Breaking News

પિયરે જવાનું નામ લઈશ તો ટાંટિયા ભાંગી નાખીશ કહીને પતિએ હેરાનગતિ પહોચાડતા પત્નીએ 2 દીકરીઓને પડતી મૂકીને આપઘાત કરી લીધો, ઓમ શાંતિ..!

નાની નાની બાબતોમાં ક્યારેય પણ ગુસ્સો કરવો જોઈએ નહીં અને લડાઈ ઝઘડો ટાળીને હંમેશાં સુખમય રીતે જીવન પસાર કરવું જોઈએ પરંતુ હજુ પણ કેટલાક પતિ પત્નીઓમાં નાની નાની બાબતોમાં લડાઈ ઝઘડો આપણે જોતા હોઈએ છીએ, અમુક વખત આ લડાઈ ઝઘડો કોઈ વ્યક્તિના જીવ લઈ લેવા સુધીની વાતો પર પણ પહોંચી જાય છે..

અત્યારે રાજસ્થાનના જયપુર માંથી એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી છે, પતિએ તેને પત્નીને પિયરે જવા દેવાની મનાઈ કરતાની સાથે જ પત્નીને ખૂબ જ માઠું લાગી ગયું હતું. આ ઉપરાંત પતિ અવારનવાર તેની પત્ની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતો હોવાથી માઠું લાગી આવેલી પત્નીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દેવાની ઘટના સામે આવી છે..

આ બનાવો સાવરદાણા ગામમાં બની છે, હકીકતમાં આ ગામની અંદર માલુરામ નામનો યુવક તેની 25 વર્ષની પત્ની કોમલદેવીની સાથે રાજી ખુશીથી જીવન ગુજારતો હતો. કોમલને નાની ઉમર થી જ પરણાવી દેવામાં આવી હતી, અને તેના લગ્ન થયા તેના આઠ વર્ષ વીતી ચૂક્યા છે. આ સુખી લગ્નજીવનની વચ્ચે કોમલ અને માલુરામે બે બાળકીઓને જન્મ પણ આપ્યો હતો..

એક પછી એક બે બાળકીઓ જન્મતા જ માલુરામનું વર્તન ધીમે ધીમે બગડવા લાગ્યું હતું, તે અવારનવાર તેની પત્નીને હેરાન પરેશાન કરતો હતો. એક દિવસ કોમલે તેના પતિને જણાવ્યું કે, તેના કાકાના દીકરાના લગ્ન હોવાને કારણે તે તેના પિયરે જવા માંગે છે. અને પાંચ દિવસના રોકાણ કર્યા બાદ તે પોતાને સાસરે પરત ફરી જશે..

પરંતુ માલુરામે જણાવ્યું કે, તારે પિયરે જવાની કોઈ પણ જરૂર નથી. અને તારે તારા કાકાના દીકરાને લગ્નમાં પણ જવાનું નથી. જો તું તારે પિયરે જવાની વાત કહીશ તો હું તારા ટાંટિયા ભાંગી નાખીશ તેમ કહીને પતિ અવારનવાર કોમલને હેરાનગતિ પહોંચાડતો હતો. કોમલ એ શરૂઆતમાં તો આ બધી બાબતો ખૂબ જ સહન કરી..

અને ત્યારબાદ તેને ફરી એકવાર બે થી ત્રણ દિવસ બાદ તેના પતિને પિયર જવાની મંજૂરી માંગી હતી, એ વખતે પણ માલુરામએ તેની પત્નીને ઢોર મારવાનું શરૂ કરી દીધું અને પિયરે જવાની મનાઈ ફરમાવી હતી. આ બાબતથી કોમલને ખૂબ જ માઠુ લાગી આવ્યું અને તેણે રૂમનો દરવાજો બંધ કરીને લટકીને આપઘાત કરી લીધો હતો..

એક બાજુ તેની બંને દીકરીઓ ઘરમાં રડી રહી હતી, જ્યારે બીજી બાજુ કોમલે આખા કરીને જીવન ટૂંકાવી દેતા બંને માસુમ ફૂલ જેવી બાળકી ઉપરથી તેની માતાની છત્રછાયા દૂર થઈ ગઈ હતી. જ્યારે માલુરામને આ બધી બાબતોને લઈને કોઈ પણ પ્રકારની લાજ શરમ આવી નહીં અને તે તેના પતરીના મૃત્યુને લઈને સહેજ પણ દુઃખી દેખાયો હતો નહીં..

આ ઘટનાના સમાચાર જ્યારે કોમલના માતા-પિતા તેમજ કોમલના કાકા સુધી પહોંચ્યા ત્યારે તેમના પરિવારમાં પણ મોતનો માતમ છવાઈ ગયો હતો, કારણ કે કોમલના સગા કાકાના દીકરાના લગ્ન હોવાને કારણે પરિવારમાં તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત મહેમાનો પણ ઘરે આવી ચૂક્યા હતા..

અને વાંજતે ગાજતે લગ્નની તૈયારીઓ ચાલતી હતી, એ વખતે અચાનક જ કોમલના મૃત્યુના સમાચાર સામે આવતા લગ્ન પ્રસંગ પણ બંધ થઈ જવા પામ્યો હતો. આ વાતને લઈને કોમલના માતા પિતા તેમજ માલુરામ બંને સામસામે આવી ગયા હતા. અને તેમની પણ લડાઈ ઝઘડો શરૂ થઈ ગયો હતો..

ત્યારબાદ તેની સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલાને થાણે પડાવ્યો હતો, કોમલને અંતિમ નોટ લખી છે કે નહીં..? તેની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે, આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પણ માહિતી મેળવાય રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *