અવારનવાર ગુજરાત પોલીસ ગોરખ ધંધા અને કાળા કામ કરનાર લોકોને શોધ્યા બાદ તેમની પાસે રહેલા તમામ ગેરકાયદેસર ચીજ વસ્તુઓના જથ્થાને નાશ કરતી હોય છે. કાળા કામ કરનાર લોકોને ક્યારેય પણ છોડી મૂકવામાં આવતા નથી. તેઓને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવતી હોય છે..
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં ગેરકાયદેસર ચીજ વસ્તુ પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગુજરાત પોલીસએ ખૂબ જ બહાદુરી દેખાડીને આવા કેટલાય ગોરખધંધા સાથે જોડાયેલા લોકોને પકડી પડ્યા છે. અને ખૂબ મોટો જથ્થો નાશ કર્યો છે. અને હવે પાટણના હારીજમાંથી પોલીસે વધુ એક સાહસિક કામ કરી બતાવ્યું છે..
હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, હારીજથી કુકરાણા જોવાના રોડ ઉપર એક ખેતર આવેલું છે. જ્યાં મહિપતસિંહ નથુજી વાઘેલા નામનો એક યુવક પોતાના ખેતરમાં ગોરખ ધંધાઓ કરી રહ્યો છે. આ બાતમીને મળતાની સાથે જ પોલીસે હારીજ વિસ્તારમાં પેટ્રોલિંગનું કામગીરી શરૂ કરી દીધી હતી. તમામ જાણ મેળવ્યા બાદ પોલીસે ટીમ સાથે લઈને હારીજના આ ખેતર ઉપર છાપો માર્યો હતો.
આ બાતમી મળતાની સાથે જ પોલીસ ની ટીમ જુદા જુદા જગ્યા ઉપર અને તપાસની કામગીરી શરૂ કરી હતી. કારણ કે પોલીસને જાણ મળી હતી કે આ ખેતરમાં દારૂનો ધંધો ધમધમી રહ્યો છે. આ આખા ખેતરને ખોળી માર્યા બાદ પણ પોલીસને ત્યાંથી દારૂનો જથ્થાની જાણ થઈ હતી નહીં. ખેતરમાં રહેલી ઓરડી તેમજ ખેતરમાં ઊભેલા પાકની વચ્ચે પણ તપાસ કરવામાં આવી છતાં પણ ક્યાંયથી દારૂનું નામનિશાન પણ મળ્યું હતું નહીં..
પરંતુ જ્યારે પોલીસ ખેતરમાંથી પસાર થતી હતી. ત્યારે બાવળના ઝાડ નીચે ખોદકામ કરેલું હોય તેવું દેખાયું હતું. એટલા માટે પોલીસે ત્યાં તપાસ કરવાની શરૂ કરી હતી. હકીકતમાં બાવળના ઝાડ નીચે જમીનની અંદર એક લોખંડનું પીપ બેસાડવામાં આવ્યું હતુ. પોલીસને જાણે જાણ થઈ કે આ જમીનની અંદર લોખંડનું એક બેસાડવામાં આવ્યું છે, ત્યારે આ પીપની ખોલીને તેની અંદર શું છે તેને જાણવાની કોશિશ કરી હતી..
પીપ ખોલતાની સાથે જે દિવસે જોયું તે જોઈને સૌ કોઈ છૂટી ગયા હતા. કારણ કે અંદરથી કુલ 633 બોટલ બીયર અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એટલે કે આ દારૂની કુલ કિંમત અંદાજે એક લાખ રૂપિયા કરતા પણ વધારે હતી. દારૂનો મોટો જથ્થો પકડાતાં પોલીસે ખેતરના માલિક મહીપતસિંહ નથુજી વાઘેલાને પકડી પાડ્યા હતા..
અને તેને પોલીસમાંથી લઈ જઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી અને ગુના નોંધ્યા બાદ તપાસ શરૂ કરી છે. વડોદરાના એક ગામડામાં પોલીસે છાપો મારીને દારૂનો એક ખુબ મોટો જથ્થો પકડી પાડ્યો હતો. આ બનાવ બન્યા બાદ આસપાસના ગામોમાં ચકચાર મચી ગયો છે. જ્યારે ગોરખ ધંધા સાથે જોડાયેલા અન્ય બુટલેગરો આ બાતમીના સમાચાર સાંભળતાની સાથે જ ભૂગર્ભમાં સમાઈ ગયા છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]