હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા તહેવારોની શરૂઆત થાય છે. શ્રાવણ મહિનાથી અનેક તહેવારો શરૂ થઈ રહ્યા હોય છે. જેને કારણે બજારમાં મીઠાઈઓ અને ફરસાણ લેવા માટે લોકો પડાપડી કરે છે. લોકો ફરસાણ માટે અને મીઠાઈઓ માટે અને દુકાનોમાંથી ખરીદી કરે છે.
તેને કારણે બજારમાં દુકાનદારો ગ્રાહકોની ખરીદીને કારણે તેઓ પોતાનો બમણો ધંધો કરવા માટે અને હલકી ગુણવત્તાની વસ્તુઓ વધારે પૈસામાં વેચીને પોતાના નફો કરી રહ્યા હોય છે. ગ્રાહકોને ભેળસેળવાળી વસ્તુઓ વેચી રહ્યા હોય છે. મીઠાઈઓ શુદ્ધ ઘીને બદલે ભેળસેળવાળું ઘી વાપરીને મીઠાઈ બનાવી રહ્યા હોય છે.
ગ્રાહકોને વેચી રહ્યા છે. આવી ભેળસેળની ઘટના રાજકોટ શહેરમાં સામે આવી હતી. રાજકોટ શહેરમાં બજારમાં શુદ્ધ ઘીના નામે ડુબલીકેટ ઘી વેચાઈ રહ્યું છે. જેને કારણે ગ્રાહકો મીઠાઈના પૂરતા પૈસા ચૂકવી રહ્યા છે પરંતુ આ પૈસા પ્રમાણે તેઓને શુદ્ધ વસ્તુ આપવામાં આવતી નથી. તેને કારણે પોલીસને બાતમી મળતા પોલીસે ચેકિંગ ચાલુ કર્યું હતું.
નવાગામ આણંદપર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. બધા લોકો સરખા નથી હોતા અમુક લોકો જ આવી ભેળસેળ કરીને ધંધો વધારી રહ્યા છે. ભેળસેળ કરીને નામચીન કંપનીના નામે ઘી વેચી રહ્યા હતા. આ ઘી માંથી મીઠાઈઓ બની રહી હતી. અનેક દુકાનોમાં આ ઘી વેચાઈ રહ્યું હતું. પોલીસે આણંદપર રઘુવીર ડેલાવાળા રોડ પર આવેલા રંગીલા શેફર્ડ પાર્કમાં આવેલા બંધ મકાનમાં દરોડા પાડ્યા હતા.
આ મકાનમાં એક યુવક આ ધંધો કરી રહ્યો હતો. યુવકનું નામ લીલાધર મગનભાઈ મૂલિયા હતું. મગનભાઈ ઘણા સમયથી ભેળસેળવાળું ઘી બનાવી રહ્યા હતા. ડુબલીકેટ ઘી બનાવીને તેના ડબ્બા ભરી રાખતા હતા. ત્યારબાદ બજારમાં જરૂરી પૂરતો ઘીનો જથ્થો અહીંથી મોકલવામાં આવતો હતો. તે માટે પોલીસે દરોડા પાડતા આ બંધ મકાનમાંથી 40 ડબા ઘીનો જથ્થો મળી આવ્યો હતો.
40 ડબ્બામાં 599 કિલો ઘી મળી આવ્યું હતું. આ ઘી ભેળસેળવાળું અને ડુબલીકેટ હતું. તેને કારણે પોલીસે 83,860 ની કિંમતના ઘીને જપ્ત કરી લીધું હતું. મગનભાઈને પણ પકડી પાડવામાં આવ્યા હતા. ઘણા સમયથી બજારમાં આ મોટી કંપનીના ઘીના નામે ધંધો કરવામાં આવતો હતો. આવું ડુબલીકેટ ઘી ખાવાને કારણે ઘણી બધી બીમારીઓ થઈ શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]