જો પતિ કે પત્ની બંને માંથી કોઈ એક વ્યક્તિને મનમાં શંકા ઉત્પન્ન થતી હોય તો આ શંકા નું સમાધાન કરવા માટે તેઓએ હંમેશા ખુલ્લા મને વાતચીત કરી લેવી જોઈએ કારણકે શંકા મનમાં રાખીને જીવન જીવવાથી તેઓ ક્યારે પણ સુખમય જીવન જીવી શકતા નથી. તો કેટલીક વખત તો આ શંકા જો સત્યમાં પરિવર્તન પામે તો તેમના ઘર સંસાર ઉજડ બની જતા હોય છે..
અને તાત્કાલિક ધોરણે છૂટાછેડા લેવાનો પણ વારો આવી જતો હોય છે. અત્યારે ખૂબ જ ભયંકર રીતે એક છુટાછેડાનો મામલો સામે આવી ગયો છે. આ ઘટના પ્રિતમગઢ ગામ પાસે આવેલા રસિકવદર ગામની છે. આ ગામની અંદર મનોજભાઈ નામના વ્યક્તિ તેની પત્ની અનિતા સાથે જીવન ગુજારે છે.
તેઓ બાજુના શહેરમાં એક કારખાનામાં મેનેજર તરીકે કામકાજ કરે છે. જ્યારે તેમની પત્ની ઘરે સિલાઈ મશીન ચલાવીને પરિવારને મદદરૂપ બનતી હતી. તેમને સુખી લગ્ન જીવન દરમિયાન એક દીકરીનો પણ જન્મ થયો હતો. આ દીકરી ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે. મનોજભાઈ સવારના સમયે પોતાના ઘરેથી ટિફિન લઈને પોતાની કારખાને જવા માટે નીકળી જતા હતા..
અને સાંજના સમયે તેઓ પરત આવતા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેઓ રાત્રે પણ પોતાના ઘરે આવતા નહીં અને પોતાની પત્નીને ફોન કરીને કહી દેતા કે, તે હવે તેઓ બે થી ત્રણ દિવસ બાદ જ ઘરે આવશે, કારણ કે અહીં કારખાનામાં આટલું બધું કામ છે કે જેની ન પૂછો વાત..
પરંતુ પત્નીને રોજબરોજ મનોજભાઈની આ વાત બહાનામાં પરિવર્તન પામતી હોય તેવું લાગતું હતું. એટલા માટે એક દિવસ જ્યારે અનિતાબેનની નાનકડી દીકરી મનોજભાઈના ફોનમાં ગેમ રમતી હતી. ત્યારે અચાનક જ તેઓએ મોબાઇલ ખેંચી લીધો હતો. મનોજભાઈ પોતાનો મોબાઇલ દીકરીને ગેમ રમવા માટે આપીને નાહવા માટે ગયા હતા..
ત્યારે અનિતાબેનએ મોબાઇલ ખેંચી લીધો અને મોબાઈલની ગેલેરી ખોલીને અંદર શું છે તે જોવાની કોશિશ કરી હતી. મોબાઇલની ગેલેરીમાં મનોજભાઈ લોક લગાવેલો હતો. પરંતુ આ લોક તેમની નાનકડી દીકરીને ખબર હતી. એટલા માટે અનિતાએ સહેલાઈથી ફોનનો લોક ખોલી નાખ્યો હતો.
ત્યારબાદ તેણે ગેલેરી ની અંદર જોયું તો મનોજભાઈના કોઈ અન્ય એક મહિલા સાથે ગેર સંબંધ હોય તેવી વાત જણાઈ હતી. આ ઉપરાંત તેની સાથે ખૂબ જ ખરાબ હરકતો કરતી વખતે તેના ફોટા પણ મળી આવ્યા હતા. બસ આ દ્રશ્યો જોતાની સાથે જ તેણે પિત્તો ગુમાવી બેઠો હતો અને મનોજભાઈ નાહીને બહાર આવ્યા ત્યારે આ ઘટનાનો ભાંડો ફોડી દીધો હતો..
આ ઉપરાંત અન્ય કશું જ બોલ્યા વગર અંદરની રૂમમાં ગયા અને ત્યાંથી તેઓએ થેલામાં પોતાના અને પોતાની દીકરીના કપડાં પેક કરીને પોતાને પિયર જવા માટે નીકળી ગયા હતા. જ્યારે તેઓને જાણકારી મળી કે, તેમના પતિનું બીજી કોઈ મહિલા સાથે અફેર ચાલે છે. ત્યારે આ ઘટના તેમનાથી સહન થઈ શકી નહીં..
તેવો વિચારવા લાગ્યા કે, પરિવારને ચલાવવા માટે તેઓ રાજ દિવસ મહેનત કરે છે. પરંતુ તેના પતિ તેમને પ્રેમ કરવાને બદલે અન્ય કોઈ મહિલા સાથે રાતો વિતાવે છે. જે ખરેખર ખોટી બાબત છે. બસ આ બાબતને તેઓ મનમાં રાખીને સાસરુ મૂકીને પોતાને પિયર આવી ગયા હતા અને વાત છુટાછેડા સુધી પણ પહોંચી ગઈ અને બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા..
આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. અત્યારે મનોજભાઈના સગા સંબંધીઓમાં તેમને ભારે બદનામી સહન કરવી પડી રહી છે. જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સામાન્ય વ્યક્તિના મગજ કામ કરતાં બંધ થઈ જતા હોય છે કે, આખરે આવી ઘટનાઓ પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]