માતાને પોતાના દીકરા અને દીકરીનું ખૂબ જ લાગી આવે છે. જો કોઈ વ્યક્તિ તેના દીકરા કે દીકરી વિશે કશું પણ બોલે તો એક માતા ક્યારેય પણ એ સહન કરતી નથી. કારણ કે માની મમતા તેના બાળકો સાથે જોડાયેલી હોય છે. પરંતુ આજે એક માતાએ પોતાના સગા પાંચ વર્ષના દીકરા સાથે ન કરવાનું કરી નાખ્યું છે.
અને ત્યારે આ ઘટના સામે આવી ત્યારે સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, એક માતાએ આજે તેની મમતા ભુલાવી દીધી છે. અને પોતાના જ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મામલો રાજસ્થાનના શ્રીગંગાધરનો છે. અહીં 27 વર્ષની સુમન તેના પતિ સાજન સાથે રહેતી હતી. સાજન અને સુમન બંનેને લગ્નજીવન દરમિયાન પાંચ વર્ષના એક દીકરાનો જન્મ થયો હતો..
સુમને જ્યારે તેના દીકરા તુષાર ને જન્મ આપ્યો ત્યારે તે ખૂબ જ લાડ પ્રેમથી તેનો ઉછેર કરતી હતી. પરંતુ એક દિવસ અચાનક જ તુષાર મોતને ઘાટ ઉતારેલી હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે ઘરને થોડી દૂરથી તુષારના કટકે કટકા મળી આવ્યા ત્યારે આસપાસના વિસ્તારોમાં ફાફડાટ મચી ગયો ઘટનાની જાણકારી કરવા માટે પોલીસ ખાતું પણ સાજન ભાઈના ઘરે આવી પહોંચ્યું હતું..
પૂછપરછ દરમિયાન સાજનભાઈ જણાવ્યું કે, તેમની પડોશમાં રહેતી સુખપ્રીત તને તેના પતિ અશોક ઉપર તેમને શક છે. અને તેમણે તેમના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જ્યારે આ મામલાની વધારે તપાસ ચલાવવામાં આવી ત્યારે જાણકારી મળે કે આ બાળકને મારનાર અન્ય કોઈ વ્યક્તિ નહીં પરંતુ બાળકની માતા સુમન ખુદ જ છે.
સુમન અને તેનો પ્રેમી સર્વેશ બંને એકબીજાને વારંવાર મળતા હતા. જ્યારે સાજન પોતાની નોકરી ધંધે ગયો ત્યારે સર્વેશ સુમનના ઘરે આવી પહોંચી અને બંને રંગીન પળો વિતાવવા માટે પોતાના પાંચ વર્ષના દીકરા તુષારને બહાર મોકલી દીધો હતો. તુષાર બહારના ભાગે રમી રહ્યો હતો. ત્યારે તુષારની માતા સુમન તેના પ્રેમી સર્વેશ સાથે ખૂબ જ રંગીન પળો વિતાવતી હતી..
જ્યારે અચાનક જ તુષાર પાણી પીવા માટે પોતાને ઘરે આવ્યો ત્યારે તેને તેની માતાને ખૂબ જ ખરાબ હાલતમાં જોઈ લીધી હતી. આ ઉપરાંત તેની માતા સાથે ખરાબ હરકતો કરનાર સર્વેશને પણ તેણે જોઈ લીધો હતો સર્વેશે તુષારને પોતાની પાસે બોલાવ્યો અને દસ રૂપિયા આપીને ચોકલેટ લઈ ખાવા માટે જણાવ્યું હતું.
સર્વેશે વિચાર્યું કે 10 રૂપિયાની આ લાલચમાં આ બાળક ક્યારેય પણ પોતાના મનની વાત ખુલશે નહીં, પરંતુ બાળકે જણાવી દીધું કે મમ્મી તું આ શું કરી રહી છો હું આ જાણકારી પિતાને આપી દઈશ ત્યારે સર્વેશ ખૂબ જ ગુસ્સે ભરાયો અને તેણે તુષારને બેથી ત્રણ લાફોટો મારી દીધી હતી. પોતાના દીકરાને માર ખાતો જોઈને સુમન એક પણ વાર પોતાના મોઢામાંથી એમ ન બોલી કે તમે શા માટે તુષાર ને મારી રહ્યા છો..
કારણ કે આ માતાની મમતા મરી ચૂકી હતી અને તેને પોતાના દીકરા કરતાં પોતાનો પ્રેમી વધારે વહાલો હતો. આ ઘટના બની છતાં પણ સુમન તેના પ્રેમી સર્વેશ સાથે રંગીન પળો વિતાવતી રહી હતી. જ્યારે તેઓને શંકા ગઈ કે, જો તુષાર તેના પિતાને આ ઘટનાની જાણકારી આપી દેશે તો ખૂબ જ મોટો હોબાળો મચી જશે..
એટલા માટે તેઓએ તુષારને રસ્તા પરથી સાફ કરવાનું નક્કી કરી નાખ્યું હતું. આ ઘટના મુજબ સુમનએ પોતાના દીકરાને ઘરની અંદર બોલાવ્યો હતો અને તેને મોતને ઘાટ ઉતારી કટકા કરી નજીકની કેનાલમાં ફેંકી દીધો હતો. જ્યારે આ કરોડ ઘટના સામે આવી ત્યારે આસપાસના સૌ કોઈ લોકોની સાથે સાથે સ્નેહીજનો અને સગા સંબંધીઓ પણ વિચારવા મજબૂર બની ગયા કે, આખરે આ કેવી માતા છે..
આ માતાને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે તેણે પોતાના દીકરાને ખૂબ જ દર્દનાક મોત આપ્યું છે. આ માતા માટે આ દુનિયામાં કોઈ પણ સ્થાન શક્ય નથી. આવી માતા કરતા ન હોઈ તે લાખ ગણું સારું, બિચારા 5 વર્ષના દીકરાનો શું વાંક કે તેને તેની માતાના હાથે જ મોતને ઘાટ ઉતરી જવું પડ્યું..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]