Breaking News

પ્રસંગ બકાડવા જતા પરિવારની કાર બેકાબુ થતા પલટી ખાઈ ગઈ, એક જ પરિવારના 3ના મોતથી છવાઈ ગયો શોકનો માહોલ..!

હાઈવે ઉપર રોજ અકસ્માતો બને છે. જેમાં ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. જેમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોની મદદ પરિવારજનો માટે સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે. ઘણા બધા અકસ્માતો હાઈવે પર બેફામ ગતિએ ચલાવનારા વાહનોના કારણે બનતા હોય છે. તો ઘણા અકસ્માતો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાને કારણે તેમજ વાહનની ખામીઓને કારણે બનતા હોય છે..

હાલ ખૂબ જ ગંભીર એક અકસ્માત સર્જાયો છે. જેમાં કુલ 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ જયપુર દિલ્હી નેશનલ હાઈવે-48 પર આજે બપોરના સમયે બન્યો છે. એક અલ્ટો કારમાં રોહતકનો એક પરિવાર અજમેર કોઈક પ્રસંગ બકાડવા ( પ્રસંગમાં હાજરી આપવા ) જઈ રહ્યો હતો.

તેઓ જ્યારે જયપુરથી લગભગ 90 કિમી દૂર ગોવર્ધનપુરા ગામના પુલ પાસે પહોચ્યા ત્યારે તેમની અલ્ટો કાર બેકાબૂ બની હતી. બેકાબૂ ઝડપે આવતી કાર બીજી લેનમાં સામેથી આવતી એક ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે કારનો બુકડો બોલી ગયો છે. આ કારમાં એક જ પરિવારના 5 સભ્યો હતા.

જેમાંથી 3ના મોત થયા હતા, જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાર રોહતકનો રહેવાસી દીપક જાટ ચલાવી રહ્યો હતો. જેની ઉંમર 28 વર્ષની છે. દીપક તેની માતા નરેશ દેવીની ઉંમર 60 વર્ષ, 58 વર્ષની કાકી સંતોષ દેવી, 80 વર્ષના નાના રામ હરે અને 75 વર્ષની નાની રામપ્યારી સાથે તેના કાકાને મળવા અને પ્રસંગમાં હાજરી દેવા અજમેર જઈ રહ્યો હતો…

આ અકસ્માતમાં તમામને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગ્રામજનોની મદદથી ઘાયલોને ખાનગી વાહનોથી 10 કિમી દૂર કોટપુતલી સ્થિત સરકારી BDM જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. દીપકના દાદા, દાદી અને કાકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,

જ્યારે દીપક અને તેની માતા નરેશ દેવીની હાલત નાજુક છે. સારવાર ચાલુ રહે છે. ચોકીના ઈન્ચાર્જ ભવાની સિંહે જણાવ્યું કે ગોવર્ધનપુરા કલવર્ટ પર અકસ્માત થયા બાદ ટ્રોલી ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઘાયલ દીપક જાટે જણાવ્યું કે પરિવાર તેના કાકાને મળવા રોહતકથી અજમેર જઈ રહ્યો હતો.

તેના કાકા અજમેરમાં કરિયાણાની દુકાન ચલાવે છે. જ્યારે દીપક ખેડૂત છે. રોહતકમાં ખેતી તે ખેતી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીપકના દાદા રામ હેરને 3 છોકરા અને 3 છોકરીઓ છે. આ અકસ્માતના બનાવને લઈને ભારે ચકચાર મચી જવા પામ્યો છે. તો હાઈવે પર પણ ભારે ચક્કા જામ જોવા મળ્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *