Breaking News

પોતાના માં-બાપની નજર સામે જ પતિએ તેની પત્નીને કટકા કરીને ફેંકી દીધી, પોલીસને બોલાવીને કહ્યું એવું કે પોલીસ પણ મુંજવણમાં મુકાઈ ગઈ.. જાણો..!

હાલ એક અતિશય ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના સિદ્ધાર્થ વિહારમાં 24 વર્ષની રિયા જૈન અને આકાશ ત્યાગી રહે છે. તેઓ એકબીજાને પ્રેમ કરતા હોવાથી બંનેના પરિવારજનોએ તેમના લગ્ન નક્કી કર્યા હતા. બંનેના લગ્ન આજથી 10 મહિના પહેલા જ થયા હતા.

પરંતુ લગ્ન બાદ આકાશ અને તેના પરિવારે હેરાનગતિ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે રિયાને દહેજ માટે હેરાન કરવાનું શરૂ કર્યું હતું. પરિણામ એ આવ્યું કે 10 મહિના પછી જ દહેજના લોભી પતિ અને સાસરિયાઓએ રિયાનો જીવ લઈ લીધો છે. એટલું જ નહી પરતું તેને એવું મોત આપ્અયું છે કે જેના વિષે જાણતા જ એકાએક હચમચી જવાય..

તેના કટકા કરીને એક કટકો કેનાલમાં અને એક કટકો જંગલમાં નાખી દીધો હતો. આ ઘટના બાદ આકાશ અને તેના પરિવારે પોલીસ અને સંબંધીઓને ગેરમાર્ગે દોરવાનું કાવતરું પણ ઘડ્યું હતું. આ ઘટના બાદ રિયાના પતિ આકાશે પોલીસને ફોન કરીને તેની પત્નીના અપ.હ.રણની માહિતી આપી હતી.

માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે રિયાની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસે આ ઘટનાની તમામ કડીઓ ઉમેરીને મામલો જાહેર કર્યો અને જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું.

શરુઆતમાં તો પોલીસ પણ મુંજવણમાં મુકાઈ ગઈ કે આખરે એવું તો શું થયું હશે કે જેના કારણે આ મહિલા ગાયબ થઈ છે. આરોપીએ પોલીસને જાણ કરી હતી કે રિયાના ભાઈએ કોઈની પાસેથી લોન લીધી હતી. પૈસા આપવાના વાયદા પર કેટલાક લોકો તેના ઘરે આવ્યા અને તેની પત્નીનું અપહરણ કર્યું.

પોલીસના કહેવા પ્રમાણે, આરોપીઓએ આખી ઘટનાને એક પ્લાન હેઠળ અંજામ આપ્યો હતો. તેમને ખાતરી હતી કે આ યોજના હેઠળ ન તો મહિલાનો મૃતદેહ મળશે અને ન તો પોલીસ ક્યારેય હત્યાની ઘટનાનો પર્દાફાશ કરી શકશે અને તેમને પકડી શકશે.  પોલીસે રિયાને પતાવી દેવાના મામલામાં તેના પતિ આકાશ ત્યાગી અને સાસુ ઉષા ત્યાગી અને સસરા સુરેશ ત્યાગીની ધરપકડ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *