છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પોલીસ દ્વારા જાહેર રસ્તા ઉપર કડક બંદોબસ્ત ગોઠવીને ચુસ્ત ચેકિંગ ચાલી રહ્યું છે. કારણ કે શહેરમાં નશાખોરને બઢતી આપે તેવા નસીલા પદાર્થોનું વેચાણ દિન પ્રતિદિન વધવા લાગ્યું છે. આ તમામ બાબતો પાછળ ક્યાંક ને ક્યાંક એવા માથાભારે લોકોનો હાથ હોય છે કે, જેઓ ગુજરાતની અંદર એવી રીતે નશીલા ચીજ વસ્તુઓ ઘુસાડે છે..
જેને કારણે ભલભલા લોકો ચકમો ખાઈ જાય છે. આણંદના આંકલાવ પોલીસે ગંભીરા ચોકડી પાસેથી એક મોટી ગાડી ને પકડી પાડી હતી. આ ગાડીમાં ચેકિંગ કરવામાં આવ્યો હતો અને ત્યારે અંદરથી જે સામાન મળ્યો છે, તેને જોઈને ભલભલા લોકોના ડોળા ફાટી નીકળ્યા છે. સામાન્ય રીતે પોલીસ દરેક ગાડીઓમાં ચેકિંગ કરે છે..
પરંતુ જે ગાડીઓ અને તેમાં બેઠેલા વ્યક્તિ શંકાસ્પદ જણાઈ તો તેનું વધારે ચેકિંગ પણ કરવામાં આવે છે. ગંભીરા ચોકડી ઉપરથી પોલીસે ઝાયલો કારને ઉભી રાખી હતી. આ ગાડીમાં કુલ ત્રણ લોકો સવાર હતા. પોલીસે તેઓને પૂછ્યું હતું કે, તેઓ ક્યાંથી આવે છે. અને ક્યાં જઈ રહ્યા છે. આ ઉપરાંત પાછળના ભાગે ડીકી ખોલવાનું પણ જણાવ્યું હતું.
પરંતુ ઘરમાં બેઠેલા આ ત્રણેય વ્યક્તિઓ એકબીજાને સામે જોઈને ખૂબ જ ડરી ગયા હોય તેવું લાગતું હતું. તેઓએ ડીકી ખોલવાની મનાઈ કરી હતી. એટલા માટે પોલીસને શંકા ગઈ કે નક્કી આકારની અંદર કંઈક કાળું છે. એટલા માટે તેઓએ આ કારની ડીકી ખોલાવી હતી અને અંદર તપાસ કરતાં જોયું તો વાદળી કલરના પાવડરની 10 જેટલી બોરીઓ મળી આવી હતી..
આ તમામ બાબતોની પૂછતા જ પોલીસે શરૂ કરી કે આ બોરિયો ક્યાંથી લાવવામાં આવે છે. અને કયા કારણોસર તેનો ઉપયોગ કરવામાં આવશે..? આ અગાઉ વડુ ગામના દૂધવાળા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક કલર લિમિટેડ કંપનીની કેમિકલ ચોરી થયા હોવાની માહિતી પોલીસને મળી હતી. અને આ કેમિકલ આ ત્રણ યુવકો મોટી ગાડી ની ડીકીમાં લઈ જઈને હેરાફેરી કરી રહ્યા હતા…
એવામાં પોલીસને હાથે ચડી જતા હાલ તેઓને ખૂબ જ ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. આ ત્રણેય વ્યક્તિઓના નામ રૂપસંગ રાઠોડ, રણજીત રાઠોડ અને અશોક ગણપત પઢીયારના હોવાનું સામે આવ્યું છે. આંકલાવ પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની પાસેથી કુલ 1.97 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે..
તેઓની ધરપકડ કર્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આ ત્રણેય આરોપીઓને વડુ પોલીસને સોંપવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી. આ બાબતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જણાવ્યું કે એક કલર કંપનીમાંથી વાદળી કલરના પાવડરની ચોરી થઈ હતી. આ વાદળી પાવડર લોકો પહેરતા જીન્સના પેન્ટના કલર કરવામાં ઉપયોગી છે..
આ કેમિકલની ચોરી કરીને તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. તેવામાં તેઓ પોલીસના હાથે પકડાઈ જતા હાલ તેઓને જેલના હવા ખાવાનો વારો આવ્યો છે. આ ત્રણેય વ્યક્તિ ભરૂચ જિલ્લાના કહાનવા ગામના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. જુદાજુદા ચાર રસ્તા ઉપર પોલીસ ચેકિંગની કામગીરી હાથ ધરે છે..
ત્યારે કંઈક ને કંઈક અવનવી ચીજ વસ્તુઓ પકડાતી હોય છે. કોઈક વખત દારૂ જેવા નસીલા ચીજ વસ્તુઓનો વેપલો પકડાય છે. તો કોઈક વખત ચોરી કરેલી કિંમતી ચીજ વસ્તુઓની હેરફેર દરમિયાન પકડી પાડવામાં આવતા હોય છે. હકીકતમાં આપણા પોલીસ જવાનો ને સત સત નમન છે. કારણ કે, તેઓ દિવસ રાત મહેનત કરીને લોકોની સુરક્ષા અંગે ખૂબ જ ધ્યાન રાખે છે. અને કાળા કામ કરનાર ને તાત્કાલિક ધોરણે પકડી પાડે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]