પ્રેમ કરતા હતા, સચિન રેલવે વિભાગમાં સ્ટેશન માસ્તર તરીકેની ફરજ નિભાવતો હતો..

તો બીજી બાજુ 28 વર્ષની પ્રીતિ છેલ્લા બે થી ત્રણ વર્ષથી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે છેલ્લા બે વર્ષથી આ યુવકની સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. આ પહેલા પણ તે ચાર વર્ષ સુધી એક અન્ય યુવક સાથે પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી, પરંતુ એ યુવકે અચાનક જ પ્રીતિને દગો આપીને અન્ય કોઈ યુવતી સાથે પરણી ગયો હતો ત્યારબાદ પ્રીતિની સ્થિતિ ખૂબ જ કથળી ગઈ હતી..

અને એવા સમયે સચિને તેને સાથ સહકાર આપ્યો અને ત્યારબાદથી સચિન અને પ્રીતિ એકબીજાને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા અને હવે તેઓ એકબીજા નો પ્રેમ સંબંધ હવે લગ્નજીવનમાં રૂપાંતરિત કરવા જઈ રહ્યા હતા. એ બાબતને લઈને તેઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લડાઈ ઝઘડો ચાલતો હતો..

પ્રીતિ એક દિવસ સાંજના સમયે સચિનના ઘરે ગઈ અને ત્યાં તેમના લગ્ન વિશેની વાતચીત તો કરવાની શરૂ કરી હતી, પરંતુ આ બાબતને લઈ સચિને કહ્યું કે, હજુ તે થોડા સમય બાદ લગ્ન કરવા માંગે છે. હાલ તેને નોકરીમાંથી બરાબર કમાણી થઈ રહી નથી, એટલા માટે તે સાઈડ બિઝનેસ કરવા માંગે છે..

અને તેમાં સફળ થયા બાદ તે બંને લગ્ન કરી લેશે તેવું જણાવ્યું હતું, પરંતુ પ્રીતિને લગ્નની ખૂબ જ ઉતાવળ હોવાને કારણે બંને વચ્ચે લડાઈ ઝઘડો થયો અને આ લડાઈ ઝઘડો થતા જજો સચિન ઘરમાંથી બહાર નીકળીને ચાલ્યો ગયો હતો. જ્યારે તે ઘરે સવારના સમયે પરત આવ્યો ત્યારે જોયું તો સચિનના ઘરની રૂમની અંદર 28 વર્ષની પ્રીતિ એ લટકીને આપઘાત કરી લીધો હતો..

આ દ્રશ્ય જોતા જ તેના ડોળા ફાટીને બહાર આવી ગયા હતા, તેને તરત જ પ્રીતિના માતા-પિતાને પણ આ ઘટના વિશે જણાવી દીધું કે, તમારી દીકરીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનાને લઈ બિચારા મા બાપ માથે તો આફતોના વાદળો ફાટી નીકળ્યા હતા તેઓએ તેમની દીકરીને હાલતમાં લટકતા જોઈને તેઓ પણ ચકકર ખાઈને ત્યારે ત્યાં નીચે ઢળી પડ્યા હતા..

આ બાબતને લઈને પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી, પોલીસે પ્રીતિના મોબાઈલ ફોનની તપાસ શરૂ કરાવી છે, આ ઉપરાંત ધર્મની અંદરથી કોઈપણ અંતિમ નોટ પણ મળી આવી નથી અને પ્રીતિએ સચિનને અંતિમ વખત ફોન કરીને કહ્યું હતું કે, હું જઈ રહી છું અને હવે આજ પછી ક્યારે પણ તમને મળીશ નહીં, સચિન એ વિચાર્યું કે તે તેના પ્રેમ સંબંધને તોડીને જઈ રહી છે. પરંતુ હકીકતમાં પ્રીતિ આ દુનિયા છોડવાની વાતચીત કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment